SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૧૭૧ ૩૨૫ નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શું સંખ્યાત છે કે અસંખ્યાત છે કે અનંત છે? ત્રણે દ્રવ્ય સંખ્યાત નથી, અનંત નથી, પરંતુ અસંખ્યાત છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો, અનાનુપૂર્વીદ્રવ્યો, અવકતવ્યદ્રવ્યો શું લોકના સંખ્યાતભાગમાં હોય છે કે અસંખ્યાતભાગમાં હોય છે કે સંખ્યાતભાગોમાં હોય છે કે અસંખ્યાતભાગોમાં હોય છે કે સર્વલોકમાં હોય છે? આનુપૂર્વીદ્રવ્યો એક દ્રવ્યની અપેક્ષાએ સંખ્યાતભાગમાં હોય છે, અસંખ્યાતભાગમાં હોય છે, સંખ્યાતભાગોમાં હોય છે, અસંખ્યાત ભાગોમાં હોય છે અને દેશો લોકમાં હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વ લોકમાં હોય છે. અનાનુપૂર્વી દ્રવ્યના વિષયમાં પણ એમજ કથન કરવું જોઈએ. પ્રકારાન્તરથી અનાનુપૂર્વીદ્રવ્યનું કથન કરતાં સૂત્રકાર કહે છે કે જો કોઈ પ્રશ્ન કરે કે અનાનુપૂર્વીદ્રવ્ય લોકના સંખ્યાત ભાગમાં અથવા ભાગોમાં રહે છે, અસંખ્યાત ભાગમાં અથવા અસંખ્યાતભાગોમાં રહે છે કે સમસ્ત લોકમાં રહે છે? તેનો ઉત્તર આ છે કે અનાનુપૂર્વી દ્રવ્ય પાંચેય વિકલ્પમાં હોય છે. ક્ષેત્રાનુપૂર્વમાં અવકતવ્યદ્રવ્યોની અવગાહનાનું કથન કર્યું છે તે પ્રમાણે જાણવું. સ્પર્શના દ્વારનું કથન આ કાલાનુપૂર્વમાં ક્ષેત્રાનુપૂર્વીની જેમજ જાણવું જોઇએ. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલા કાળ સુધી રહે છે ? એક આનુપૂર્વીદ્રવ્યની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ત્રણ સમયની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વીદ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો કાળાપેક્ષાએ કેટલા કાળસુધી રહે છે ? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અને અનુત્કૃષ્ટ સ્થિતિ એક સમયની છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. અવકતવ્યદ્રવ્ય કાળાપેક્ષાએ કેટલાકાળ સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ બે સમયની છે. અને અનેક દ્રવ્યોની અપેક્ષાએ સ્થિતિ સર્વકાલિક છે. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું હોય છે ? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય અંતર એક સમયનું અને ઉત્કૃષ્ટ અંતર બે સમયનું હોય છે. અનેક દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળાપેક્ષાએ કેટલા કાળનું હોય છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય બે સમયનું અને ઉત્કૃષ્ટ અંસખ્યાત કાળનું અંતર હોય છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો વિષે પણ આનુપૂર્વીદ્રવ્યની જેમ પ્રશ્ન સમજવો. અવકતવ્યદ્રવ્યોનો અંતરકાળ એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનો હોય છે. અનેક દ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. ભાવદ્ધાર અને અલ્પબહુવૈદ્ધારનું કથન ક્ષેત્રાનુપૂર્વીની જેમ જ સમજવું યાવતુ આ પ્રકારનું અનુગમનું સ્વરૂપ છે. નૈગમવ્યવહારનયસંમત અનૌપનિધિતી કાલનપૂર્વનું વર્ણન થયું. [૧૩] સંગ્રહનયસંમત અનૌપનિધિતી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંગ્રહનયસંમત કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અને અનુગમ. [૧૩૭] સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે ? આ પાંચે દ્વારોનું કથન સંગ્રહ સંમત ક્ષેત્રાનુપૂર્વમાં જેમ છે તેમજ કાલાનુપૂર્વીમાં પણ સમજી લેવું. વિશેષતા એટલી કે પ્રદેશાવગાઢ’ને બદલે અહીં સ્થિતિ’ કહેવું યાવતુ આ પ્રકારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy