SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ક્ષેત્રાનુપૂર્વનું સ્વરૂપ વર્ણન અને સાથે ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન સંપૂર્ણ થયું. [૧૨૬-૧૨૭] કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? કાલાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. ઔપનિધિકી અને અનૌપનિધિકી. તેમાંથી જે ઔપનધિકીઆનુપૂર્વી છે તે સ્થાપ્યા છે. માટે એને અત્યારેકહેતા નથી. જે અનૌપનિધિકી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે, નૈગમવ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. અનુઓગદારાઈ - (૧૨૬) [૧૨૮] મૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકીકાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનૌપનિધિકીકાલાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. [૧૨૯] મૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ કેવું છે ? આ અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ આ પ્રમાણે છે-ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે યાવત્ દશસમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે યાવત્ સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળું દ્રવ્ય આનુપૂર્વી છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય અનાનુપૂર્વી છે. બે સમયની સ્થિતિવાળું દ્રવ્ય અવક્તવ્યક છે. ત્રણ સમયની સ્થિતિવાળા દ્રવ્યો આનુપૂર્વીઓછે.એક સમયની સ્થિતિવાળા પરમાણુઓથી લઇને અનંતાણુકસ્કંધો રૂપદ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો અવકતવ્યો છે. આવું નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપછે.આ નૈગમ-વ્યવહારનય સમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? આ અર્થપદપ્રરૂપણતા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. [૧૩૦] નૈગમ-વ્યવહારનયસંમતભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? આનુપૂર્વી છે, અનાનુપૂર્વી છે, અવકતવ્ય છે. દ્રવ્યાનુપૂર્વીની જેમ કાલાનુપૂર્વીના પણ ૨૬ ભાંગા સમજવા જોઈએ. યાવત્ આ ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. આ નૈગમ-વ્યવહાર નયસંમત ભંગસમુત્કીર્તનતાનું પ્રયોજન શું છે ? ભંગસમુત્કીર્તનતાવડે ભંગોપદર્શનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ સમયની સ્થિતિવાળું જે દ્રવ્ય હોય તે ‘આનુપૂર્વી’ પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય ‘અનાનુપૂર્વી' પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળુંદ્રવ્ય ‘અવકતવ્ય’ પદના વાચ્યાર્થરૂપ છે. ત્રણસમયની સ્થિતિવાળા ઘણા દ્રવ્યો ‘આનુપૂર્વીઓ' પદના વાચ્યાર્થરૂપ છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યો ‘અનાનુપૂર્વીઓ’ પદના વાચ્યાર્થરૂપ છે. બે સમયની સ્થિતિવાળા દ્રવ્યો ‘અવકતવ્યો’ પદના વાચ્યાર્થરૂપ છે અથવા ત્રણ સમયની સ્થિતિવાળું દ્રવ્ય, એક સમયની સ્થિતિવાળું દ્રવ્ય ‘આનુપૂર્વી અનાનુપૂર્વી' પદના વાચ્યાર્થરૂપ છે. અહીં પણ દ્રવ્યાનુપૂર્વીની જેમ ૨૬ ભાંગા કહેવા જોઇએ યાવત્ આ ભંગોપદર્શનતાનું સ્વરૂપ છે. [૧૩૨] સમવતારનું સ્વરૂપ છે ? મૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો ક્યાં સમાવિષ્ટ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્યોમાં કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? ત્રણેય સ્વ-સ્વસ્થાનમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રકારે સમવતારનું સ્વરૂપ છે. [૧૩૩-૧૩૪] અનુગમનું સ્વરૂપ કેવું છે ? અનુગમના નવ પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- સત્પદ પ્રરૂપણતા યાવત્ અલ્પબહુત્વ. [૧૩૫] નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો છે કે નથી ? નિયમા ત્રણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy