SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૨૨ ૩૦૫ જેમ ઉદ્દામ-જલદી ચાલનાર, હસ્તિવતુનિરકુંશ હોય, સ્નિગ્ધ પદાથથી અવયવોને મુલાયમ બનાવતો હોય, જળથી શરીરને વારંવાર ધોતો હોય અથવા વાળનો તેલાદિથી સંસ્કાર કરતો હોય,પહેરવા-ઓઢવાના વસ્ત્ર ધોવામાં જે આસક્ત હોય, જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની પરવા કર્યા વિના સ્વચ્છેદ વિચરણ કરતો હોય પરંતુ ઉભયકાળપ્રાતઃ કાળ અને સાયંકાળ આવશ્યક કરવા તૈયાર થાયતો તેમની આવશ્યક ક્રિયા લોકોતરિકદ્રવ્યાવશ્યક છે. આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ થયું આ નોઆગમદ્રવ્યાવશ્યકનું નિરૂપણ થયું. | [૨૩] ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્યક બે પ્રકારે છે, જેમ કેઆમગભાવાવશ્યક અને નોઆગમ ભાવાવશ્યક. [૨૪] નોગમભાવાશ્વકનું સ્વરૂપ કેવું છે? આવશ્યક પદનો જ્ઞાતા હોય અને સાથે ઉપયોગ યુક્ત હોય તે આગમભાવાવશ્યક કહેવાય છે. [૨૫] નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? નોઆગમભાવાવશ્યકના ત્રણ પ્રકાર કહ્યા છે, જેમકે- (૧) લૌકિક (૨) કુકાવચનિક (૩) લોકોત્તરિક [૨૬] લૌકિકભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? દિવસના પૂર્વાર્ધમાં - મહાભારતને વાંચવું અને દિવસના ઉત્તરાર્ધમાં રામાયણ વાચવું તે લોકમાં વાંચનાદિ અવશ્યકરણીય છે માટે આવશ્યક છે. _ [૨૭] કુપ્રવચનિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? કુબાવચનિકભાવ કે ચરગ, ચીરિક યાવતુ પાખંડી મનુષ્યો ઈજય-યજ્ઞ કરે, અંજલિ-સૂર્યને જલાજંલિ અર્પણ કરે, હોમ-કરે, જાપ કરે, ઉન્ફરકક મુખથી બળદ જેવો શબ્દ કરે, વંદના આદિ ભાવાશ્યક કરે તે કુમાવચનિક ભાવાવશ્યક છે. [૨૮] લોકોત્તરિકભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?જે શ્રમણ કે શ્રમણી, શ્રાવક કે શ્રાવિકા આવશ્યકમાં ચિત્ત લગાવી. તેમાં મન લગાવી, શુભ લેશ્યાથી સંપન્ન થઈ, તે ક્રિયા સંપાદન વિષયક અધ્યવસાયથી યુક્ત થઇ, તીવ્ર આત્મ અધ્યવસાયથી યુક્ત થઈ આવશ્યકના અર્થમાં ઉપયોગ યુક્ત થઈ તદપિત કરણ યુક્ત થઇ, તે પ્રકારની ભાવનાથી ભાવિત થઈ અન્ય કોઈ વસ્તુમાં મનને ભમવા દીધા વિના ઉભયકાળમાં જે આવશ્યક કરે છે.તે લોકોત્તરિક ભાવાવણ્યાનું સ્વરૂપ છે. આ નોઆગમભાવાવશ્યકનું સ્વરૂપ છે. આ ભાવાવશ્યકનું સ્વરૂપ છે. [૩૨] તે આવશ્યકના અનેક નામો છે જે એકાઈક છે પણ નાનાઘોષ-જુદા જુદા ઉદાત્તાદિ સ્વરોવાળા, અનેક કકારાદિ વ્યંજનવાળા છે. તે આ પ્રમાણે- (૧) આવશ્યકઅવશ્ય કરવા યોગ્ય, (૨) અવશ્યકરણીય (૩) ધ્રુવનિગ્રહધ્રુવ એટલે સંસારનો નિગ્રહ કરે તે (૪) વિશોધિ-જેના દ્વારા કર્મમળની નિવૃત્તિ કે વિશુદ્ધિ થાય તે (પ) અધ્યયનક્ષકવર્ગ-છ અધ્યયનના સમૂહરૂપ હોય તે (૬) ન્યાય અભિષ્ટ અર્થની સિદ્ધિના સૌથી સારા ઉપાયરૂપ હોય તે (૭) આરાધના-જે મોક્ષની આરાધના કરવામાં હેતુરૂપ હોય તે (૮) માર્ચ - મોક્ષનગરમાં પહોંચાડનાર આ આવશ્યકના આઠ નામ છે. [૩૩] શ્રુતના કેટલા પૂકાર છે ? શ્રુતના ચાર પ્રકાર કહ્યાં છે. તે આ પ્રમાણેનામથુત સ્થાપનાશ્રુત દ્રવ્યશ્રુત ભાવકૃત [૩૪] નામકૃતનું સ્વરૂપ કેવું છે? જે કોઈ જીવ કે અજીવનું યાવત્ “શ્રુત’ એવું નામ [20], Jailandation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy