SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ અનુઓગદારાઈ -(૭) નથી. તે એક શ્રુતસ્કન્ધ રૂપ છે, અનેક શ્રુતસ્કન્ધ રૂપ નથી. તેના છ અધ્યયનો હોવાથી અનેક અધ્યયનરૂપ છે, એક અધ્યનનરૂપ નથી, તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી અર્થાત્ આવશ્યકસૂત્રમાં ઉદ્દેશ નથી. [૭] આવશ્યક સૂત્ર શ્રત, સ્કંધ અને અધ્યયન રૂપ છે તેથી આવશ્યક, શ્રત, સ્કન્ધ અને અધ્યયન શબ્દોનો નિક્ષેપ-યથાસંભવ નામાદિમાં ન્યાસ કરીશ. [૮] નિક્ષેપ કરનાર ગુરુ જે વિષયના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભવ અને ભાવાદિરૂપ સર્વ નિક્ષેપોને જાણતાં હોય તો તેને તે સર્વનું નિરૂપણ કરવું જોઈએ અને જો સર્વ નિક્ષેપોને જાણતા ન હોય તો નિક્ષેપ ચતુષ્ટય- નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવનું નિરૂપણ તો કરવું જ જોઈએ. [૯] તે આવશ્યક શું છે ? આવશ્યક ચાર પ્રકારનાં કહ્યાં છે. નામ આવશ્યક સ્થાપનાઆવશ્યક દ્રવ્ય આવશ્યક ભાવ આવશ્યક . [૧૦] નામ આવશ્યકનું સ્વરૂપ કેવું છે? કોઈ જીવ કે અજીવનું અથવા જીવો કે અજીવોનું, જીવ અને અજીવ બન્નેનું અથવા જીવો અને અજીવો બંનેનુગુણની અપેક્ષા રાખ્યા વિના વ્યવહાર માટે “આવશ્યક એવું નામ રાખવામાં આવે છે તેને નામ આવશ્યક કહે છે. [૧૧] સ્થાપના આવશ્યકનું સ્વરૂપ કેવું છે? સ્થાપના આવશ્યક તે જે આકૃતિ કાષ્ઠ ઉપર કોતરવામાં આવે, વસ્ત્રની ઢીંગલી આદિ બનાવવામાં આવે, ચિત્રરૂપે જેનું સર્જન કરવામાં આવે, ભીની માટીમાંથી બનાવવામાં આવે, વસ્ત્રોની ગાંઠો ના સમુદાયથી બનાવવામાં આવે અથવા એક, બે અથવા અનેક વસ્ત્રો વેષ્ટિત કરીને બનાવવામાં આવે અથવા પુષ્પોની આકૃતિરૂપે સજાવટ કરવામાં આવે કે પીતળાદિ દ્રવ્યોને બીબામાં ઢાળીને જે આકાર બનાવવામાં આવે તે સર્વમાં અથવા પાશાઓ કે કોડીમાં એક અથવા અનેક આવશ્યક ક્રિયાયુક્ત શ્રાવકોની કરવામાં આવેલી જે સદ્દભાવ સ્થાપના અથવા અસદૂભાવ સ્થાપના છે તેનું નામ આવશ્યક સ્થાપના છે. [૧૨] નામ અને સ્થાપના વચ્ચે શું તફાવત છે ? નામ યાવત્રુથિક-વસ્તુનું અસ્તિત્વ રહે ત્યાં સુધી ટકી રહેનાર હોય છે, પરંતુ સ્થાપના તો ઇત્વરિક-સ્વલ્પકાળ સુધી રહેનાર અને યાવત્રુથિક એ બન્ને પ્રકારની હોય છે. દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યાવશ્યકના બે પ્રકાર કહ્યાં છે, તે આ પ્રકારે આગમદ્રવ્યાવશ્યક અને નોઆગમદ્રવ્યાવશ્યક [૧૪] આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ? આગમદ્રવ્યાવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે- જે સાધુએ આવશ્યક શાસ્ત્રનાં પદોનું ગુરુ સમક્ષ આદિથી અંત સુધી અધ્યયન કર્યું છે. સ્થિર કર્યું છે, આવૃત્તિ કરતાં અથવા કોઇના પૂછવાપર તત્કાલ ઉપસ્થિત થઈ જાય એવી રીતે પાકું કર્યું છે. શ્લોક પદ અને વર્ષોની સંખ્યાનું પ્રમાણ સમજી લીધું છે, અનુપૂર્વી અને અનાનુપુર્વ પૂર્વક જેને સર્વ રીતે સર્વ તરફથી પરાવર્તિત કરી લીધું છે, પોતાના નામની જેમ સ્મૃતિ પટલમાંથી દૂર ન થાય એવી રીતે કર્યું છે, જે રીતે ગુરુ ઉદાતાદિ ઘોષ સ્વરોનું ઉચ્ચારણ કરતાં હોય તેમ ઉચ્ચારણ કર્યું છે. અક્ષરની હીનતા રહિત અધિકતા રહિત વ્યતિક્રમ રહિત અખ્ખલિત રૂપે અન્ય શાસ્ત્રવર્તી પદોના સેળભેળ રહિત અમિલિત ઉચ્ચારણ કર્યું છે, ત્યારૅડિત એક શાસ્ત્રમાં જુદા Jain Education International, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy