SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ નંદીસુનં-(૧૩૭) વરૂણોપરાત ગરૂડોપપાત ઘરણોપપાત વૈશ્રમણપપાત વેલન્જરોપપાત દેવેન્દ્ર પાત ઉત્થાનથુત સમુત્થાનકૃત નાગપરિજ્ઞાપનિકા નિરયાવલિકા કલ્પિકા કલ્પાવતંસિકા પુષ્મિતા પુષ્પચૂલિકા વૃષ્ણિદશાઈત્યાદિ ૮૪ હજાર પ્રકીર્ણક આદિ તીર્થકર ભગવાનું શ્રી ઋષભસ્વામીના છે, સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના છે.અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન શ્રીવર્તમાન સ્વામીના છે. અથવા જે તીર્થકરના જેટલા શિષ્યો ઔત્પત્તિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી, આ ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત હોય છે, તેના તેટલા હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલાજ હોય છે.આ કાલિકશ્રુત છે. આ રીતે આ આવશ્યક-વ્યતિરિક શ્રુતનું વર્ણન થયું. આ રીતે આ અનશ પ્રવિષ્ટદ્યુતનું પણ સ્વરૂપ સંપૂર્ણ થયું. [૧૩૮]અપ્રવિષ્ટ કૃતના કેટલા પ્રકાર છે ? અપ્રવિષ્ટ કૃત બાર પ્રકારે વર્ણવ્યું છે, જેમકે- આયારો, સૂર્યગડો, ઠાણ, સમવાઓ, વિવાહપન્નત્તિ, નાયાધમ્મ, કહાઓ ઉવાસગદસાઓ, અનુત્તરો, વવાયદસાઓ, પણહાવાગરણ વિવાગસૂય દિક્ટિવાએ. [૧૩૯]–આચાર નામક અંગનું સ્વરૂપ કેવું છે ? આયારો સૂત્રમાં શ્રમણનિગ્રન્થોના આચારગોચર-ભિક્ષાને ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયનું ફળ કર્મક્ષયાદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, અથવા શિષ્યને સત્ય તથા વ્યવહાર ભાષા ગ્રહણ કરવા યોગ્ય છે અને મિશ્ર તથા અસત્ય ભાષા ત્યાજય છે, ચરણ-વ્રતાદિ, કરણ-પિંડવિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમયાત્રા, માત્રા-સંયમના નિવહિમાટે પરિમિત આહાર કરવો, વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરવા, વિગેરે વિષયોનું વર્ણન કર્યું. છે. તે આચાર સંક્ષેપમાં પાંચ પ્રકારનો છે, જેમકે–જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપઆચાર, વિચાર. આયારો સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર. સંખ્યાત નિયુકિતઓ, અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે આચારા બાર અંગોમાં પ્રથમ અંગ છે. તેમાં બે શ્રુતસ્કન્ધો છે, પચ્ચીશ અધ્યયનો છે ૮૫ ઉદ્દેશનકાલ તથા ૮૫ સમુદ્દેશન કાલ છે. પદપરિમાણમાં ૧૮ હજાર પદો, સંખ્યાત અક્ષર, અનંતગમ અર્થાત્ અનંત અથગમ, અનંત પયરય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવરનું પ્રતિપાદન છે. શાશ્વત-ધમસ્તિકાયાદિ, કૃત-પ્રયોગજ-ઘટાદિ, વિશ્રા-સંધ્યા, વાદળાદિનો રંગ, આ સર્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિર્યુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિ અનેક પ્રકારથી દઢ કરેલ જિનપ્રજ્ઞપ્ત ભાવ સામાન્ય રૂપથી કહ્યા છે, નામાદિથી પ્રજ્ઞાપિત કરેલા છે. પ્રરૂપિત કરેલા છે, ઉપમાન તથા નિગમનાદિથી નિદર્શિત- કરેલા છે. આચારાંગને ગ્રહણ કરનારા, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાતુ મૂર્તિ બની જાય છે. તે ભાવોના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ રીતે આચારા સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે આચારાનું સ્વરૂપ વર્ણવ્યું છે. [૧૪] સૂયગડો સૂત્રમાં ષડૂકવ્યાત્મક લોક સૂચિત કરાય છે. અલોક સૂચિત કરાય છે.લોકાલોક સૂચિત કરાય છે. આ રીતે જીવ અજીવ, જીવાજીવની સૂચના કરાય છે. તેમજ સ્વસમય પરસમય અને સ્વ-પર સમયની સૂચના કરાય છે. સૂત્રકતાનમાં ૧૮૦ ક્રિયાવાદીઓના, ૮૪ અક્રિયાવાદીઓના, ૬૭ અજ્ઞાનવાદીઓના, અને ૩ર વિનયવાદીઓના, એ પ્રમાણે ૩૩ પાખડિઓના મતનો નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. સૂયગડો પરિમિત વાચનાઓ, સંખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy