SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરજ્જીયણ - ૩૬/૧૫૭૧ [૧૫૭૧] તેજસ્ વાયુ અને ઉદાર- ત્રણ ત્રસકાયના ભેદ છે. તે સાંભળો.. [૧૫૭૨-૧૫૭૬] -તેજસ્કાય જીવ બે પ્રકારના છે- સૂક્ષ્મ અને સ્થૂલ.તે બંનેના બબ્બે પ્રકાર છે-પર્યાપ્ત અને અપર્યાપ્ત. સ્થૂલ પર્યાપ્ત તેજસકાય જીવોના અનેક પ્રકાર છે-અંગાર, મુર્મુર- અગ્નિ, અર્ચિ, દીપશિખા, જ્વાલા- તથા ઉલ્કા, વિદ્યુત્ આદિ. સૂક્ષ્મ તેજસ્કાયના જીવો સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ તેજસ્કાયના જીવ લોકના એક ભાગમાં છે. આ પછી ચાર પ્રકારથી તેજસ્કાય જીવોના કાવિભાગ વિશે કહીશ. તે પ્રવાહની દૃષ્ટિએ અનાદિ અનન્ત છે અને સ્થિતિની દૃષ્ટિએ સાદિ સાન્ત છે. [૧૫૭૭-૧૫૭૯] તેજસ્કાયની આયુ-સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે અને જઘન્ય અનતર્મુહૂર્તની છે. તેજસ્કાયની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલની છે અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. તેજસનું શરીર છોડ્યા વગર નિરન્તર તેજસ શરીરમાં પેદા થવાને કાયસ્થિતિ કહે છે. તેજસના શરીરને છોડીને ફરી તેજસ શરીર ધારણ કરવા સુધીનો વચલો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. [૧૫૮૦] વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શ, સંસ્થાનથી તેજસકાયના હજારો ભેદ છે. [૧૫૮૧-૧૫૮૩] વાયુકાય જીવના બે ભેદ સૂક્ષ્મ અને સ્થૂલ. ફરી તે બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે બે ભેદ સ્થૂલ પર્યાપ્ત વાયુકાય જીવોના પાંચ પ્રકાર. ઉત્કાલિકા, મંડલિકા, ઘનવાત, ગુંજાવાત અને શુદ્ધાવાત. સંવર્તકવાત, આદિ બીજા પણ અનેક ભેદ છે. સૂક્ષ્મ વાયુકાયના જીવ એક પ્રકારના છે. તેમના ભેદ નથી. [૧૫૮૪-૧૫૮૮] સૂક્ષ્મ વાયુકાયના જીવ સંપૂર્ણ લોકમાં અને સ્થૂલ વાયુકાયના જીવ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ કહ્યા પછી ચાર પ્રકારથી વાયુકાયિક જીવોના કાળવિભાગનું કથન કરીશ. તેઓ પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. અને સ્થિતિએ સાદિ સાન્ત છે. તેમની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ ત્રણ હજાર વર્ષ છે. અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તમુહૂર્તની છે. વાયુકાય છોડ્યા વગર ફરી-ફરી વાયુ શરીર ધારણ કરે તે કાયસ્થિતિ છે. વાયુ કાય છોડીને ફરી વાયુકાયમાં જન્મે તે વચ્ચેનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત અન ઉત્કૃષ્ટ અનન્ત કાળનો છે. ૨૬૮ [૧૫૮૯] વર્ણ, ગન્ધ, ૨સ, સ્પર્શ, સંસ્થાનથી વાયુકાયના હજારો ભેદ છે. [૧૫૯૦] ઉદારત્રસના ચારભેદ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. [૧૫૯૧-૧૫૯૫] દ્વીન્દ્રિય જીવના બે ભેદ છે. પર્યાપ્ત અ અપર્યાપ્ત. તે તમે સાંભળો. કૃમિ, સૌમંગળ, અળસીયાં, માતૃવાહક, વાસીમુખ, સીપ, શંખ શંખનકપલ્લોય, અણુલ્લક, વરાટક-કોડી, જરો, જાલક અને ચંદનિયું વગેરે. અનેક પ્રકારના દ્વીન્દ્રિય જીવ છે. તે લોકના એક ભાગમાં છે. આખા લોકમાં નથી. પ્રવાહની અપેક્ષાએ તેઓ અનાદિ અનન્ત છે અને સ્થિતિએ સાદિ સાન્ત છે. [૧૫૯૬-૧૫૯૯] તેમની ઉત્કૃષ્ટ આયુ-સ્થિતિ બાર વર્ષ છે અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. તેમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યાત કાળની અને જઘન્ય અન્તર્મુહૂર્તની છે. દ્વીન્દ્રિય કાયાને નહિ છોડી નિરન્તર દ્વીન્દ્રિયમાં જ ઉત્પન્ન થવું તે કાયસ્થિતિ છે. દ્વીન્દ્રિય શરીર છોડી ફરી દ્વીન્દ્રિયમાં ઉત્પન્ન થતાં સુધીનો ગાળો જઘન્ય અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનન્તકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy