SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ અધ્યયન - ૨૯ ઈન્દ્રિયનિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપોમાં થનાર રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રૂપનિમિત્તક કર્મનો બંધ નથી કરતો ને પૂર્વબદ્ધ કોની નિર્જરા કરે છે. [૧૧૭૮] ભત્તે ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ગંધોમાં રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે. પછી ગબ્ધ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [૧૧૭] ભત્તે ! જિહુવા ઈન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે શું ? જિહવાઈન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ રસોના રાગદ્વેષનો નિગ્રહ કરે છે. પછી રસ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી અને પૂર્વબદ્ધ કમની નિર્જરા કરે છે. [૧૧૮૦] પ્રભુ ! સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? સ્પર્શેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ સ્પશે સંબંધી રાગ-દ્વેષનો નિગ્રહ કરે છે અને સ્પર્શ નિમિત્તક કર્મનો બંધ કરતો નથી. પૂર્વબદ્ધ કર્મોની નિદ્રા કરે છે. [૧૧૮૧] ભન્ત! ક્રોધવિજયથી જીવને શું મળે છે? ક્રોધવિજયથી જીવને ક્ષાન્તિ પ્રાપ્ત થાય છે. ક્રોધ વેદનીય કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [૧૧૮૨] ભત્તે ! માનવિજયથી જીવને શું મળે છે? માનવિજયથી જીવ મૃદુતા. પામે છે. માનવેદનીય કર્મોનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કમની નિર્જરા થાય છે. [૧૧૮૩] ભન્ત ! માયાવિજયથી જીવને શું મળે ? માયાવિજયથી ઋજુતા આવે છે. માયા વેદનીય કર્મનો બંધ થતો નથી. પૂર્વબદ્ધ કર્મની નિર્જરા કરે છે. [૧૧૮૪]ભન્ત! લોભવિજયથી જીવને શું મળે છે? લોભવિયથી જીવ સંતોષભાવ અનુભવે છે. લોભ-વેદનીય કર્મનો બંધ કરતો નથી. પૂર્વ બદ્ધની નિર્જરા કરે છે. [૧૧૮૫ ભત્તે ! પ્રેમ-રાગ, દ્વેષ અને મિથ્યાદર્શનના વિજયથી જીવને શું મળે છે? પ્રેમ, દ્વેષ અને મિથ્યાદર્શન પર વિજય મેળવવાથી જીવ જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે તૈયાર થાય છે. આઠ પ્રકારના કર્મોની ગ્રન્થિ ખોલવા માટે સર્વ પ્રથમ મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓનો અનુક્રમે ક્ષય કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય કર્મની પાંચ, દર્શનાવરણીય કર્મની નવ અને અન્તરાય કર્મની પાંચ-આ ત્રણે કર્મોનો એક સાથે ક્ષય કરે છે. ત્યાર પછી તે અનુત્તર, અનન્ત, કૃત્સન-સર્વ વસ્તુ વિષયક, પ્રતિપૂર્ણ, નિરાવરણ અજ્ઞાનતિમિર-રહિત, વિશુદ્ધ અને લોકાલોકના પ્રકાશક કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પામે છે. જ્યાં સુધી તે સયોગી રહે છે ત્યાં સુધી ઐયપથિક કર્મનો બંધ થાય છે. તે બંધ પણ સુખ-સ્પર્શે છે. તેની સ્થિતિ બે સમયની છે. પહેલા સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે, ત્રીજા સમયમાં નિર્જરા થાય છે. તે કર્મ ક્રમશઃ બદ્ધ થાય છે. પ્રુષ્ટ થાય છે. ઉદયમાં આવે છે. ભોગવાય છે. નષ્ટ થાય છે. ફલતઃ આગળના કાળમાં અથતુિ અન્તમાં તે કર્મ અકર્મ બને છે. [૧૧૮૬] કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી શેષ આયુ ભોગવતો તે જ્યારે અન્તર્મુહૂર્ત પરિમાણ આયુ બાકી રહે છે ત્યારે તે યોગનિરોધમાં પ્રવૃત્ત થાય છે. ત્યારે સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ' નામનું શુકલ ધ્યાન કરતો થકો પ્રથમ મનોયોગનો નિરોધ કરે છે. પછી વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી આનાપાન-શ્વાસોચ્છવાસનો નિરોધ કરે છે. શ્વાસોચ્છુવાસનો નિરોધ કરીને થોડા વખત સુધી પાંચ હસ્તાક્ષરોના ઉચ્ચારણ કાલ સુધી “સમુચ્છિન્ન ક્રિયા-અનિવૃત્તિ” નામક શુક્લ ધ્યાનમાં લીન થયેલો અનગાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy