SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ઉત્તરજ્જીયણ - ૨૯/૧૧૬૬ કાયાના પ્રયત્નોની સચ્ચાઈથી જીવ યોગ વિશુદ્ધ કરે છે. [૧૧૬૬] ભત્તે ! મનોગુપ્તિથી જીવને શું મળે છે ? મનોગુપ્તિથી જીવ એકાગ્ર બને છે. એકાગ્ર ચિત્ત જીવ અશુભ વિકલ્પોથી મનનું રક્ષણ કરે છે. અને સંયમનો આરાધક બને છે. [૧૧૭] ભત્તે ! વચનગુપ્તિથી જીવને શું મળે છે ? વચનગુપ્તિથી જીવ નિર્વિકાર બને છે. નિર્વિકાર જીવ સર્વથા વાગ્ગુપ્ત તથા અધ્યાત્મ યોગના સાધનભૂત ધ્યાનથી યુક્ત હોય છે. [૧૧૬૮] ભત્તે ! કાયગુપ્તિથી જીવને શું મળે છે ? કાયગુપ્તિથી જીવ સંવર, પામે છે. સંવરથી કાયગુપ્ત બનીને ફરી થનાર પાપાશ્રવનો નિરોધ કરે છે. [૧૧૬૯] ભત્તે ! મનની સમાધારણા તેથી જીવને શું મળે ? મનની સમાધારણાથી જીવ એકાગ્રતા મેળવે છે. એકાગ્રતાથી જ્ઞાનપર્યવો- પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યક દર્શનને વિશુદ્ધ કરે છે, અને મિથ્યાદર્શનની નિર્જરા કરે છે. [૧૧૭૦] ભત્તે ! વાકસમાધારણા થી જીવને શું મળે ? વાક સમાધારણાથી જીવ વાણીના વિષયભૂત દર્શન પર્યાયોને વિશુદ્ધ કરે છે, વાણીના વિષયભૂત દર્શન પર્યાયો વિશુદ્ધ કરીને સહેલાઈથી બોધિ પ્રાપ્ત કરે છે. બોધિની દુર્લભતા ક્ષીણ કરેછે. [૧૧૭૧] ભત્તે ! કાય સમાધારણાથી જીવને શું મળે છે ? કાય સમાધારણાથી જીવ ચારિત્રપર્યવો-ને વિશુદ્ધ કરે છે. ચારિત્રપર્યવ વિશુદ્ધ કરીને યથાખ્યાતચારિત્રને શુદ્ધ કરેછે. યથાખ્યાતચારિત્ર વિશુદ્ધ કરીને કેવલીસંબંધી વેદનીય આદિ ચાર કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે. પરિનિર્વાણ પ્રાપ્ત કરે છે. બધાં દુઃખોનો અન્ત કરે છે. [૧૧૭૨-૧૧૭૩] ભત્તે ! જ્ઞાનસંપન્નતાથી જીવને શું મળે ? જ્ઞાનસંપન્નતાથી જીવ બધા ભાવોને જાણે છે. જ્ઞાનસંપન્ન જીવ ચાર ગતિરૂપ અન્નોવાળા સંસાર-વનમાં નાશ પામતો નથી. જેમ દોરાવાળી સોઈ ખોવાતી નથી તેવી જ રીતે જીવ પણ સંસારમાં ખોવાતો નથી. જ્ઞાન, વિનય, તપ અને ચારિત્રના યોગ પ્રાપ્ત કરે છે. તથા સ્વસમય અને પરસમયમાં સંઘાતનીય પ્રામાણિક મનાય છે. [૧૧૭૪] ભત્તે ! દર્શન-સંપન્નતાથી જીવને શું મળે છે ? દર્શન-સંપન્નતાથી સંસારના હેતુ મિથ્યાત્વનો નાશ થાય છે. ત્યાર પછી સમ્યકત્વનો પ્રકાશ ઓલવાતો નથી. શ્રેષ્ઠ જ્ઞાનદર્શનથી આત્માને સંયોજિત કરીને તેમને સમ્યક્ પ્રકારે આત્મસાત્ કરતો વિચરે છે. [૧૧૭૫] ભત્તે ! ચારિત્રસંપન્નતાથી જીવને શું મળે છે ? ચારિત્રસંપન્નતાથી જીવ શૈલેશીભાવ-ને પામે છે. શૈલેશી ભાવ પ્રાપ્ત અનગાર ચાર કેવલિસત્ક કર્મોનો ક્ષય કરે છે. ત્યાર પછી તે સિદ્ધ બને છે. બુદ્ધ બને છે. મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે. અને બધાં દુઃખોનો અંત કરે છે. [૧૧૭૬] ભન્તે ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવને શું મળે છે ? શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી જીવ મનોજ્ઞ અને અમનોજ્ઞ શબ્દોમાં થનાર રાગદ્વેષથી પર રહે છે. પછી તત્પ્રત્વિક અર્થાત્ શબ્દ નિમિત્તક કર્મનો બંધ નથી કરતો. પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. [૧૧૭૭] ભત્તે ! ચક્ષુષુ-ઇન્દ્રિયનિગ્રહથી જીવને શું મળે છે ? ચક્ષુણ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy