SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન - ૨૪ અવરજવર ન હોય અને દૂરથી કોઈ પણ દેખતા ન હોય. અનાપાત સંલોક-લોકોની અવરજવર ન હોય, પણ દૂરથી જોતા હોય. આપાત અસંલોક-લોકોની અવરજવર હોય પણ તે દેખતા ન હોય. આપાત સંલોક-લોકોની અવરજવર હોય અને તે દેખતા પણ હોય. આમ સ્થણ્ડિલ ભૂમિ ચાર પ્રકારની હોય છે. જે ભૂમિ અનાપાત અસંલોક હોય, પરોપઘાત રહિત હોય, સમ હોય, અશુષિર હોય-પોલી ન હોય તેમ જ થોડા વખત પહેલાં નિર્જીવ બની હોય. વિસ્તૃત હોય, ગામથી દૂર હોય, ઘણે નીચે સુધી અચિત્ત હોય, દર વિનાની હોય, ત્રસ પ્રાણી તથા બી વિનાની હોય, એવી ભૂમિમાં ઉચ્ચારમળ આદીનો ઉત્સર્ગ કરવો જોઈએ. ૨૩૫ [૫૪] આ પાંચ સમિતિ ટૂંકમાં કહી છે. આગળ ત્રણ ગુપ્તીઓ કહું છું. [૯૫૫-૯૫૬] મનોગુપ્તિ એના ચાર પ્રકાર છે. સત્ય, મૃષા, સત્યામૃષા, અસત્યમૃષા-યતનાસંપન્ન યતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. [૯૫૭-૯૫૮] વચનગુપ્તિ એના ચાર પ્રકાર : સત્યા, મૃષા, સત્યામૃષા, ચોથી અસત્યામૃષા. યતનાસંપન્નયતિ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત વચનનું નિવર્તન કરે. [૯૫૯-૯૬૦] ઊભા રહેવામાં, બેસવામાં, ત્વગ્નર્તનમાં-સૂવામાં, ઉલ્લંઘનમાંખાડા ઓળંગવામાં, પ્રલંઘનમાં-સાધારણ હરવાફરવામાં, શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોના પ્રયોગમાં- સરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત કાયાનું નિવર્તન કરે. [૯૬૧] આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિઓ બધા અશુભ વિષયોમાંથી નિવૃત્તિ માટે છે. [૯૬૨] જે પંડિત મુનિ આ પ્રવચન માતાઓનું સમ્યક્ આચરણ કરે છે, તે જ જલદી સર્વ સંસારથી મુક્ત બને છે. - એમ હું કહું છું. અધ્યયન -૨૪ - ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૨૫-યશીય [૯૬૩-૯૬૫] બ્રાહ્મણ કુળમાં જન્મેલા મહાયશસ્વી જયઘોષ નામે બ્રાહ્મણ હતો, તે હિંસક યમ રૂપ યજ્ઞમાં રત હતો. તે ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર માર્ગગામી મહા મુનિ બન્યો હતો. એક દિવસ ગામોગામ વિહાર કરતાં બનારસ પહોંચ્યો. બનારસ બહાર સુંદરબાગમાં પ્રાસુક શય્યાવસતિ, સંસ્તારક પીઠ, ફલક, આસન વગેરે લઈને રહ્યો. [૯૬૬-૯૬૭] તે જ વખતે તે શહેરમાં વેદને જાણના૨ વિજયઘોષ નામનો બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો. એક માસની તપસ્યા પછી પારણાને વખતે ભિક્ષા માટે તે જયઘોષ મુનિ વિજયઘોષના યજ્ઞમાં હાજર થયો. [૯૬૮-૯૭૨] યજ્ઞકર્તા બ્રાહ્મણ ભિક્ષાર્થી મુનિને ઇનકાર કરે છે- હું તને ભિક્ષા નહિ આપું. ભિક્ષુ ! બીજે ભિક્ષા માગવા જાઓ ! જે વેદોનો જાણકાર બ્રાહ્મણ છે, યજ્ઞ કરનાર દ્વિજ છે અને જ્યોતિષના અંગો જાણે છે તેમજ ધર્મશાસ્ત્રોમાં પારંગત છે. જે પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરી શકે છે. ભિક્ષુ ! આ સર્વકામિક- તેમ જ બધાંને અભીષ્ટ અન્ન તેમને જ આપવાનું છે. ત્યાં આ રીતે યજ્ઞ કરનાર તરફથી નકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy