SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ઉત્તરઝણું- ૨૩૯૩૧ [૩૧] ગૌતમ તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. હે સંશયાતી! સર્વ શ્રતના મહોદધિ! તમને મારા નમસ્કાર! [ [૩૨-૯૩૩] આમ સંશય દૂર થતાં ઘોર પરાક્રમી કેશીકુમાર મહાન યશસ્વી ગૌતમને શિરસા વંદના કરીને પ્રથમ અને અન્તિમ જિનો દ્વારા ઉપદિષ્ટ તેમજ સુખાવહ પંચ મહાવ્રતરૂપ ધર્મમાર્ગમાં ભાવથી પ્રવેશ્યા. [૩૪] ત્યાં તિન્દુક ઉદ્યાનમાં કેશી-ગૌતમ બંને સતત મળ્યા, તેમાં શ્રત તેમજ શીલનો ઉત્કર્ષ અને મહાન તત્ત્વોના અર્થોનો વિનિશ્ચય થયો. [૯૩૫ સમગ્ર સભા ધર્મચર્ચાથી સંતુષ્ટ થઈ. તેથી સન્માર્ગે ઉપસ્થિત તેણે ભગવાન કેશી અને ગૌતમની સ્તુતિ કરી કે બંને પ્રસન્ન રહે. - એમ હું કહું છું. | અધ્યયન-૨૩-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૨૪-પ્રવચન-માતા) [૯૩૬-૯૩૮ સમિતિ અને ગુપ્તિ-રૂપ આઠ પ્રવચન માતા છે. પાંચ સમિતિ છે. ત્રણ ગુપ્તિ છે. ઈય સમિતિ, ભાષા સમિતિ, એષણા, સમિતિ, આદાન સમિતિ અને ઉચ્ચાર સમિતિ, મનોગુપ્તિ, વચન-ગુપ્તિ અને કાય-ગુપ્તિ. એમ આઠ પ્રવચન માતા છે. સંક્ષેપમાં આ આઠ સમિતિ કહી છે. એમાં જિનેન્દ્રકથિત દ્વાદશાંગ-રૂપ સમગ્ર પ્રવચન અન્તભૂત છે. [૯૩૯-૯૪૩] સંયતી, (મુનિ) આલંબન, કાળ, માર્ગ, અને યતના-આ ચાર કારણ પરિશુદ્ધ ઈય સમિતિથી વિચરણ કરે. ઈય સમિતિનું આલંબન-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. કાળ દિવસ છે અને ઉન્માર્ગનો ત્યાગ એ માર્ગ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી યતનાના ચાર પ્રકાર છે. તે હું કહું છું. સાંભળો. દ્રવ્યથી-આંખે જુએ, ક્ષેત્રથી-યુગમાત્ર ભૂમિને જુએ. કાળથી-ચાલતો રહે ત્યાં સુધી જુએ. ભાવથીઉપયોગપૂર્વક ગમન કરે. ઈન્દ્રિયોના વિષય અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને માત્ર ગમન-ક્રિયામાં જ તન્મય થઈ તેને જ મુખ્ય મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલવું. ૯૪૪-૯૫ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા પ્રત્યે સતત ઉપયોગયુક્ત રહેવું. પ્રજ્ઞાવાન સંયત (મુનિ)એ આ ઉપર્યુક્ત આઠ સ્થાન છોડીને યથાસમય નિરવદ્ય-દોષરહિત અને પરિમિત ભાષા બોલવી. [૯૪૬-૯૪૭] ગવેષણા, ગ્રહણષણા અને પરિભોગેષણાથી આહાર, ઉપાધિ અને શવ્યાનું પરિશોધન કરવું. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ પ્રથમ એષણામાં ઉદ્ગમ અને ઉત્પાદન દોષોનું શોધન કરે. બીજી એષણામાં આહારાદિ ગ્રહણ કરવામાં આવતા દોષોનું શોધન કરે. પરિભોગેષણામાં દોષ-ચતુષ્કનું શોધન કરે. [૯૪૮-૯૪૯] મુનિ ઓધ-ઉપાધિ અને ઔપગ્રહિક ઉપધિ બંને ઉપકરણોને લેવા-મૂકવામાં આ વિધિનો પ્રયોગ કરે. યતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર યતિ બંને પ્રકારના ઉપકરણોને આંખો વડે પ્રતિલેખન તેમજ પ્રમાર્જન કરીને લે અને મૂકે. [૯૫૦-૯૫૩ ઉચ્ચાર-મળ, પ્રશ્રવણ-મૂત્ર, શ્લેષ્મ-કફ, સિંધાનક-નાકનો મેલ, જલ્લ-શરીરનો મેલ, આહાર, ઉપાધિ-ઉપકરણ, શરીર તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક ઉજ્જડ ભૂમિમાં ત્યાગ કરે. અનાપાત અંસલોક-જ્યાં લોકોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy