SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧૧ ૨૦૫ નાકવાળો, ગંદા કપડાવાળો, ભભૂતધારી ભૂત, કવસ્ત્રો આ કોણ આવે છે ? અદર્શનીય, તું કોણ છે ? અહીં શા માટે આવ્યો છે ? ગંદા અને ધૂળવાળાં કપડાંવાળો અર્ધવસ્ત્રધારી પિશાચ જેવો દેખાય છે. જા ભાગ અહીંથી, અહીં શા માટે ઊભો છે? ત્યારે મહામુનિ પ્રત્યે અનુકમ્પા રાખનાર તિન્દુક વૃક્ષવાસી યક્ષે પોતાનું શરીર છુપાવી આમ કહ્યું. હું શ્રમણ છું. હું સંયત છું. હું બ્રહ્મચારી છું. હું ધન, પચન, (ભોજન બનાવવું) અને પરિગ્રહનો ત્યાગી છું, ભિક્ષાને વખતે બીજા માટે બનાવેલા ભોજન માટે અહીં આવ્યો છું. અહીં ઘણું અન્ન અપાઈ રહ્યું છે. ખવાઈ રહ્યું છે, તમને ખબર હશે કે હું ભિક્ષા જીવી છું. તેથી વધેલામાંથી આ તપસ્વીને પણ કાંઇ મળે. [૭૦] આ ભોજન બ્રહ્મણો માટે જ તૈયાર થયું છે, એ એક પક્ષીય છે તેથી બીજાને આપવા જેવું નથી. આ યજ્ઞ માટે તૈયાર કરાયેલું અન્નજળ તને નહીં આપીએ. છતાં તું અહીં શા માટે ઊભો છે ! [૩૭૧] સારા પાકની આશાએ ખેડૂત ઊંચી ભૂમિમાં જેમ બીજ વાવે છે તેવી જ રીતે નીચી જમીનમાં પણ વાવે છે. આ ખેડૂતની દૃષ્ટિએ તમે મને દાન આપો. હું પણ પુણ્યક્ષેત્ર છું. માટે મારી પણ આરાધના કરો. [૩૭૨] સંસારમાં એવાં ખેતરોની અમને ખબર છે જ્યાં વાળેલાં બધાં બી ઊગે છે. જે બ્રાહ્મણ જાતિ અને વિધાયુક્ત છે તે જ પુણ્યક્ષેત્ર છે. [૩૭૩-૩૭૪]જેમનામાં ક્રોધ, માન, હિંસા જૂઠ, ચોરી અને પરિગ્રહ છે તે બ્રાહ્મણો જાતિ, અને વિદ્યાહીન પાપક્ષેત્ર છે. હે બ્રાહ્મણો ! આ સંસારમાં તમે કેવળ વાણીનો ભાર જ ઉપાડી રહ્યા છો. વેદ ભણવા છતાં તેનો સાચો અર્થ જાણતા નથી. જે મુનિઓ સમભાવપૂર્વક નાના મોટા ઘરોમાં જાય છે તેઓ જ પુન્યક્ષેત્ર છે. [૩૭૫] અમારી આગળ અધ્યાપકોની વિરુદ્ધ બોલનાર તું કોણ છે ? શું બકે છે ! આ અન્નજળ ભલે સડી જાય પણ અમે તને નહીં આપીએ. [૩૭]હું ઇર્યા, એષણા વગેરે સમિતિઓ પાળનાર, ગુપ્તિઓથી રક્ષિત અને જિતેન્દ્રિય છું. આ એષણીય આહાર તમે મને નહીં આપો તો આ યજ્ઞોનો તમને શું લાભ ? [૩૭૭-૩૭૯] અરે કોઈ છે અહીં ક્ષત્રિય, અધ્યાપક, છાત્ર, રસોઇયા જે આવાને ગળે પકડી દંડ ફળ વગેરેથી મારી બહાર કાઢે. અધ્યાપકોની વાણી સાંભળી ઘણાં વિદ્યાર્થીઓ દોડી આવ્યા. દંડા-ચાબૂક વેત્રથી ઋષિને મારવા લાગ્યા. રાજા કૌશલકની અનિન્ઘસુન્દરી પુત્રી ભદ્રાએ મુનિને મારતાં જોઈને ક્રોધિત વિદ્યાર્થીઓને રોક્યા. [૩૮૦-૩૮૩] દેવની બળવાન પ્રેરણાથી રાજાએ મને આ મુનિએ સોંપી હતી, પણ મુનિએ મનથી પણ મારી ઇચ્છા કરી નહીં. મારો ત્યાગ કરનાર આ ઋષિ, નરેન્દ્રો અને દેવેન્દ્રો માટે પણ પૂજ્ય છે. આ તે જ ઉગ્ર તપસ્વી, મહાત્મા, જિતેન્દ્રિય, સંયમી, બ્રહ્મચારી છે જેમણે મારા પિતાએ મને એમને આપી છતાં મારો સ્વીકાર ન કર્યો. આ ઋષિ મહાનયશસ્વી છે. મહાનુભાગ છે. અત્યન્ત વ્રતનિષ્ઠ છે, પરાક્રમી છે, એમની અવહેલના યોગ્ય નથી. એમનું અપમાન ન કરો. એ પોતાના તેજથી તમને બધાને ભસ્મ કરી નાંખે એવું ન બને. પુરોહિતની પત્ની ભદ્રાની આ વાત સાંભળી ઋષિની સેવા માટે યક્ષોએ કુમારોને રોક્યા. [૩૮૪-૩૮૮] આકાશમાં રહેલા ભયંકર રૂપવાળા અસુરાવવાળા ક્રુદ્ધ યક્ષોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy