SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ ઉત્તરાયણ- ૧૫/૩૪૮ બધા પશુઓમાં શ્રેષ્ઠ છે. તેવી રીતે બહુશ્રુત સાધુ અન્ય તીર્થિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. [૩૪૮] શંખ, ચક્ર અને ગદાધારી વાસુદેવ જેમ અપરાજિત બળવાન યોદ્ધો હોય છે. તેવો જ બહુશ્રુત પણ અપરાજિત હોય છે. [૩૪] જેમ મહા વૈભવશાળી ચાતુરન્ત અને ચક્રવર્તી ચૌદ રત્નોનો ધણી હોય છે તેવી જ રીતે બહુશ્રુત પણ ચૌદ પૂર્વેની વિદ્યાનો સ્વામી હોય છે. [૩પ૦] જેમ સહસ્ત્ર ચક્ષુ, વજપાણિ, પુરન્દર, ઇન્દ્ર, દેવોનો અધિપતિ હોય છે તેવીજ રૌતે બહુશ્રુત પણ હોય છે. [૩૫૧] જેમ અંધકાર નાશ કરનાર ઊગતો સૂર્ય તેજથી પ્રજ્વલિત લાગે છે તેવી જ રીતે બહુશ્રુત પણ તેજસ્વી હોય છે. [૩પ૨] જેમ નક્ષત્ર પરિવારથી ઘેરાયેલો નક્ષત્રાધિપતિ ચન્દ્ર પૂર્ણિમાએ પરિપૂર્ણ હોય છે તેવીજ રીતે બહુશ્રુત પણ જ્ઞાનાદિ કળાઓથી પરિપૂર્ણ હોય છે. [૩૫૪]જેમ સામાનિક વેપારીનાભંડાર સુરક્ષિત અને અનેક જાતના અનાજથી પરિપૂર્ણ હોય છે તેવી જ રીતે બહુશ્રુત પણ અનેક પ્રકારના શ્રતથી પરિપૂર્ણ હોય છે. [૩પ૪] “અનાદત' દેવનું “સુદર્શન’ નામનું જંબુ વૃક્ષ જેવી રીતે બધાં વૃક્ષોમાં શ્રેષ્ઠ હોય છે તેવી જ રીતે બહુશ્રુત બધા સાધુઓમાં શ્રેષ્ઠ હોય છે. [૩પપી જેમ નીલવંત પર્વતમાંથી નીકળેલી, જળથી ભરેલી, સમુદ્ર તરફ જતી સીતા નદી બધી નદીઓમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રુત પણ સર્વશ્રેષ્ઠ હોય છે. [૩પ૬ જેમ અનેક પ્રકારની ઔષધીથી દીપ્ત મહાન મેરુ પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે તેવી જ રીતે બહુશ્રત પણ બધા સાધુઓમાં શ્રેષ્ઠ છે. [૩પ૭ જેમ સદા અક્ષય જલપૂર્ણ સ્વયંભૂરમણસમુદ્ર અનેક રત્નોથી પરિપૂર્ણ છે તેમ જ બહુશ્રુત પણ અક્ષય જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. [૩પ૮] સમુદ્ર જેવો ગંભીર, કષ્ટરહિત, અવિચલિત, અપરાજેય, વિપુલ શ્રુતજ્ઞાન પૂર્ણ ત્રાતા એવા બહુશ્રુત મુનિ કમોનો ક્ષય કરીને ઉત્તમ ગતિ પામ્યા છે. [૩૫] મોક્ષનો શોધક મુનિ શ્રતનો આશ્રય લે થી તે પોતાને અને બીજાને પણ સિદ્ધિ પ્રાપ્ત કરાવી શકે. - એમ હું (તમને) કહું છું. અધ્યયન-૧૧- ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન ૧૨ હરિકેશીય) [૩૬૦-૩૬૧] હરિકેશબલ ચંડાલ કુલમાં જન્મ્યા હતા. છતાં જ્ઞાનાદિ ઉત્તમ ગુણોવાળા જિતેન્દ્રિય ભિક્ષુ હતા. ઇય, એષણા, ભાષા, ઉચ્ચાર, આદાનનિક્ષેપ આ પાંચ સમિતિઓ માટે યત્નશીલ સમાધિસ્થ સંયમી હતા. [૩૬૨-૩૬૩ મન, વાણી, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય મુનિ ભિક્ષા માટે યજ્ઞમંડપમાં ગયા ત્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. તપથી તેમનું શરીર કૃશ થયું હતું. તેમના સાધનો પણ જીર્ણ શીર્ણ- મલિન હતાં. આ સ્થિતિમાં મુનિને આવતા જોઈ અનાયોંએ તેમની હાંસી કરી. [૩૬૪-૩૬૯] જાતિના મદવાળા, હિંસક, અજિતેન્દ્રિય, અબ્રહ્મચારી અને અજ્ઞાની લોકોએ આમ કહ્યું. ભયંકર રૂપવાળો, કાળો, વિકરાળ, બેડોળ ચપટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy