SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ દસવેયાલિયં – ૪૪-૪૫ હું નિવૃત્ત થાઉં છું, તે પાપને આત્મસાક્ષીએ હું નિંદું છું. આપની પાસે તે પાપની ગહિં કરું છું અને હવેથી તેવા પાપકારી કર્મથી મારા આત્માને અળગો કરું છું. [૪૫] સંયત પાપથી વિરત અને તેવાં પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષુ કે ભિક્ષણી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં સૂતાં કે જાગતાં, કદીપણ બીજ૫૨ કિંવા બીજો૫ર રહેલી વસ્તુઓ પર, અંકૂરા ઉપર કે અંક્ાપર રહેલી વસ્તુઓ ૫૨, ઉગેલા ગુચ્છો પર કે ઉગેલા ગુચ્છપર રહેલી વસ્તુઓપર, છેદેલી સજીવ વનસ્પતિ ૫૨ અથવા તેના પર રહેલી વસ્તુઓપર અથવા જીવડાની ઉત્પત્તિ થાય તેવા કાષ્ઠપર ન જવું, ન ઉભા રહેવું, ન બેસવું કે ન સૂવું, તેમજ બીજા કોઈને તેના પર ચલાવવા નહિ, યાવત્ સુવાડવા નહિ, વળી જે કોઈ તેનાપર ચાલતો હોય, યાવત્ કે સૂતો હોય તો તે ઠીક કરે છે તેમ પણ માનવું નહિ. હે પૂજ્ય ! હું જીવન પર્યંત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ કરાવીશ નહિ, અનુમોદના પણ આપીશ નહિ, પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય, તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને અવગણું છું અને હવેથી તેવી પાપકારી પ્રવૃત્તિથી મારા આત્માને અળગો કરું છું. [૪૬] સંયત પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાનાં પ્રત્યાખ્યાન કરનાર સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે, એકાકી કે પરિષદમાં, સૂતાં કે જાગતાં, હાથ, પગ, બાંહ, સાથળ, ઉદર, મસ્તક, વસ્ત્ર, ભિક્ષાપાત્ર, કંબલ, પાદપૂંછનક, રજોહરણ, ગુચ્છા, માત્રા,નાભાજન, દંડ, બાજોઠ, પાટિયા, શય્યા, કે સંથારા, કે તેવા કોઇપણ અન્ય ઉપકરણો (સંયમના સાધનો) ઉપર રહેલા કીડાને, પતંગિયાને, કુંથવાને, કે કીડીને જુએ તો તેને ઉપયોગ પૂર્વક જુએ. જોઇને પ્રમાર્જન કરે અને પછી તે જીવોને (દુઃખ ન થાય તેવા) એકાંતમાં લઇ જાય પણ તેને પીડા ઉપજાવે નહિ. [૪૭-૫૨] અજ્યણાથી એટલે કે ઉપયોગ રહિત પણે ૧- ચાલનાર, ૨- - ઉભો રહેનાર, ૩- બેસના૨, - -૪ સૂઈજનાર, - -૫-ખાનાર, - -૬- બોલના૨ પ્રાણી અને ભૂતોની અર્થાત્ ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરે છે. તેનાથી પાપકર્મને બાંધે છે. જે તેના માટે કટુ ફળ વાળું થાય છે અર્થાત્ તેના અશુભ વિપાકો ભોગવવા પડે છે. [૫૩-૫૪] (હે ભગવંત) કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઊભા રહેવું ? કેવી રીતે બેસવું ? કેવી રીતે સૂવું ? કેવી રીતે ભોજન કરવું ? અને બોલવું ? જેથી પાપકર્મ ન બંધાય ? (જે સાધક) યતનાપૂર્વક (ઉપયોગ સહિત) ચાલનાર, ઊભા રહેનાર, બેસનાર, શયન કરનાર, ભોજન ક૨ના૨, અને બોલનાર હોય તે પાપકર્મ બાંધતો નથી. [૫૫] જે સર્વે જીવોને પોતાની સમાન સમજે છે અને સર્વ જીવોને પોતાની સમાન સમભાવથી દેખે છે. તેમ જ કર્મો આવવાના માર્ગને રોકે છે અને ઇંદ્રિયોનું દમન કરે છે તે પાપ કર્મનું બંધન કરતો નથી. [૫૬] પ્રથમ જ્ઞાન અને પછી દયા-ચારિત્ર છે. આ પ્રમાણે જ્ઞાનપૂર્વક દયા પાળવાથી સાધુ સર્વથા સંયમી રહી શકે છે. અજ્ઞાની જન શુ ક૨શે ? શું જાણશે ? પોતાને માટે શું હિતકારી કે શું અહિતકારી-પાપકારી છે, તે જાણી શકતો નથી. [૫૭] ધર્મનું શ્રવણ કરીને, સાધક કલ્યાણકારી શું છે ? પાપકારી શું છે ? અને પુણ્ય-પાપકારી શું છે ? તે બધું જાણી શકે છે અને તે પૈકી જે હિતાવહ હોય તે આચરે. [૫૮-૫૯] જે જીવને પણ જાણતો નથી તેમજ અજીવ [જડતત્ત્વને] પણ જાણતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy