SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ અધ્યયન-૪ નહિ તેમજ અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તે સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરે છે તે પાપને આત્મસાક્ષીએ નિંદું . આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કર્મથી આત્માને અલગ કરૂં છું. [૪૨] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર ભિક્ષ કે ભિક્ષુણી, તેણે દિવસ કે રાત્રે, એકાકી કે પરિષદૂમાં, સૂતાં કે જાગતાં કદી પણ કુવા-તળાવનું પાણી, ઓસનું પાણી, બરફ, ધુમસ, કરા કે લીલા છોડ ઉપર પડેલા બિન્દુઓ, વર્ષાનું પાણી કે સચિત્ત પાણીથી ભિંજેલી કાયા અથવા સચિત્ત પાણીથી ભિંજાયેલું વસ્ત્ર, પાણીના બિંદુઓથી સ્નિગ્ધ થયેલી કાયા અથવા સ્નિગ્ધ-ગિલું વસ્ત્ર હોય, તેને મસળવું નહીં, તેનો સ્પર્શ કરવો નહિ, તેને કચરવું નહિ, દબાવવું નહિ. ઝાટકવું નહિ, પછાડવું નહિ, સુકાવવું નહિ, તપાવવું નહિ, તેમજ અન્ય પાસે મસળાવવું નહિ, થાવતુ તપાવરાવવું નહિ, વળી બીજો કોઈ મસળતો હોય, યાવતુ તપાવતો હોય તે સારું કરે છે તેવું માનવું નહિ. હે પૂજ્ય ! હું જીવનપર્યન્ત મનથી, વચનથી અને કાયાથી તેવું કરીશ નહિ. કરાવીશ નહિ કે અનુમોદન પણ આપીશ નહિ. તથા પૂર્વકાળે તતુ સંબંધી જે પાપ થયું હોય તેનાથી પાછો ફરું છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદું છું. આપની સાક્ષીએ ગહણા કરું છું. તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અળગો કરું છું. [૪૩] સંયત, પાપથી વિરત અને નવા કર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર પછી તે સાધુ હો કે સાધ્વી હો, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં, સુતા કે જાગતાં, કદી પણ કાષ્ઠનો અગ્નિ, કોલસાના અંગારાનો અગ્નિ, બકરીની લીંડી વગેરેનો અગ્નિ, દીપ વગેરે શિખાનો, અગ્નિ, ઉંબાડાનો અગ્નિ, લોઢાનો અગ્નિ, ઉલ્કાપાત વિજળી, વગેરેનો અગ્નિ હોય, તે અગ્નિને વાયુથી વધારવો કે ઠારવો નહિ તેનું પરસ્પર સંઘટ્ટન કરવું નહિ, ધૂળ વગેરે નાખી તેને ભેદવો નહિ. કાષ્ઠ નાખી તેને સળગાવવો નહિ, કે ઓલવવો નહિ. બીજા પાસે વાયુથી વૃદ્ધિ કરાવવી નહિં, યાવતું ઠરાવવો નહિ, તેમજ બીજો કોઈ વાયુથી અગ્નિની વૃદ્ધિ કરતો હોય, યાવતું ઓલવતો હોય તો તે સારું કરે છે એમ પણ અનુમોદના આપવી નહિં. હે પૂજ્ય ! હું જીવન પર્યન્ત મનથી, વચનથી, કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિં તેમ જ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વ કાળે પણ તત્ સંબંધી જે કાંઈ પાપ થયું હોય તેનાથી હું નિવૃત્ત થાઉં છું. તે પાપને આત્મસાક્ષીએ નિંદુ છું. આપની સાક્ષીએ તે પાપને ધિક્કારું છું તથા હવેથી તેવા પાપકારી કાર્યથી મારા આત્માને અલગ કરું છું. [૪૪] સંયત, પાપથી વિરત અને નવા પાપકર્મ બાંધવાના પ્રત્યાખ્યાન લેનાર તે સાધુ કે સાધ્વી, તેણે દિવસે કે રાત્રે એકાકી કે પરિષદમાં સૂતા કે જાગતાં, કદી પણ સિત-ચામરથી, પંખાથી તાડના-પાંદડાંનાં પંખાથી. પાંદડાથી કે પાંદડાના કટકાથી, વૃક્ષની શાખાથી કે શાખાના કટકાથી, મોરપીંછથી કે મોરપીંછના હાથાથી, વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી, હાથથી કે મુખથી પોતાની કાયાને કે બહારના પુદ્ગલને ક મારવી નહિ કે વીંજણાથી વાયુ નાખવો નહિ, બીજા પાસે ફૂંક મરાવવી નહિં કે વીંજણાથી વાયુ વિંઝાવવો નહીં તેમજ ફેંકતા કે વિંઝતા ની અનુમોદના કરવી નહીં. હે પૂજ્ય ! હું જીવનપર્યન્ત મનથી, વચનથી કે કાયાથી તેવું કરીશ નહિ, કરાવીશ નહિ, તેમજ અનુમોદના પણ આપીશ નહિ. પૂર્વકાળે પણ તત્ સંબંધી જે કંઈ પાપ થયું હોય તેનાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy