SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૬૬૯ સાધુ નિમિત્તે ધોવાનું થતું નથી, માટે સાધુને લેવું કલ્પી શકે. [૬૬૯-૬૭૦] ગૃહસ્થ આહારાદિ વહોરાવતાં જમીન ઉપર છાંટા પાડે તે છર્દિતદોશવાળો આહાર કહેવાય. તેમાં સચિત્ત, અચિત્ત અને મીશ્રની ત્રણ ચતુર્વાંગી થાય છે. તે પૃથ્વીકાયાદિ છની સાથે ભાંગા ક૨તાં કુલ ૪૩૨ ભાંગા થાય છે. પહેલી ચતુર્થંગી ચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, મિશ્ર વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય, મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય. બીજી ચતુર્ભગી સચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ સચિત્તમાં વેરાય, સચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય ત્રીજી ચતુર્ભૂગી મિશ્ર વસ્તુ મિશ્રમાં વેરાય, અચિત્ત વસ્તુ મિશ્રમાં વેરાય, મિશ્ર વસ્તુ અચિત્તમાં વેરાય, અચિત્ત વસ્તુ અચિત્તમાં વેરાય. સચિત્ત પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વિકાયાદિના ૩૬ ભાંગા સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના ૩૬ ભાંગા ૧૩૯ કુલ ૧૪૪ ત્રણ ચતુર્ભગીના ૪૩૨ ભાંગા થાય. કોઇ પણ ભાંગામાં સાધુને ભિક્ષા લેવી કલ્પે નહિ. જો છર્દિત દોષવાળી ભિક્ષા ગ્રહણ કરે તો-૧ આજ્ઞાભંગ, ૨ અનવસ્થા, ૩ મિથ્યાત્વ, ૪ સંયમ વિરાધના, ૫ આત્મવિરાધના, ૬ પ્રવચન વિરાધના આદિ દોષો લાગે. એ જ રીતે ઉદ્દેશિકાદિ દોષવાળી ભિક્ષા લેવામાં પણ મિથ્યાત્ત્વાદિ દોષો લાગે તે સમજી લેવું. ગવેષણાના અને ગ્રહણએષણાના દોષો જણાવ્યા. હવે ગ્રાસ એષણાના દોષો[૬૭૧-૬૭૬] ગ્રાસએષણાના ચાર નિક્ષેપા છે-૧ નામ ગ્રાસએષણા, ૨ સ્થાપના ત્રાસએષણા, ૩ દ્રવ્ય ગ્રાસએષણા, ૪ ભાવ ગ્રાસએષણા. દ્રવ્ય ગ્રાસ એષણામાં મત્સ્યનું ઉદાહરણ, ભાવ ગ્રાસએષણા પાંચ પ્રકારે છે- નામ ગ્રાસએષણા-ગ્રાસએષણા એવું કોઇનું નામ હોય તે. સ્થાપના ગ્રાસએષણા-ગ્રાસએષણાની કોઇ આકૃતિ કરી હોય તે. દ્રવ્ય ગ્રાસએષણા-ત્રણ પ્રકારે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર. ભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. આગમભાવગ્રાસએષણા. નોઆગમભાવ ગ્રાસએષણા. આગમભાવ ગ્રાસએષણાગ્રાસ એષણાને જાણનાર અને તેમાં ઉપયોગવાળો. નોઆગમભાવ ગ્રાસએષણા-બે પ્રકારે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત-સંયોજનાદિ પાંચ દોષથી રહિત આહાર વાપરવો. અપ્રશસ્ત-સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણદોષવાળો આહાર વાપરવો. કોઇ એક માછીમાર માછલાં પકડવા માટે સરોવર ઉપર ગયો. ત્યાં જઇને કાંટામાં ગલમાંસનો ટુકડો ભરાવીને સરોવરમાં નાખ્યો. તે સરોવરમાં બુદ્ધિશાળી અને હોંશીઆર એક વૃદ્ધ માછલું રહેતું હતું. તે માછલું માંસની ગંધથી ત્યાં આવ્યું અને સાચવીને કાંટાની આજુબાજુ માંસ ખાઇ ગયું અને પછી પૂંછડાથી કાંટો હલાવીને આદું જતું રહ્યું. માછીમાર સમજ્યો કે માછલું પકડાયું છે એટલે કાંટો બહાર કાઢ્યો અને જોયું તો માછલું ન હતું અને માંસ પણ હતું નહિ. આ પ્રમાણે ત્રણવાર થયું. ત્રણ વાર તે માછલું માંસ ખાઈ ગયું. માછીમાર વિચારમાં પડ્યો કે આમ કેમ થાય છે ? ત્યાં તો માછલો બોલી ઉઠ્યો કે ‘હે માછીમાર ! તું શું વિચાર કરે છે ? મારૂં પરાક્રમ સાંભળ. એકવાર હું પ્રમાદમાં હતો, ત્યાં એક બગલાએ મને પકડ્યો. બગલો ભક્ષ ઉછાળીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy