SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પિંડનિસ્તુતિ -(૬૮) મહારાષ્ટ્ર, કોશલ આદિ નીચેના (દક્ષિણના) દેશોમાં જન્મેલા માણસો હંમેશા સૌવીર-ખાટું પાણી, દૂર-ભાત આદિ વાપરે છે અને જીંદગી સુધી કામ વગેરે કરી શકે છે, તો પછી જેમનું મન એક જ મોક્ષપ્રત્યે લાગેલું છે એવા સાધુઓ નિવહિ કેમ ન કરી શકે ?” સાધુ તો સારી રીતે આયંબીલ વગેરેથી ચલાવી શકે. સાધુઓને ઉપધિ, શવ્યા અને આહાર એ ત્રણે શીત-ઠંડા હોવાથી નિરંતર આયંબીલ કરવાથી આહારનું પાચન થાય નહિ, એટલે અજીર્ણ આદિ દોષો પ્રગટ થાય, જ્યારે ગૃહસ્થને તો સૌવીર, કૂર ખાવા. છતાં તેમના ઉપધિ શય્યા શીતકાળમાં પણ ઉષ્ણ-ગરમ હોવાથી તેમને ખોરાક પચી જાય છે, એટલે અજીર્ણ આદિ દોષો થવાનો સંભવ નથી. સાધુને તો આહાર, ઉપાધિ અને શય્યા ઉષ્ણકાલમાં પણ શીત હોય છે. ઉપધિનો વર્ષમાં એકવાર કાપ કાઢવામાં આવે, શય્યાને અગ્નિનો તાપ નહિ લાગવાથી અને આહાર પણ શીત હોવાથી હોજરી બરાબર પાચન ન કરી શકે, તેથી અજીર્ણ, ગ્લાનતાદિ થાય. આ માટે સાધુઓને છાસ આદિ લેવાનું કહેલું છે. છતાં પણ કહ્યું છે કે પ્રાયઃ સાધુઓએ વિગઈઓ ઘી, દૂધ, દહીં આદિ વાપર્યા સિવાય જ હંમેશા પોતાના શરીરનો નિવહ કરવો, કદાચ જ્યારે શરીર સારું ન હોય તો સંયમયોગની વૃદ્ધિ માટે અને શરીરની શક્તિ ટકાવવા માટે વિગઈ વાપરે. વિગઈ વાપરવામાં છાસ આદિ જ ઉપયોગી છે, તેથી તેનું ગ્રહણ કરવું તે સિવાયની વિગઈ તો ગ્લાનાદિ કારણે ગ્રહણ કરવી જોઈએ. કેમકે વિગઈ બહુ લેપવાળું દ્રવ્ય છે અને તે વાપરવાથી ગૃદ્ધિ થાય. લેપ વિનાના દ્રવ્યો- સુક્કા રાંધેલા ભાત આદિ, માંડા, જવનો સાથવો, અડદ, ચોળા, વાલ, વટાણા, ચણા, તુવેર વગેરે સર્વે સુકા હોય તે જે વાસણમાં ચોટે નહિ તે બધાં દ્રવ્યો. આમાં વાસણ નહિ ખરડાવાથી પાછળથી ધોવું પડે નહિ. અલ્પલેપવાળાં દ્રવ્યો- રાબડી, કોદ્રવ, છાસ સાથેના ભાત, રાંધેલા મગ, દાળ, વગેરે દ્રવ્યો. આમાં પશ્ચાત્કર્મ કદાચ થાય અને કદાચ ન થાય. બહુલેપવાળાં દ્રવ્યો-ખીર, દૂધ, દહીં, દૂધપાક, તેલ, ઘી, ગોળનું પાણી, વગેરે. જે દ્રવ્યોથી વાસણ ખરડાયેલું હોઈ આપ્યા પછી તે વાસણ અવશ્ય ધોવું પડે તેવાં દ્રવ્યો. પાપના ભયવાળા સાધુઓ બહુ લેપવાળાં દ્રવ્યો ગ્રહણ કરતા નથી. અપવાદ-પશ્ચાત્કર્મ થાય એમ ન હોય તે દ્રવ્ય લેવું કહ્યું. ખરડાએલા હાથ, ખરડાએલું ભાજન અને સવિશેષ દ્રવ્ય તથા નિરવશેષ દ્રવ્યના યોગે આઠ ભાંગા થાય છે. ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય ખરડાએલા હાથ નહિ ખરડાયેલું ભાજન સાવશેષ દ્રવ્ય, ખરડાએલા હાથ નહીં, ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય નહિ ખરડાએલા હાથ, ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ નહિ ખરડાયેલું ભાજન, સાવશેષ દ્રવ્ય, નહિ ખરડાએલા હાથ, નહિ ખરડાયેલું ભાજન નિરવશેષ દ્રવ્ય - આ આઠ ભાંગામાં ૧-૩-૫-૭માં ભાંગાનું લેવું કહ્યું. ૨-૪-૬-૮ માં ભાંગાનું લેવું કલ્પ નહિ. હાથ, પાત્ર, કે હાથ અને પાત્ર બને, ગૃહસ્થ સાધુને આવતાં પહેલાં તેના પોતાના માટે ખરડાએલા હોય પણ સાધુ માટે ન ખરડ્યા હોય, તેમાં પશ્ચાત્કર્મ હોતું નથી અને જેમાં દ્રવ્ય બાકી રહેતું હોય, તેમાં સાધુ માટે હાથ કે પાત્ર ખરડ્યું હોય તો પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy