SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૩૪૭ ૧૦૩ બીજા નહિ.” આથી તેઓ સમજે કે “આ તેજ સાધુ છે, ગંભીર હોવાથી પોતાની ઓળખાણ આપતા નથી.’ આ રીતે ગૃહસ્થો ભિક્ષા વધારે અને સારી આપે. પોતે વક્તા નહિ હોવા છતાં વક્તાપણું જણાવવાથી આત્મભાવક્રીત થાય. કોઈ પૂછે કે “હોંશીયાર વક્તા કહેવાય છે, તે તમો છો ?' તો કહે કે “શું ત્યારે ભીખારા ઉપદેશ આપતા હશે ?” અથવા તો કહે કે શું ત્યારે માછીમાર, ગૃહસ્થ, ભરવાડ, માંથું મુંડાવ્યું હોય અને કુટુંબી હોય તેઓ વક્તા હશે?” આ રીતે જવાબ આપે એટલે પૂછનાર તેમને જ વક્તા ધારી લે અને ભિક્ષા વધારે આપે. આ પણ આત્મભાવકીત કહેવાય. આ પ્રમાણે વાદી, તપસ્વી, નિમિત્તક વિષે પણ ઉપર મુજબ જવાબ આપે. અથવા આહારાદિના માટે લોકોને કહે કે અમે આચાર્ય છીએ, અમે ઉપાધ્યાય છીએ.” વગેરે. આ રીતે મેળવેલો આહાર આદિ આત્મભાવકીત કહેવાય છે. આવો આહાર સાધુને કહ્યું નહિ. પરદ્રવ્યકત- સાધુ માટે કોઇ આહારાદિ વેચાતો લાવીને આપે છે. તે સચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે, અચિત્ત વસ્તુ આપીને ખરીદ કરે કે મિશ્ર વસ્તુ આપીને ખરીદ કરે તે પદ્રવ્યકત કહેવાય. આ રીતે લાવેલો આહાર સાધુને કહ્યું નહિ. પરભાવકીત- જે ચિત્ર બતાવીને ભિક્ષા માગનારા આદિ છે તેઓ સાધુને માટે પોતાનું ચિત્ર આદિ બતાવીને વસ્તુ ખરીદે તે પરભાવીત છે. આ દોષમાં ત્રણ દોષો લાગે. કીત, અભ્યાત અને સ્થાપના. [૩૪૪-૩પ૦] પ્રામિત્વ એટલે સાધુ માટે ઉધારે લાવીને આપવું. ઉધારે લાવવાનું બે પ્રકારે. ૧ લૌકિક અને ૨ લોકોત્તર, લૌકિકમાં બહેન આદિનું દ્રષ્ટાંત અને લોકોત્તરમાં સાધુ સાધુઓમાં વસ્ત્ર વગેરેનું. કોશલ દેશના કોઈ એક ગામમાં દેવરાજ નામનો કુટુંબી રહેતો હતો. તેને સારિકા નામની પત્ની હતી. તથા સમસ્ત આદિ ઘણા પુત્રો અને સમ્મતિ આદિ ઘણી પુત્રીઓ હતી. બધાએ જૈનધર્મી હતા. તે ગામમાં શિવદેવ નામના શેઠ હતા. તેમને શિવા નામની જાય હતી. તે શેઠ દુકાને બધી વસ્તુઓ રાખતા અને વેપાર કરતા હતા. એક વાર તે ગામમાં શ્રી સમુદ્રઘોષ નામના આચાર્ય શિષ્યો સાથે પધાર્યા. બધા ધર્મ સાંભળતા, તેમના ઉપદેશથી સમ્મત નામના પુત્રે આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. સમ્મત સાધુ ગીતાર્થ બન્યા. પોતાના કુટુંબનું કોઈ દીક્ષા લે તો સારું, એ જ ખરો ઉપકાર છે. આ ભાવનાથી આચાર્ય ભગવંતની આજ્ઞા લઈને પોતાના ગામમાં આવ્યા. ત્યાં કોઇને પૂછ્યું કે “દેવશમાં કુટુંબનું કોઈ છે ખરૂં?' તે માણસે કહ્યું કે તેમના ઘરના બધા ગુજરી ગયા છે, માત્ર સમ્મતિ નામની વિધવા પુત્રી અમુક સ્થાને રહે છે.” સાધુ બહેનના ઘેર આવ્યા. ભાઈ મુનિને આવેલા જોઈ બહેનને ખૂબ આનંદ થયો અને ઉતરવાનું સ્થાન આપ્યું. પછી સાધુ નિમિત્તે રસોઈ કરવા જતી હતી ત્યાં મુનિએ નિષેધ કર્યો કે “અમારા માટે કરેલું અમોને કો નહિ.” સમ્મતિ પાસે પૈસા નહિ હોવાથી શિવદેવ શેઠની દુકાનેથી દિવસે દિવસે ડબલ આપવાની કબુલાત કરી બે પળી તેલ લાવી સાધુને વહોરાવ્યું. ભાઈ મુનિએ તે નિર્દોષ ધારીને ગ્રહણ કર્યું. સાધુ પાસે ધર્મ સાંભળવા વગેરના કારણે બીજાનું કામ કરવા જઈ શકી નહિ. બીજે દિવસે ભાઈ મુનિએ વિહાર કર્યો. એટલે તેમને વોળાવા ગઈ અને ઘેર આવતા તેમના વિયોગના દુઃખે બીજે દિવસે પણ પાણી ભરવા વગેરેનું બીજાનું કામ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy