SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -૩૨૫ ૧૦૧ બનાવવા તે પ્રાકૃતિકા કહેવાય. આ પ્રાભૃતિકા બે પ્રકારની છે. બાદર અને સૂક્ષ્મ. તે બન્નેના બબ્બે ભેદ છે. અવસર્ષણ એટલે વહેલું કરવું અને ઉત્સર્ષણ એટલે મોડું કરવું. તે સાધુ સમુદાય આવેલ હોય કે આવવાના હોય તે કારણથી પોતાને ત્યાં લીધેલ લગ્નાદિ પ્રસંગ મોડો આવતો હોય તો વહેલો કરવો અને વહેલો આવતો હોય તો મોડો કરવો. બાદર અવસર્પણ- સાધુસમુદાય વિહાર કરતા પોતાના ગામ આવ્યા. શ્રાવક વિચાર કરે કે “સાધુ મહારાજ થોડા દિવસમાં વિહાર કરીને પાછા જતા રહેશે, તો મને લાભ મળશે નહિ. માટે મારા પુત્ર-પુત્રીના વિવાહ વહેલાં કરૂં. જેથી વહોરાવવાનો લાભ મળે. આમ વિચાર કરી વિવાહ વહેલો કરે. તેમાં જે રસોઇ વગેરે બનાવવામાં આવે તે સાધુને કલો નહિ. બાદર ઉત્સર્પણ- સાધુ મોડા આવવાની ખબર પડે એટલે વિચારે કે વિવાહ થઈ ગયા પછી મને કાંઈ લાભ મળશે નહિ માટે વિવાહ મોડા કરૂં, જેથી મને ભિક્ષા આદિનો લાભ મળે.’ આમ સમજી લગ્ન મોડા રાખે. તેમાં જે રસોઈ બનાવવામાં આવે તે સાધુને કહ્યું નહિ. સૂક્ષ્મ અવસર્પણ-કોઈક સ્ત્રી કાંતતી હોય, ખાંડતી હોય કે કોઈ કામ કરતી હોય, ત્યારે બાળક રોતું રોતું ખાવા માગે ત્યારે તે સ્ત્રી બાળકને કહે કે હમણાં હું આ કામ કરે છું, તે થયા પછી તને ખાવા આપીશ, માટે રડ નહિ.” આ સમયે ગોચરી માટે આવી પહોંચેલા સાધુ સાંભળે, તો તે ઘેર ગોચરી જાય નહિ. કેમકે જો તે જાય તો તે સ્ત્રી ગોચરી આપવા ઉઠે અને સાધુ તે ગોચરી લે તો સૂક્ષ્મ અવસર્પણ પ્રાભૃતિકા નામનો દોષ લાગે. આમાં છોકરાને મોડું આપવાનું હતું તે સાધુને માટે આહાર આપવા સ્ત્રી ઉઠે, સાધુને વહોરાવીને તે બાળકને પણ ખાવા આપે એટલે વહેલું થયું. પછી હાથ વગેરે ધોઈને કામ કરવા બેસે, આથી હાથ ધોવા વગેરેનો આરંભ સાધુ નિમિત્તે થાય અથવા સાધુએ સાંભળ્યું ન હોય અને એમને એમ ગયા ત્યાં બાળક બોલે કે કેમ! તું પછી કહેતી હતી ને વહેલી ઉઠી ?” ત્યાં સૂક્ષ્મ અવસર્પણ સમજી સાધુએ લેવું નહિ. તેવા ઘેર સાધુ ભિક્ષા માટે જાય નહિ. સૂમ ઉત્સર્પણ- ભોજન માગતાં બાળકને કોઈ સ્ત્રી કહે કે હમણાં ચૂપ રહે, સાધુ ફરતાં ફરતા અહીં ભિક્ષાએ આવશે ત્યારે ઉઠીશ એટલે તને ખાવા આપીશ.” આ સાંભળીને પણ ત્યાં સાધુ જાય નહિ. આમાં વહેલું આપવાનું હતું તે સાધુના નિમિત્તે મોડું થાય છે અને સાધુના નિમિત્તે આરંભ થાય છે. સાધુએ સાંભળ્યું ન હોય અને બાળક સાધુની આંગળી પકડી પોતાના ઘેર લઈ જવા માગે, સાધુ એને રસ્તામાં પૂછે. બાળક સરળપણે ઉપલી વાત કહે. ત્યાં સૂક્ષ્મ ઉત્સર્પણ પ્રાભૃતિકા દોષ સમજી સાધુએ ભિક્ષા લેવી નહિ. [૩૨૬-૩૩૩ સાધુને વહોરાવવા માટે પ્રકાશ કરીને વહોરાવવું તે પ્રાદુષ્કરણદોષ. પ્રાદુષ્કરણ બે પ્રકારે. ૧. પ્રકટ કરવું અને ૨. પ્રકાશ કરવો. પ્રકટ કરવું એટલે, આહારાદિ અંધારામાંથી લઈને અજવાળામાં મૂકવા. પ્રકાશ કરવો એટલે, રાંધવાનું કે જે સ્થાન હોય ત્યાં જાળી, બારણું આદિ મૂકીને અજવાળું આવે તેવું કરવું. તથા રત્ન, દીવો, જ્યોતિ વડે કરીને અજવાળું કરવું કે અજવાળુ કરીને અંધારામાં રહેલી વસ્તુને બહાર લાવવી. આ રીતે પ્રકાશ કરીને આપવામાં આવતી ગોચરી સાધુને કલો નહિ. પરંતુ જો ગૃહસ્થ પોતાના માટે પ્રકટ કરી હોય કે પ્રકાશ કર્યો હોય તો સાધુને તે ભિક્ષા કલ્પી શકે. પ્રાદુષ્કરણદોષવાળી ગોચરી કદાચ અજાણ્યે આવી ગઈ હોય અને પછી ખબર પડે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy