SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ દેવિંદFઓ- [૨] હોય છે. અને તેનાથી ત્રણ ગણી અધિક પરિધિ હોય છે તેમ જાણવું [૯૨-૯૩]ચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન ૧૬૦૦૦ દેવ કરે છે, ગ્રહ વિમાનોનું વહન ૮000 દેવ કરે છે. નક્ષત્ર વિમાનોનું વહન 8000 દેવ કરે છે અને તારા વિમાનોનું વહન ૨000 દેવ કરે છે. તે દેવ પૂર્વમાં સિંહ, દક્ષિણમાં મહાકાય હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે. [૯૪-૯૬]ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારા એક એક થી તેજ ગતિએ ચાલે છે. ચંદ્રની ગતિ સૌથી ઓછી અને તારાની ગતિ સૌથી તેજ છે. એ પ્રમાણે જ્યોતિષ્ક દેવની ગતિ વિશેષ જાણવી. ઋદ્ધિમાં તારા-નક્ષત્ર-ગ્રહ-સૂર્ય અને ચંદ્ર એક-એક કરતા વધારે ઋદ્ધિવાન જાણવા. [૯૭-૧૦૦] બધાંની અંદર અભિજિત નક્ષત્ર છે, બધાંની બહાર મૂળ નક્ષત્ર છે. ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નીચે ભરણી નક્ષત્ર છે. નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બધાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સૂર્યની બરાબર નીચે અને ઉપર તારા હોય છે. તારાઓનું પરસ્પર જઘન્ય અંતર ૫૦૦ ધનુષ અને ઉત્કૃષ્ટ અંતર ૪૦૦૦ ધનુષ (બે ગાઉ) હોય છે. વ્યવધાનની અપેક્ષાએ તારાઓનું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ થી ૧૨૨૪૨ યોજન કહેવાયું છે. (૧૦૧-૧૦૪]આ ચંદ્રયોગ ની ૬૭ ખંડિત અહોરાત્રિ, ૯ મુહૂર્ત અને ૨૭ કળા હોય છે. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નક્ષત્ર ૧૫ મુહૂર્ત સંયોગવાળા છે. ત્રણે ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્ર ચંદ્રમાં સાથે ૪૫ મુહૂર્ત નો સંયોગ કરે છે. બાકી પંદર નક્ષત્ર ચંદ્રમાં સાથે ૩૦ મુહૂર્તનો સંયોગ કરે છે આ રીતે ચંદ્રમાં સાથે નક્ષત્રનો યોગ જાણવો. [૧૦પ-૧૦૮અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્રી અને છ મુહૂર્ત એક સાથે ગમન કરે છે. એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા આ છ નક્ષત્ર છ અહોરાત્રિ અને ૨૧ મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. ત્રણ ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છ નક્ષત્ર ૨૦ અહોરાત્રિ અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. બાકીના ૧૫ નક્ષત્ર ૧૩ અહોરાત્રિ અને ૧૨ મુહૂર્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે. [૧૦૯-૧૨૬]બે ચંદ્ર, બે સૂર્ય, પદ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ એ બધાં જંબુદ્વિીપ ઉપર વિચરણ કરે છે. ૧૩૩૯૫૦ કોડાકોડી તારાગણ જંબુદ્વીપ માં હોય છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪- સૂર્ય ૧૧૨ નક્ષત્ર અને ૩પર પ્રહ ભ્રમણ કરે છે. ધાતકી ખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય ૩૩૬ નક્ષત્ર, ૧૦૫૬ ગ્રહ અને ૮૦૩૭૦૦ કોડાકોડી તારાગણ હોય છે. કાલોદધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય ૧૧૭૬ નક્ષત્ર, ૩૯૬ ગ્રહો અને ૨૮૧૨૯૫૦ કોડાકોડીં તારાગણ હોય છે. એ જ રીતે પુખરવરદ્વીપ માં ૧૪ ચંદ્ર, ૧૪ સૂર્ય, ૪૦૩૨ નક્ષત્ર, ૧૨૬૩૨ ગ્રહ ૯૬,૪૪૦૦ કોડાકોડી તારાગણ વિચરણ કરે છે. અર્ધપુષ્કરવરદ્વીપ માં તેનાથી અડધા અર્થાત્ ૭ર ચંદ્ર, ૭૨ સૂર્ય આદિ વિચરણ કરે છે. આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩૨ ચંદ્ર, ૧૩૨ સૂર્ય, ૧૧૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નક્ષત્ર અને ૮૮૪૦૭૦૦ કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશીત કરે છે. [૧૨૭-૧૨૯] સંક્ષેપ થી મનુષ્ય લોકમાં આ નક્ષત્ર સમૂહ કહ્યો. મનુષ્ય Jain Education International For Private & Personal Use Only... www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy