SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ દેવિંદથઓ- [૪૨] ૩૪ લાખ, નાગકુમારના ૪૪ લાખ, સુવર્ણકુમારના ૪૮ લાખ, તેમજ દ્વિીપ, ઉદધિ, વિદ્યુત નિત અને અગ્નિકુમારના ૪૦-૪૦ લાખ અને વાયુકુમારના પ૦ લાખ ભવન હોય છે. ઉત્તરદિશા તરફ અસુરકુમારના ૩૦ લાખ, નાગકુમારના ૪૦ લાખ, સુવર્ણકુમારના ૩૪ લાખ, વાયુકુમારના ૪૬ લાખ, તેમજ દ્વીપ, ઉદધિ, સ્વનિત, અગ્નિકુમારના ૩૬-૩૬ લાખ ભવનો છે. [૪૩-૪૫]બધાં ભવનપતિ અને વૈમાનિક ઈન્દ્રોની ત્રણ પર્ષદા હોય છે. એ બધાના ત્રાયઅિંશક, લોકપાલ અને સામાનિક દેવ હોય છે અને ચાર ગણા અંગરક્ષક દેવ હોય છે. દક્ષિણ દિશાના ભવન પતિના ૬૪000 અને ઉત્તર દિશાના ભવનપતિના ૬0000 વાણવ્યંતરોના ૬૦૦૦ અને જ્યોતિષ ઈન્દ્રોના ૪૦૦૦ સામાનિક દેવ હોય છે. એ જ રીતે ચમરેન્દ્ર અને બલિન્દ્રની પાંચ અગ્રમહિષી અને બાકીના ભવનપતિની છ અગ્રમહિષી હોય છે. [૪-૫૦]એ રીતે જંબૂદીપમાં બે, માનુષોત્તર પર્વત્તમાં ચાર, અરુણ સમુદ્રમાં છ અને અરૂણ દ્વીપ માં આઠ એ રીતે ભવનપતિના આવાસ છે. જે નામના સમુદ્ર કે દ્વીપમાં તેમની ઉત્પત્તિ થાય છે. અસર, નાગ અને ઉદધિ કુમારોના આવાસ અણવર સમુદ્રમાં હોય છે અને તેમાં જ તેની ઉત્પત્તિ થાય છે. દ્વીપ-દિશા-અગ્નિ અને સ્વનિત કુમારોના આવાસ અણવર દ્વીપ માં હોય છે અને તેમાં જ તેમની ઉત્પત્તિ થાય છે. વાયુકુમાર-સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોયછે. હરિહરિસ્સહ દેવોના આવાસ વિધુત્રભ અને માલ્યવંતપર્વતો પર હોય [પ૧-૬૫)હે સુંદરી આ ભવનપતિ દેવોમાં જેનું જે બળ-વીર્ય પરાક્રમ છે તેનું યથાક્રમથી આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું. અસુર અને અસુરકન્યા દ્વારા જે સ્વામિત્વનો વિષય છે તેનું ક્ષેત્ર જંબુદ્વીપ અને અમરેન્દ્રની ચમચંચા રાજધાની સુધી છે. આ જ સ્વામિત્વ બલિ અને વૈરોચન માટે પણ સમજવું. ધરણ અને નાગરાજ જબૂદ્વીપને ફેણ દ્વારા આચ્છાદિત કરી શકે છે. તે જ રીતે ભૂતાનંદ માટે પણ જાણવું. ગરુડેન્ટ અને વેણુદેવ પાંખ દ્વારા જંબુદ્વીપ ને આચ્છાદિત કરી શકે છે. તે જ અતિશય વેણદાલીનો પણ જાણવો. જલકાંત અને જલપ્રભ એક જલતરંગ દ્વારા જંબુદ્વીપને ભરી દઈ શકે છે. અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબુદ્વીપને કંપાવી શકે છે. વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા , આખા જંબુદ્વીપને ભરી શકે છે. હે સુંદરી ! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દ થી જંબુદ્વીપને બહેરો કરી શકે છે. હરિ અને હરિસ્સહ એક વિદ્યુત થકી આખા જંબુદ્વિપ ને પ્રકાશિત કરી શકે છે. અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જવાળાથી આખા જંબુદ્વીપ ને બાળી શકે છે. હે સુંદરી તિછલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ-સમુદ્રોને અવગાહી શકે છે. કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબુદ્વીપ ને ડાબા હાથે છત્રની જેમ ધારણ કરી શકે છે અને મેરુપર્વતને પણ પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે. કોઈ એક શક્તિશાળી ઈન્દ્ર જબુદ્વીપ ને છત્ર અને મેરુપર્વતને દંડ બનાવી શકે છે. આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy