SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૭૦ ૮૧ જાણી શકાય છે. તેમજ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ-આ નવ તત્ત્વોને પણ બુદ્ધિમાન પુરૂષો શ્રુતજ્ઞાન વડે જાણી શકે છે. તેથી જ્ઞાન એ ચારિત્રનો હેતુ છે, [૭૧]જાણેલા દોષોનો ત્યાગ થાય છે, અને જાણેલા ગુણોનું સેવન થાય છે, એટલે કે ધર્મના સાધનભૂત એ બન્ને વસ્તુ જ્ઞાન દ્વારા જ સિદ્ધ થાય છે. [૭૨]જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર (ક્રિયા) અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. પરંતુ (ક્રિયા) સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. [9]જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન ન બની શકે. [૭૪]અસંયમ અને આજ્ઞાનદોષથી ઘણા ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મ મલને જ્ઞાની ચારિત્રના પાલન વડે સમૂલ ખપાવી નાંખે છે. [૭૫]શસ્ત્ર વિનાનો એકલો સૈનિક, કે સૈનિક વિનાના એકલા શસ્રોની જેમ જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચારિત્ર વિનાનું જ્ઞાન મોક્ષ સાધક બનતું નથી. [૭૬]મિથ્યાદષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્રના ગુણો હોતા નથી, ગુણ વિના સંપૂર્ણક્ષય રુપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય-મોક્ષ વિના નિર્વાણ-પરમ શાંતિનો અનુભવ થતો નથી. [૭૭]જે જ્ઞાન છે, એ જ કરણ-ચારિત્ર છે, જે ચારિત્ર છે, એ જ પ્રવચનનો સાર છે. અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે. એમ જાણવું. [૭૮]પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરૂષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓ જ પુરાતન-જીનાં કર્મોનો ક્ષય કરે છે. · [૭૯]જ્ઞાનથી સમ્યક્ ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન -આત્મસાત્ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્યગ્ ક્રિયાના યોગથી ભાવ ચારિત્ર ની વિશુદ્ધિ થાય છે. [૮૦]જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે આ રીતે જ્ઞાન, તપ અને સંયમ-ત્રણેના યોગથી જિન શાસનમાં મોક્ષ કહ્યો છે. [૮૧]જગતના લોકો ચન્દ્રની જેમ બહુશ્રુત-મહાત્મા પુરૂષના મુખને વારંવાર જુએ છે. એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્ય કા૨ક અને અતિશય સુંદર કયી વસ્તુ છે ? [૮૨] ચન્દ્રથી જેમ શીતલ -જ્યોત્સ્ના-નિકળે છે, અને તે સર્વ લોકોને આનંદિત-આલ્હાદિત કરે છે. એમ ગીતાર્થ-જ્ઞાની પુરૂષોના મુખથી ચંદન જેવા શીતલ જિનવચનો નિકળેછે, જે સાંભલીને મનુષ્યો ભવાટવીનો પાર પામીજાય છે. [૮૩] દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતાં ખોવાતી નથી તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. [૮૪]જેમ દોરા વિના સોય નજરમાં નહિં આવતાં ખોવાઈ જાય છે. તેમ સૂત્ર-શાસ્ર બોધ વિના મિથ્યાત્વથી ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. [૮૫]શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું યથાર્થદર્શન થવાથી, તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ-સદ્ગતિ અને સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે. Jain Edation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy