SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પર તંદુલવેયાલિય – [૧૦૨] ૧૬૦ શિરા નાભિથી નીકળી નીચે તરફ જઈ ગુદાને મળે છે. અને નિરુપઘાતથી મળ-મૂત્ર, વાયુ ઉચિત માત્રામાં થાય છે. અને ઉપઘાતથી મળ-મૂત્ર-વાયુ નો નિરોધ થતા મનુષ્ય ક્ષુબ્ધ બને છે અને પંડુ નામક રોગ થાય છે. હે આયુષ્યમાન્ ! કફ ધારક ૨૫ શિરા, પિત્ત ધા૨ક ૨૫ શિરા અને વીર્ય ધારક ૧૦ શિરા હોય છે. પુરુષને ૭૦૦ શિરા, સ્ત્રીને ૬૭૦ શિરા અને નપુંસકને ૬૮૦ શિરા હોય છે. હે આયુષ્યમાન્ ! આ માનવ શરીરમાં લોહીનું વજન એક આઢક, વસાનું અડધું આઢક, મસ્તુલિંગનું એક પ્રસ્થ, મૂત્રનું એક આઢક, પુરીસનું એક પ્રસ્થ પિત્તનું એક કુડવ, કફનું એક કુડવ, શુક્રનું અડધું કુડવ પરિમાણ હોય છે. તેમાં જે દોષયુક્ત હોય છે તેમાં તે પરિમાણ અલ્પ હોય છે. પુરુષના શરીરમાં પાંચ કોઠા અને સ્ત્રીના શરીરમાં છ કોઠા હોય છે. પુરુષને નવ સ્રોત અને સ્ત્રીને ૧૧-સ્રોત હોય છે પુરુષને ૫૦૦ પેશિ, સ્ત્રીને ૪૭૦ પેશી અને નપુંસક ને,૪૮૦ પેશી હોય છે. [૧૦૩-૧૦૫]કદાચ જો શરીરનું અંદરનું માંસ પરિવર્તન કરીને બહાર કરી દેવાય તો તે અશુચિ ને જોઈને માતા પણ ઘૃણા કરવા માંડે, .. મનુષ્યનું શરીર માંસ, શુક્ર, હાડકાથી અપવિત્ર છે. પણ આ વસ્ત્ર, ગંધ અને માળા દ્વારા આચ્છાદિત હોવાથી શોભે છે. આ શરીર ખોપરી, ચરબી, મજ્જા, માંસ, હાડકાં, મસ્તુલિંગ, લોહી, વાલુંડક, ચર્મકોશ, નાકનોમેલ અને વિષ્ઠાનું ઘર છે. આ ખોપરી-નેત્ર, કાન, હોઠ, કપાળ, તાળવું વગેરે અમનોજ્ઞ મળથી યુક્ત છે. હોઠનો ઘેરાવો અત્યંત લાળ થી ચીકણો, મોઢું પસીનાવાળું, દાંત મળથી મલિન, જોવામાં બીભત્સ છે. હાથ-આંગળી, અંગુઠા, નખના સાંધા થી જોડાયેલ છે. આ અનેક તરલ-આવનું ઘર છે. આ શરીર ખભાની નસ, અનેક શિરા અને ઘણાં સાંધાથી બંધાયેલું છે. શરીરમાં ફૂટેલા ઘડા જેવું કપાળ, સુકાવૃક્ષની કોટર જેવું પેટ, વાળવાળો અશોભનીય કુથિપ્રદેશ, હાડકાં અને શિરાના સમૂહથી યુક્ત તેમાં સર્વત્ર અને બધી તરફ રોમકૂપોમાંથી સ્વભાવથી જ અપવિત્ર અને ઘોર દુર્ગંધ યુક્ત પરસેવો નીકળી રહ્યો છે. તેમાં કલેજું, આંતરડા, પિત્ત, હૃદય, ફેફસા, પ્લીહા, ફુપ્ફુસ, ઉંદર એ ગુપ્ત માંસપિંડ અને મળસ્રાવક નવ છિદ્ર છે. તેમાં ધક્ અવાજ કરતું હૃદય છે. તે દુર્ગંધ યુક્ત પિત્ત, કફ, મૂત્ર અને ઔષધિનું નિવાસ સ્થાન છે. ગુહ્ય પ્રદેશ, ગોઠણ, જંઘા અને પગના જોડથી જોડાયેલ, માંસગંધથી યુક્ત અપવિત્ર અને નશ્વર છે. આ રીતે વિચાર કરતા અને તેનું બીભત્સ રૂપ જોઈને એ જાણવું જોઈએ કે આ શરીર અધ્રુવ, અનિત્ય, અશાશ્વત, સડન-ગલન અને વિનાશ ધર્મી તથા પહેલા કે પછી અવશ્ય નષ્ટ થનાર છે. આદિ અને અંત વાળું છે. બધાં મનુષ્યોનો દેહ આવો જ છે. [૧૦૬-૧૦૮] માતાની કુક્ષિમાં શુક્ર અને શોણિત માં ઉત્પન્ન તે જ અપવિત્ર રસને પીતો નવ માંસ ગર્ભમાં રહે છે. યોનિમુખથી બહાર નીકળ્યો, સ્તન પાનથી વૃદ્ધિ પામ્યો, સ્વભાવથી જ અશુચિ અને મળ યુક્ત એવા આ શરીરને કઈ રીતે ધોવું શકય છે? અરે ! અશુચિમાં ઉત્પન્ન અને જયાંથી તે મનુષ્ય બહાર નીકળેલ છે. કામક્રીડાની આકિત થી તે જ અશુચિ યોનિ માં રમણ કરે છે. [૧૦૯-૧૧૨]પછી અશુચિ થી યુક્ત સ્ત્રીના કટિભાગ ને હજારો કવીઓ દ્વારા અશ્રાન્ત ભાવથી વર્ણન કેમ કરાય છે. ? તેઓ આ રીતે સ્વાર્થવશ મૂઢ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy