SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ તંદુલયાલિય- [૩] [3]કોઈ પાપાત્મા અશુચિ પ્રસ્ત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટ થી ૧૨-વર્ષ સુધી રહે છે [૩૭-૪૨]જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિ મુખથી બહાર નીકળે છે. ગર્ભગૃહમાં જીવા કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મળ-મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે. જેમ વિષ્ઠામાં કૃમિ ઉત્પન્ન થાય છે તે જ રીતે પુરુષ ના પિત, કફ, વીર્ય, લોહી અને મૂત્ર વચ્ચે જીવ ઉત્પન્ન થાય છે. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહ માં થઈ હોય. અશુચિથી ઉત્પન્ન અને હંમેશા દુર્ગધ યુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશા શુચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? [૪૩-૫૭]હે આયુષ્યમાનું ! આ પ્રકારે ઉત્પન્ન જીવની કમથી દશ દશા કહી. છે. તે આ પ્રમાણે- બાલા, કીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પ્રપંચા, પ્રભારા, મુન્દુખી અને શાયની જીવનકાળની આ દશ અવસ્થા કહેલી છે. – જન્મ થતા જ તે જીવ પ્રથમ અવસ્થા પામે છે. તેમાં અજ્ઞાનતા ને લીધે સુખ-દુઃખ અને ભુખને જાણતો નથી. બીજી અવસ્થા માં તે વિવિધ કીડા દ્વારા ક્રીડા કરે છે. તેની કામ ભોગ માં તીવ્ર મતિ ઉત્પન થતી નથી. જ્યારે તે ત્રીજી અવસ્થા પામે છે. ત્યારે પાંચ પ્રકારના ભોગો ભોગવવા નિક્ષે સમર્થ થાય છે. ચોથી બલા નામની અવસ્થામાં મનુષ્ય કોઈ તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ બને છે. પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે. અને પરિવારને પામે છે. છઠ્ઠી “હાયની” અવસ્થામાં તે ઈન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પ્રતિ વિરકત થાય. સાતમી પ્રપંચા દશામાં તે સ્નિગ્ધ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાંસતો રહે છે. સંકુચિત થયેલી પેટની ચામડી વાળો આઠમી અવસ્થામાં તે સ્ત્રીઓને અપ્રિય થાય છે. અને વૃદ્ધાવસ્થામાં પરિણમે છે. નવમી મનુખ દશામાં શરીર વદ્ધાવસ્થા થી આક્રાન્ત થઈ જાય છે અને કામવાસના થી રહિત થાય છે. દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે અને સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ ભ્રાન્તચિત્ત, દુર્બળ અને દુઃખદ અવસ્થા પામે છે. દશવર્ષની ઊંમર દૈહિક વિકાસની, વીસ વર્ષની ઊંમર વિદ્યા પ્રાપ્તિની ત્રીસ સુધી વિષય સુખ અને ચાલીસ વર્ષ સુધીની ઊંમર વિશિષ્ટ જ્ઞાનની હોય છે. પચાસે આંખની દષ્ટિ ક્ષીણ થાય, સાઠે બાહુબળ, ઘટે, એસીમાં વર્ષની ઊંમરે આત્મ ચેતના ક્ષીણ થાય, નેવુની ઊંમર સુધીમાં શરીર વળી જાય અને સોમાં વર્ષે જીવન પૂર્ણ થાય. આમાં સુખ કેટલું-દુઃખ કેટલું? [૫૮-કરજે સુખ પૂર્વક ૧૦૦ વર્ષ જીવે અને ભોગોને ભોગવે છે. તેના માટે પણ જિનભાષિત ધર્મનું સેવન શ્રેયસ્કર છે. જે નિત્ય દુઃખી અને કષ્ટપૂર્ણ અવસ્થામાં જ જીવન જીવે છે તેના માટે શ્રેષ્ઠ શું ? તેને જીતેન્દ્ર દ્વારા ઉપદેશિત શ્રેષ્ઠતર ધર્મનું પાલન કરવું તે જ કર્તવ્ય છે. સાંસારિક સુખ ભોગવતો તે એમ વિચારી ધર્માચરણ કરે કે મને ભવાંતરમાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થશે. દુઃખી એમ વિચારી ધર્માચરણ કરે કે ભવાંતરમાં મને દુઃખ પ્રાપ્ત ન થાય. નર કે નારીને જાતિ, ફળ, વિદ્યા અને સુશિક્ષા પણ સંસારથી પાર ઉતારતી નથી. આ બધું તો શુભ કમોંથી જ વૃદ્ધિને પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy