SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા = ૧૪૪ ૪૧ [૧૪૪]સારી રીતે શોધવા છતાં જેમ કેળના ગર્ભમાં કોઈ ઠેકાણે સાર નથી. તેમ ઈંદ્રિયોના વિષયોમાં ઘણું શોધમાં છતાં સુખ મલતું નથી. [૧૪૫]શ્રોત્ર ઈંદ્રિય વડે પરદેશ ગએલા સાર્થવાહની સ્ત્રી, ચક્ષુના રાગવડે મથુરાનો વાણિયો, પ્રાણને વશે રાજપુત્ર અને જીહવા ૨સે સોદાસ રાજા હણાયો. [૧૪૬]સ્પર્શઈંદ્રિયવડે દુષ્ટ સોમાલિકાનો રાજા નાશ પામ્યો; એકૈક વિષયે તે જો નાશ પામ્યા તો પાંચેઈંદ્રિયોમાં આસક્ત હોય તેનું શું ? [૧૪૭]વિષયની અપેક્ષા કરનારો જીવ દુસ્તર ભવ સમુદ્રમાં પડે છે, અને વિષયી નિરપેક્ષ હોય તે ભવસમુદ્રને તરે છે. (આ ઉપર) રત્નદ્વીપની દેવીને મળેલા (જિનપાલિત અને જિનરક્ષિત નામના) બે ભાઈઓનું દૃષ્ટાંત કહ્યું છે. [૧૪૮]રાગની અપેક્ષા રાખનારા જીવો ઠગાયા છે અને રાગની અપેક્ષા વિનાના વિઘ્ન વિના (ઈચ્છિતને) પામ્યા છે, પ્રવચનના સારને પામેલા જીવોએ રાગની અપેક્ષા વિનાના થવું. [૧૪૯]વિષયમાં આસક્તિ રાખતા જીવો ઘોર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયોમાં આસક્તિ વિનાના જીવો સંસારરૂપી અટવીને ઓળંગી જાય છે. [૧૫૦]તેથી હે ધી૨ પુરૂષ ! ધીરજરૂપી બળવડે દુર્દત (દુ:ખે દમાય તેવા) ઈંદ્રિયોરૂપ સિહોને દમ, તેથી કરીને અંતરંગ વૈરીરૂપ રાગ અને દ્વેષનો જય કરનાર તું આરાધના પતાકાનો સ્વીકાર કર. [૧૫૧]ક્રોધાદિકના વિપાકને જાણીને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ ! તું પ્રયત્ન વડે કષાયરૂપી કલેશનો નિગ્રહ કર. [૧૫૨]જે ત્રણ જગતને વિષે અતિ તીવ્ર દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વ અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. [૧૫૩]ક્રોધવડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવઢે પંડરજ્જા (પાંડુ આય) અને લોભવડે લોહનંદાદિ દુઃખ પામ્યા છે. [૧૫૪-૧૫૫]આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થએલા ચિત્તને વિષે, જેમ તરસ્યો માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈ ને કહે છે. હે ભગવાન્ ! હું ભવરૂપી કાદવને ઓળંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઈચ્છું છું, આપે જે જેમ કહ્યું તે હું તેમ કરૂં છું. એમ વિનયથી નમેલો તે કહે છે. [૧૫૬-૧૫૯]જો કોઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદના અથવા તૃષા વિગેરે પરિષહો તેને ઉત્પન્ન થાય. તો નિર્યામક, ક્ષપક (અનશન કરનાર) ને સ્નિગ્ધ, મધુર, હર્ષદાયી હ્રદયને ગમતું, અને સાચું વચન કહેતા શીખામણ આપે. હે સત્ પુરૂષ ! તેં ચતુર્વિધ સંઘની વચ્ચે મોટી પ્રતિજ્ઞા કરી હતી. કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખ્ખાણનો ભંગ કોણ કરે ? [૧૬૦-૧૬૩]શિયાલણીથી અતિશય ખવાતા,ઘોર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાન વડે આરાધના પામ્યા. સિદ્ધાર્થ (મોક્ષ) છે પ્યારૂં જેને એવા ભગવાન સુકોસલ પણ ચિત્રકૂટ પર્વતને વિષે વાઘણવડે ખવાતા મોક્ષ પામ્યા. ગોકુળમાં પાદપોપગમ અણશણ કરનાર ચાણકય મંત્રી સુબંધુ મંત્રીએ સળગાવેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy