SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 82-me ગએલો અને સંયમ જેણે નથી પાળ્યું એવો ક્લબ (કાયર) માણસ આરાધનાના વખતે મુંઝાય છે. [૪]લજ્જાવડે, ગારવવડે અને બહુ શ્રુતના મદ વડે જેઓ પોતાનું પાપ ગુરૂઓને કહેતા નથી તેઓ આરાધક થતા નથી. ૨૯ [૫]દુષ્કર ક્રિયા કરનાર સુઝે, માર્ગને જાણે, કીર્તિને પામે અને પોતાનાં પાપ છુપાવ્યા વિના તેની નિંદા કરે માટે આરાધના શ્રેય-કલ્યાણકારી ભલી કહી છે. [૯૬]તરણાંનો સંથારો અથવા પ્રાશુક ભૂમિ તે વિશુદ્ધિનું) કારણ નથી, પણ જે મનુષ્યનો આત્મા વિશુદ્ધ હોય તેજ ખરો સંથારો કહેવાય. [9]જિન વચનને અનુસરતી શુભધ્યાન અને શુભયોગમાં લીન એવી મારી મતિ થાઓ, જેમ તે દેશ કાલને વિષે પંડિત થયેલો આત્મા દેહ ત્યાગ કરે. [૯૮]જિનવર વચનથી રહિત અને ક્રિયાને વિષે આળસુ કોઈ મુનિ જ્યારે પ્રમાદી થાય ત્યારે ઈંદ્રિયો રૂપી ચોરો (તેના) તપ સંયમનો નાશ કરે છે. [૯]જિન વચનને અનુસરતી મતિ વાળો પુરૂષ જે વેળા સંવરમાં પેઠેલો હોય તે વેળા વાયરા સહિત અગ્નિની પેઠે મૂલ અને ડાળખાં સહિત કર્મને બાળી મૂકે છે. [૧૦૦]જેમ વાયુ સહિત અગ્નિ લીલા વનખંડનાં વૃક્ષોને પણ બાળે છે, તેમ પુરૂષાકાર (ઉદ્યમ) સહિત માણસ જ્ઞાનવડે કર્મનો ક્ષય કરે છે. [૧૦૧]અજ્ઞાની ઘણા ક્રોડો વર્ષે કરીને જે કર્મ ખપાવે છે તે કર્મને ત્રણ ગુપ્તિએ ગુપ્ત જ્ઞાનીપુરૂષ એક શ્વાસોશ્વાસ માત્રમાં ખપાવે છે. [૧૦૨-૧૦૫]ખરેખર મરણ પાસે આવ્યે છતે બારપ્રકારનું શ્રુતસ્કંધ (દ્વાદશાંગી) સર્વ મજબુત પણ સમર્થ ચિત્તવાળા માણસથી ચિંતવી શકાય નહિ. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે તે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરાય છે, તેનાથી તે માણસ મોહાલને અધ્યાત્મયોગ વડે છેદે છે. વીતરાગના શાસનમાં એક પણ પદને વિષે જે સંવેગ કરે છે, તે પુરૂષ નિરંતર વૈરાગ્ય પામે છે. તેથી સમાધિ મરણે તેણે મરવું. [૧૦૬]જેનાથી વૈરાગ્ય થાય તે તે કાર્ય સર્વ આદ૨વડે કરવું જોઈએ. જેથી સંવેગી જીવ સંસારથી મુક્ત થાય છે અને અસંવેગી જીવને અનંતો સંસાર થાય છે. [૧૦૭]જિનેશ્વર ભગવાને પ્રકાશેલો આ ધર્મ હું સમ્યક્ પ્રકારે ત્રિવિધ સદ્દહું (કારણ કે )તે ત્રસ અને સ્થાવર પ્રાણીને હિતકારક છે અને મોક્ષ નગરનો રસ્તો [૧૦૮-૧૦૯]હું શ્રમણ છું સર્વ અર્થનો સંયમી છું જિનેશ્વર ભગવાને જે જે નિષેધેલું છે તે તે સર્વ તેમજ ઉપધિ, શરીર અને ચતુર્વિધ આહારને મન વચન અને કાયાવડે હું ભાવથી વોસિરાવું છું. [૧૧૦]મન વડે જે ચિંતવવા યોગ્ય નથી તે સર્વ હું ત્રિવિધે વોસિરાવું છું. [૧૧૧-૧૧૩] અસંયમથી વિરમવું, ઉપધિનું વિવેક કરણ, (ત્યાગ કરવું), ઉપશમ, અયોગ્ય વ્યાપારથી વિરમવું, ક્ષમા, નિર્લોભતા અને વિવેક... આ For Private & Personal Use Only www.jainelibrary.org ' Jain Education International
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy