SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ મહાનિસીહ-૫-૮૩૩ અનુસેવન કરેલું છે. કહેવા લાયક, વાચના આપવા લાયક, પ્રરૂપણા કરવા લાયક, બોલવા લાયક કથન કરવા લાયક, એવા આ બાર અંગો અને તેના અર્થ સ્વરૂપ ગણિપિટરક છે. તે બાર અંગો અને તેના અર્થો તીર્થંકર ભગવંતો કે જેઓ દેવેન્દ્રોને પણ વંદનીય છે, સમગ્ર જગતના સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો સહિત ગતિ આગતિ ઈતિહાસ બુદ્ધિ જીવાદિક તત્ત્વો વસ્તુના સ્વભાવોના સંપૂર્ણજ્ઞાતા છે. તેઓને પણ અલંઘનીય છે. અતિક્રમણીય નથી, અશાતના ન કરવા લાયક છે. વળી આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાન એ સર્વ જગતના જીવો, પ્રાણો, ભૂતો અને સત્ત્વોને એકાંતે હિતકારી, સુખકારી, કર્મનાશ કરવામાં સમર્થ નિઃશ્રેયસ એટલે મોક્ષના કારણરૂપ છે. ભવોભવ સાથે અનુસરણ કરનાર છે. સંસારનો પાર પમાડનાર છે, પ્રશસ્ત, મહાઅર્થથી ભરપૂર છે, તેમાં ફળસ્વરૂપ વગેરે કહેલા હોવાથી મહાગુણ યુક્ત, મહાપ્રભાવશાલી છે, મહાપુરુષોએ જેને અનુસરેલ છે. પરમ મહર્ષિઓએ તીર્થકર ભગવંતોએ ઉપદેશેલી છે. જે દ્વાદશાંગી દુઃખનો ક્ષય કરવા માટે જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષય કરવા માટે, રાગ, દ્વેષાદિના બંધનોથી મુક્ત થવા માટે, સંસાર-સમુદ્રથી પાર ઉતરવાને માટે સમર્થ છે. એમ હોવાથી તે દ્વાદશાંગીને અંગીકાર કરીને વિચરીશ. એ સિવાય બીજાનું મારે પ્રયોજન નથી. તેથી હે ગૌતમ! જે કોઈએ શાસ્ત્રનો સભાવ ન જાણેલો હોય, કે શાસ્ત્રનો સાર જાણેલો હોય તે, ગચ્છાધિપતિ કે આચાર્ય જેના પરિણામ અંદરથી વિશુદ્ધ હોય તો પણ ગચ્છના આચારો, મંડલીના ધર્મો, છત્રીશ પ્રકારના જ્ઞાનાદિકના આચારો યાવતું આવશ્યકાદિક કરણીય કે પ્રવચનના સારને વારંવાર ચૂકે, સ્કૂલના પામે, અથવા આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનને વિપરીત રૂપે પ્રચારે, જે કોઈ આ બાર અંગરૂપ શ્રુતજ્ઞાનની અંદર ગૂંથેલા અને અંદર રહેલા એક પદ કે, અક્ષરને વિપરીત રૂપે પ્રચાર કરે-આચારે તે ઉન્માર્ગ દેખાડનારો સમજવો. જે ઉન્માર્ગ દેખાડે તે અનારાધક થાય, આ કારણથી એમ કહેવાય છે કે હે ગૌતમ! તે એકાંતે અનારાધક છે. [૩૪] હે ભગવંત! એવા કોઈ (આત્મા) થશે કે જે આ પરમ ગુરુનું અલંઘનીય પરમ શરણ કરવા લાયક સ્કૂટ-પ્રગટ, અતિ પ્રગટ, પરમ કલ્યાણરૂપ, સમગ્ર આઠ કમ અને દુઃખનો અંત કરનાર જે પ્રવચન-દ્વાભાંગીરૂપ શ્રુતજ્ઞાન તેને અતિક્રમે અથવા પ્રકષપણે અતિક્રમણ કરે, લંઘન કરે, ખંડિત કરે, વિરાધના કરે, આશાતના કરે, મનથી, વચનથી કે કાયાથી અતિક્રમણ વગેરે કરી અનારાધક થાય? હે ગૌતમ ! અનંતો કાળ વર્તતા હવે દશ અચ્છેશ થશે. તેવામાં અંસખ્યાતા અભવ્યો, અસંખ્યાતામિથ્યાવૃષ્ટિ, અસંખ્યાતાઆશાતનાકરનારા, દ્રવ્ય લિંગમાં રહીને સ્વચ્છંદતાથી પોતાની મતિકલ્પના અનુસાર દંભથી સત્કાર કરાવશે, સત્કારતી અભિલાષા રાખશે, આ ધાર્મિક છે એમ કરીને કલ્યાણ ન સમજેલા જિનેશ્વરનું પ્રવચન સ્વીકારશે, તેનો સ્વીકાર કરીને જિહવારસની લોલુપતાથી, વિષયની લોલુપતાથી દુઃખે કરીને દમન કરી શકાય તેવી ઈન્દ્રિયોના દોષથી હંમેશા યથાર્થ માર્ગનો નાશ કરે છે અને ઉન્માર્ગનો ફેલાવો કરે છે. તે કાલે તે સર્વે આતીર્થંકર પરમાત્માનું અલંઘનીય પ્રવચન છે, તેની પણ આશાતના કરવા સુધીના પાપો કરે છે. [૩૫] હે ભગવંત ! અનંતા કાલે કયા દશ અચ્છેશ થશે ! હે ગૌતમ ! તે કાલે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy