SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગાથા૫૬ મત્સ્ય ભયંકર નરકને વિષે જાય છે. તેથી સચિત્ત આહાર મનવડે પણ પ્રાર્થવાને યુક્ત નથી. [પપ-પતૃણ અને કાષ્ટવડે જેમ અગ્નિ, અથવા હજારો નદીઓ વડે જેમ લવણ સમુદ્ર તૃપ્ત થતો નથી તેમ આ જીવ કામ ભોગો વડે તૃપ્ત થતો નથી.-- તેમ આ જીવ દ્રવ્ય વડે તૃપ્ત થતો નથી. -- તેમ જીવ ભોજનવિધિવડે તૃપ્ત થતો નથી. [૫૮]વડવાનલ જેવા અને દુઃખે પાર પામીએ એવા અપરિમિત ગંધ માલ્યવડે આ જીવ તૃપ્ત થઈ શકતો નથી. [૫૯]અવિદગ્ધ (મૂખ) એવો આ જીવ અતીત કાલને વિષે અને અનાગતા કાલને વિષે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ કરી તૃપ્ત ન થયો અને થશે નહીં. [૬૦]દેવકુરૂ, ઉત્તરકુરૂમાં ઉત્પન્ન થએલાં કલ્પવૃક્ષોથી મળેલા સુખથી તેમજ મનુષ્ય વિદ્યાધર અને દેવોને વિષે ઉત્પન્ન થએલા સુખવડે આ જીવ તૃપ્ત થયો નહિ. [૧]ખાવાવડે તેમજ પીવાવડે આ આત્મા બચાવાતો નથી, જો દુર્ગતિમાં ન જાય તો નિક્ષે બચાવાએલો કહેવાય. [૨]દેવેન્દ્ર અને ચક્રવર્તિપણાના રાજ્યો તથા ઉત્તમ ભોગો અનંતીવાર પામ્યા પણ તેઓ વડે હું તૃપ્તિ પામ્યો નહિ. [૩] દૂધ, દહીં અને શેરડીના રસ સમાન સ્વાદિષ્ટ મોટા સમુદ્રોને વિષે ઘણીવાર હું ઉત્પન્ન થયો તો પણ શીતળજળવડે મારી તૃષ્ણા ન છીપી. [૬૪]મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારે કામભોગના વિષયસુખોના અતુલ સુખને મેં બહુવાર અનુભવ્યાં તો પણ સુખની તૃષ્ણા શમી નહિ. દિપો જે કોઈ પ્રાર્થના મેં રાગ દ્વેષને વશ થઈ પ્રતિબંધ કરી ઘણા પ્રકારે કરી હોય તે હું નિંદું છું અને ગુરૂની સાક્ષીએ ગણું છું. [૬૬]મોહજાલને હણીને, આઠકમની સાંકળને છેદીને અને જન્મ મરણરૂપી આરહટ્ટને ભાંગીને તું સંસારથી મૂકાઈશ. - [9] પાંચ મહાવ્રતને ત્રિવિધે ત્રિવિધ અરોપીને મન વચન અને કાય ગુપ્તિવાળો સાવધાન થઈ મરણને આદરે. ૬૮-૭૦]ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ તેમજ દ્વેષને ત્યજીને અપ્રમત્ત એવો હું તથા કલહ, અભ્યાખ્યાન, ચાડી. અને પરની નિંદાને ત્યાગ કરતો અને ત્રણ ગુપ્તિવાળો હું તથા પાંચ ઈદ્રિયોને સંવરીને અને કામના પાંચ (શબ્દાદિ) ગુણોને રૂંધીને દેવ ગુરૂની અતિઆશાતનાથી બીતો હું મહાવ્રતનું રક્ષણ કર્યું. 1 [૭૧]કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, અને આ રીદ્ર ધ્યાનને વર્જતો થકો ગુપ્તિવાળો તેમજ તેજોવેશ્યા, પદમૂલેશ્યા અને શુકલલેશ્યા તથા અને શુકલધ્યાનને આદરતો અને તે સહિત પંચમહાવ્રતનું રક્ષણ કરું [૭૩]મનવડે મન સત્યપણે, વચન સત્યપણે અને કર્તવ્ય સત્યપણે એ ત્રણ પ્રકારે સત્ય પણે પ્રવર્તતો તથા જાણતો પંચમહાવ્રતનું રક્ષણ કરું છું. [૭૪]સાત ભયથી રહિત ચાર કષાયને રોકીને, આઠ મદના સ્થાનક રહિત થએલો હું પંચમહાવ્રતનું રક્ષણ કરું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy