SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનિસીહ – ૧-૪૩ જન્માંતરમાં વિપુલ સંપત્તિ અને ઋધ્ધિ મેળવીને પરંપરાએ શાશ્વત સુખ પામે છે. [૪૩-૪૭] શલ્ય અર્થાત્ અતિચારાદિ દોષોને ઉધ્ધરવાની ઇચ્છાવાળો ભવ્યાત્મા સુપ્રશસ્ત-સારા યોગવાળા શુભ દિવસે,સારી તિથિ-કરણ-મુહૂર્ત તેમજ સારા નક્ષત્ર અને બળવાન ચંદ્રનો યોગ હોય ત્યારે ઉપવાસ કે આયંબિલ તપ દશ દિવસ સુધી કરીને આઠસો પંચમંગલ- (મહાશ્રુત સ્કંધ) નો જાપકરવો. તેના ઉપર અઠ્ઠમ-ત્રણ ઉપવાસ કરીને પારણે આયંબિલ કરવું. પારણા દિવસે ચૈત્ય-જિનાલય અને સાધુઓને વંદન કરવું. સર્વ પ્રકારે આત્માને ક્રોધ રહિત અને ક્ષમાવાળો બનાવવો. જે કાંઇ પણ દુષ્ટ વર્તન કર્યું હોય તે સર્વેનું ત્રિવિધ મન, વચન અને કાયાથી, નિઃશલ્યભાવથી “મિચ્છામિદુક્કડં” આપવું. [૪૮-૫૦] ફરી પણ ચૈત્યાલયમાં જઇને વિત્તરાગ પરમાત્માઓની પ્રતિમાઓને એકાગ્ર ભકિતપૂર્ણ હૃદયપૂર્વક દરેકની વંદના-સ્તવના કરે. ચૈત્યોને સમ્યગ્ વિધિ સહિત વંદના કરીને છઠ્ઠભકત તપ કરીને ચૈત્યાલયમાં આ શ્રુતદેવતા નામક વિદ્યાનો લાખ પ્રમાણ જાપ કરે, સર્વભાવથી ઉપશાંત થયેલો, એકાગ્રચિત્તવાળો, દઢ નિશ્ચયવાળો, ઉપયોગવાળો, ડામાડોળ ચિત્ત રહિત, રાગ-રતિ-અતિથી રહિત બની ચૈત્યાલયના પવિત્ર સ્થળમાં વિધિપૂર્વક જાપ કરે. [૫૧] (આ સૂત્રમાં મંત્રક્ષરો છે. જેની “ગુર્જર છાયા” થઇ શકે નહીં જિજ્ઞાસુઓએ અમારું - આગમનુત્તાળિ, ભાગ- ૩૧-મહાનિશીતૢ પૃષ્ઠ -પ-જોવું ) [૫૨] સિદ્ધાંતિઓએ આ વિદ્યા - “સૂત્ર : ૫૧ માં મૂળ અર્ધમાગધીમાં આપેલી મહાવિદ્યા સૈદ્ધાંતિક લીપી-અક્ષરોથી લખેલી છે. શાસ્ત્રના મર્મને ન સમજેલો હોય તેમજ કુશીલવાળો હોય તેવાને ગીતાર્થ શ્રુતધરો એ આ પ્રવચન વિદ્યા આપવી નહીં કે તેવાને પ્રરૂપવી નહીં. ૨૨૬ - [૫૩ ૫૫] આ શ્રેષ્ઠ વિઘાથી સર્વપ્રકારે પોતાને અભિમંત્રિતકરીને તે ક્ષમાવાનુ ઇન્દ્રિયોને દમન કરનાર અને જિતેન્દ્રય સૂઇ જાય ઊંઘમાં જે શુભ કે અશુભ સ્વપ્ન આવે તેને બરાબર અવધારણ કરે, યાદ રાખે, ત્યાં જેવા પ્રકારનું સ્વપ્ન જોયું હોય તદ્ અનુસારે શુભ કે અશુભ થાય... જો સુંદર સ્વપ્ન હોય તો આ મહા પરમાર્થ- તત્તત્ત્વ સારભૂત શલ્યોદ્ધાર થાય તેમ સમજવું. [૫૬-૫૭] આ રીતે આઠમદને તથા લોકના અગ્રભાગે બિરાજમાન સિદ્ધોને સ્તવતો હોય તેવા નિઃશલ્ય થવાની અભિલાષાવાળા આત્માને શુદ્ધ આલોચના આપવી. પોતાના પાપને આલોચીને, ગુરુ પાસે પ્રગટ કરીને શલ્યરહિત થાય. ત્યાર પછી પણ ચૈત્યો અને સાધુઓને વંદન કરીને સાધુઓને વિધિપૂર્વક ખમાવે. [૫૮-૬૨] પાપશલ્યને ખમાવીને ફરી પણ વિધિપૂર્વક દેવ-અસુરો સહિત જગતને આનંદ પમાડતો નિર્મૂલપણે શલ્યનો ઉદ્ઘાર કરે છે. એ પ્રમાણે શલ્યરહિત થઇને સર્વ ભાવથી ફરી પણ વિધિસહિત ચૈત્યોને વાંદે તથા સાધર્મિકોને ખમાવે. ખાસ કરીને જેની સાથે એક ઉપાશ્રય-વસતિમાં વાસ કર્યો હોય. જેની સાથે ગામેગામ વિચર્યો હોય, કઠોર વચનોથી જેઓએ સારણાદિક પ્રેરણા આપી હોય જે કોઇને પણ કાર્ય પ્રસંગ કે કાર્ય સિવાય કઠોર, આકા, નિષ્ઠુર વચનો સંભળાવેલ હોય, તેણે પણ સામે કંઇક પ્રત્યુત્તર આપેલ હોય, તે કદાચ જીવતો હોય કે મૃત્યુ પામેલ હોય તેને સર્વ ભાવથી ખમાવે, જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy