SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ દસા સુયખૂંધ – ૭૪૯ પગ અંદર અને એક પગ બહાર હોય તો તેના હાથે લેવું કલ્પે. પણ જો તે દેવા ન ઈચ્છતી હોય તો તેના હાથે લેવું કલ્પે નહીં માસિકી ભિક્ષુ પ્રતિમા ધારણ કરેલ સાધુને આહાર લાવવાના ત્રણ સમય કહયા છે. તે આ પ્રમાણે- આદિ દિવસનો પ્રથમ ભાગ), મધ્ય (મધ્યાહ્ન), અંતિમ(દિવસનો અંતિમ ભાગ) જે ભિક્ષુ આદિમાં ગોચરી જાય તે મળ્યે કે અંતે ન જાય, જે મધ્ય જાય તે આદિ કે અંતે ન જાય, જે અંતે જાય તે આદિ કે મધ્યે ગોચરી જાય નહીં. માસિક ભિક્ષુ પ્રતિમા ધારી સાધુને છ પ્રકારની ગોચરી કહી છે પેટા (પેટીની જેમ ચારખૂણા થી ગમન કરવાપૂવર્ક ગોચરી જવું), અર્ધપેટા (બે ખૂણા થી ગમનકરવું), ગોમૂત્રિકા (ચાલતા ચાલતા બળદ જ્યારે પેશાબ કરે ત્યારે જે વાંકી ચૂકી રેખા અંકિત થાય તે રીતે ગોચરી જવું), પતંગવીથિકા (પક્ષી જેમ વચલા સ્થાનો છોડી એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસે તે રીતે ક્રમ રહિત ગોચરી જવું), શમ્બૂકાવર્તી- (દક્ષિણાવર્ત કે વામાવર્ત શંખની જેમ ડાબેથી જમણે કે જમણેથી ડાબે ફરતા ગોચરી જવું), ગત્યાપ્રત્યાગતા (ગલીના છેલ્લા ઘેરથી પહેલા ઘર તરફ ગોચરી ગમન કરવું). આ છ પ્રકારની ગોચરીમાંથી કોઈ એક પ્રકારની ગોચરીનો અભિગ્રહ લઈ પ્રતિમા ધારક સાધુને ભિક્ષા લેવી કલ્પે. જે ગામ યાવત્ મડંબમાં એકમાસિકી ભિક્ષુપ્રતિમા ધારક સાધુ ને જો કોઈ જાણતું હોય તો તેને ત્યાં એક રાત રહેવું કલ્પે, જો કોઈ ન જાણતું હોય તો એક કે બે રાત રહેવું કલ્પ પણ જો તેના કરતા વધુ નિવાસ કરે તો તો ભિક્ષુ તેટલા દિવસના દિક્ષાના છંદ કે પરિહાર તપને પાત્ર થાય છે. માસિકી ભિક્ષુ પ્રતિમાધારક સાધુને ચાર ભાષા બોલવી કલ્પે છે. તે આ પ્રમાણે. યાચની. પૃચ્છની, અનુજ્ઞાપની અને પૃષ્ઠ વ્યાકરણી. (યાચની- આહાર, વસ્ત્ર, પાત્ર આદિ માંગવા માટે જે ભાષા બોલાય તે, પૃચ્છની- સ્વાધ્યાય આદિમાં ઉદ્ભવેલ પ્રશ્નના નિવારણ માટે બોલાય તે, અનુજ્ઞાપની- શય્યાતરપાસે સ્થાન આદિની આજ્ઞા માટે બોલાય તે અનુજ્ઞાપની, પૃષ્ઠવ્યાકરણી કોઈએ પૂછેલ પશ્નના ઉત્તર માટે બોલાતી. માસિકી ભિક્ષુ-પ્રતિમા પ્રતિપન્ન સાધુ ને ત્રણ પ્રકારના ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું આજ્ઞાલેવી-કે-ત્યાં રહેવું ક૨ે છે. તે આ પ્રમાણે- ઉદ્યાન માં રહેલું ગૃહ, ચારે તરફથી ન ઢંકાયેલું તેવું ગૃહ, વૃક્ષની નીચે બનેલું ગૃહ ભિક્ષુપ્રતિમા-ધારક સાધુને ત્રણ પ્રકારના સંથારગ ની પ્રતિલેખના, આજ્ઞા લેવી કે ગ્રહણ કરવાનું કલ્પે છે તે આ પ્રમાણે- પૃથ્વીશિલા, લાકડાની પાટ, પહેલેથી બિછાવાયેલ તૃણ. માસિકી ભિક્ષુ-પ્રતિમા-ધારક સાધુને ઉપાશ્રયમાં કોઈ સ્ત્રી-પુરુષ આવીને અનાચારનું આચરણ કરતા જોવા મળે તો તે ઉપાશ્રયમાં નિષ્ક્રમણ કે પ્રવેશ કરવો કલ્પે નહીં.- ત્યાં કોઈ અગ્નિ સળગી ઉઠે કે સળગાવે તો તેને નિષ્ક્રમણ કે પ્રવેશ કલ્પે નહીં કદાચ કોઈ હાથ પકડીને બહાર કાઢવા ઈચ્છે તો પણ તેનો સહારો લઈને ન નીકળે પણ જયણાપૂવર્ક ચાલતા- ચાલતા બહાર નિકળે. માસિકી ભિક્ષુ-પ્રતિમા ધારક સાધુના પગમાં કાંટો-કાકરો -કાંચ ઘુસી જાય ત્યારે કે આંખમાં મચ્છર વગેરે સૂક્ષ્મ જંતુ, બીજ, રજ આદિ પડે તો તેને કાઢવાનું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org 9
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy