SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ દસા સુયŃä – ૫/૧૬ છે ? જે દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ કહયા છે તે આ પ્રમાણે છે – તે કાળ અને તે સમયે એટલે કે ચોથા આરામાં ભગવાન મહાવીરસ્વામીના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન (ઉવવાઈ સૂત્રમાં કહેલ ચંપાનગરી ની માફક જાણી લેવું. તે વાણિજ્યગ્રામ નગરની બહાર દૂતિ પલાશક નામનું ચૈત્ય હતું અહીં ચૈત્યનું વર્ણન (ઉવવાઈ સૂત્ર ની માફક) જાણી લેવું. (ત્યાં) જિતશત્રુ રાજા, તેની ધારિણી નામે રાણી એ પ્રકારે સર્વ સમોસરણ (ઉવવાઈસૂત્રાનુસાર) જાણવું. યાવત્ પૃથ્વી-શિલાપટ્ટક ઉપર વર્ધમાનસ્વામી બિરાજમાન થયા, પર્ષદા નિકળી અને ભગવાને ધર્મ નિરૂપણ કર્યું. પર્ષદા પોત-પોતાને સ્થાને ગઈ. [૧૭] હે આર્યો ! એ પ્રમાણે સંબોધન કરી શ્રમણ ભગવાન મહાવીર નિર્પ્રન્થ (સાધુ) અને નિગ્રન્થી (સાધ્વી) ઓ ને કહેવા લાગ્યા. આર્યો ! ઈર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણક જલની પરિષ્ઠાપના એ પાંચસમિતિવાળા, ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મ-ચારી, આત્માર્થી, આત્મહિતકર, આત્મયોગી, આત્મપરાક્રમી પાક્ષિકપૌષધ (અર્થાત્ પર્વતિથિને વિશે ઉપવાસ આદિ વ્રતથી ધર્મની પુષ્ટિ કરવા રૂપ પૌષધ) માં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન કરવાવાળા નિગ્રન્થ-નિર્ગન્થીઓને પહેલા ઉત્પન્ન ન થયે હોય તેવી ચિત્ત (પ્રશસ્ત) સમાધિના દશ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે પહેલાં કયારેય ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઇ જાયતો ચિત્ત) ને સમાધિ પ્રાપ્ત થાય છે. ૧- ધર્મભાવના, જેનાથી બધા ધર્મોને જાણી શકે છે. ૨- સંશિ-જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વના ભવો અને જાતિ નું સ્મરણ થાય છે. ૩- સ્વપ્ન દર્શન નો યથાર્થ અનુભવ. ૪- દેવદર્શન, જેનાથી દિવ્ય ઋદ્ધિ- દિવ્યકાંતિ-દેવાનુભાવ જોઈ શકે છે. ૫- અવધિજ્ઞાન, જેનાથી લોકને જાણે છે. ૬- અવિધ દર્શન, જેનાથી લોકને જોઈ શકે છે. ૭- મન:પર્યવજ્ઞાન, જેનાથી અઢીદ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગતભાવને જાણે. ૮- કેવળજ્ઞાન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જાણે છે. ૯- કેવળદર્શન, જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. ૧૦- કેવળમ૨ણ, જેનાથી સર્વદુઃખનો સર્વથા અભાવ થાય છે. [૧૮] રાગદ્વેષ રહિત નિર્મળ ચિત્ત ને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન ઉત્પન્ન થાય છે. શંકારહિત ધર્મમાં સ્થિત આત્મા નિર્વાણને પ્રાપ્ત કરે છે. [૧૯]આ રીતે ચિત્ત સમાધિ ધારણ કરનાર આત્મા બીજી વખત લોકમાં ઉત્પન્ન થતો નથી અને પોતાના ઉત્તમ સ્થાનને જાતિસ્મરણ જ્ઞાનથી જાણી લે છે. [૨૦] સંવૃત્ત આત્મા યથાતથ્ય સ્વપ્નને જોઈને જલ્દી બધાં સંસાર સમુદ્રને તરી જાય છે અને સઘળા દુઃખથી છૂટી જાય છે. [૨૧]અંતપ્રાંતભોજી, વિવિકત શયન-આસનસેવી, અલ્પઆહાર કરવાવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy