SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો-૨, સૂત્ર-૩૭ ૧૬૫ તપ માં સ્થાપવો અને બીજાએ વૈયાવચ્ચ કરવી, .. પણ જો બંને અકૃત્ય સ્થાનકને સેવે તો એકને વડીલ તરીકે સ્થાપી બીજાને પરિહાર તપમાં મુકવો, તેનો તપ પૂરો થાય ત્યારે તેને વડીલ તરીકે સ્થાપી અને પહેલા ને પરિવાર તપમાં સ્થાપવો. ૩િ૮-૩૯]એક સમાચારીવાળા ઘણાં સાધુ સાથે વિચરતા હોય અને તેમાંના કોઈ એક દોષનું સેવન કરે, પછી આલોચના કરે ત્યારે તેને પરિહાર તપને વિશે સ્થાપવા અને બીજા કોઈ તેની વૈયાવચ્ચ કરે, . અને જે બધાં સાધુએ દોષનું સેવન કરેલ હોય તો એક ને વડીલ તરીકે વૈયાવચ્ચ કરવા સ્થાપે અને બાકીના સર્વે પરિહાર તપ કરે. તે પૂરો થાય એટલે વૈયાવચ્ચ કરનાર સાધુ પરિહાર તપ કરે અને છે બાકીના જેણે તપ પૂરો કર્યો છે તે પૈકી કોઈ તેની વૈયાવચ્ચ કરે. [૪૦] પરિહાર-તપ સેવી સાધુ બિમાર થઈ, બીજા કોઈ દોષ-સ્થાન ને સેવીને આલોચના કરે ત્યારે જો તે પરિહાર તપ કરી શકે તેમ હોય તો તેને તપમાં મુકવા અને બીજાએ તેની વૈયાવચ્ચ કરવી, જો તે તપ વહી શકે તેમ ન હોય તો અનુપરિહારી તેની વૈયાવચ્ચ કરે, પણ જો તે સમર્થ હોવા છતાં અનુપરિહારી પાસે વૈયાવચ્ચ કરાવે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ માં મૂકવો. [૪૪-૫૨]વ્યગ્રચિત કે ચિત્તભ્રમ થયેલો, . . હર્ષના અતિરેકથી પાગલ થયેલ, . . ભૂત-પ્રેતાદિ વળગાળવાળા, . . ઉન્માદને પામેલ, . . ઉપસર્ગથી ગ્લાન બનેલ, ક્રોધ-કલહથી રોગી બનેલ .. ઘણું પ્રાયશ્ચિત આવતા ભયભ્રાંત બનેલો, અનસન કરીને વ્યગ્રચિત્ત બનેલો, . . ધનના લોભ થી ચિત્ત ભ્રમ પામી રોગી બનેલો કોઈપણ સાધુ ગણાવચ્છેદક પાસે આવે તો તેને બહાર કાઢવો ન કહ્યું. પણ નિરોગી સાધુએ તેની રોગમુક્ત ન થાય ત્યાં સુધી વૈયાવચ્ચ કરવી. તે રોગમુક્ત થાય ત્યાર પછી તેને નામ માત્ર પ્રાયશ્ચિત્ માં સ્થાપવો. [પ૩-૫૮]અનવસ્થાપ્ય , . . કે પારંચિત પ્રાયશ્ચિત્ ને વહન કરી રહેલા સાધુને ગૃહસ્થ વેશ આપ્યા વિના ગણાવચ્છેદકે પુનઃ સંયમ માં સ્થાપવો જ કહ્યું, ગૃહસ્થનો (કે તેના જેવો) ચિહ્ન વાળો કરીને સ્થાપવા કહ્યું, .. પરંતુ જો તેના ગણ ને (ગચ્છ કે શ્રમણસંઘને) પ્રતીતિ થાય એટલે કે યોગ્ય લાગે તો ગણાવચ્છેદ કે તે બંને પ્રકાર ના સાધુને ગૃહસ્થવેશ આપીને કે આપ્યા સિવાય પણ સંયમાં સ્થાપિત કરે. [૯]સમાન સમાચારીવાળા બે સાધુ સાથે વિચરતા હોય, તેમાંના કોઈ એક અન્ય કઈ પણ ને આળ ચઢાવવા અકત્ય (દોષ) સ્થાનનું સેવન કરે, પછી આલોચના કરે કે મેં અમુક સાધુને આળ દેવા માટે દોષસ્થાનક સેવેલ છે. ત્યારે (આચાય) તે બીજા સાધુને પૂછે કે હું આર્ય! તમે અમુક દોષનું સેવન કર્યું છે કે નથી કર્યું? જો તે કહે કે મેં દોષ સેવેલ છે તો તેને પ્રાયશ્ચિતુ આપે અને એમ કહેકે મેં દોષ સેવ્યો નથી તો પ્રાયશ્ચિતુ ન આપે. જે પ્રમાણભૂત કહે તે પ્રમાણે (આચાય) વર્તે. હવે અહીં શિષ્ય પૂછે કે હે ભગવંત આવું કેમ કહયું? ત્યારે ઉત્તર આપે કે એ “સાચી પ્રતિજ્ઞા વ્યવહાર” કહયો. એટલે કે અપડિસેવીને અપડિસેવી અને પડિલેવી ને પડિલેવી કરવો. [9] જે સાધુ પોતાના ગચ્છથી નીકળીને મોહના ઉદયે અસંયમ સેવવા નિમિત્તે જાય. માર્ગે ચાલતાં તેની સાથે મોકલેલ સાધુ તેને ઉપશાંત કરે ત્યારે શુભ કર્મના ઉદયે અસંયમ સ્થાન સેવ્યા વિના ફરી પાછો તે જ ગચ્છ માં આવવા ઈચ્છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy