SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસો-૪, સૂત્ર-૨૩૪ ૧૧૯ અને તેના દ્વારા કોઈ અસન આદિ ચાર માંથી કોઈ પ્રકારનો આહાર આપે, ત્યારે ગ્રહણ કરે- કે કરાવે- અનુમોદે તો પ્રાયશ્ચિતું. [૨૩-૨૪૯]જે સાધુ-સાધ્વી ગ્રામરક્ષકને,.. દેસારક્ષકને સીમારક્ષકને,.. અરણ્યરક્ષકને. સવરક્ષકને (આ પાંચે કે તેમાંના કોઈ પણને વશ કરે... ખુશામત કરે,. આકર્ષિત કરે, કરાવે છે તેમ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતું. [૨૪૦-૩૦૨] જે કોઈપણ સાધુ-સાધ્વી પરસ્પર એટલે કે સાધુ-સાધુના અને સાધ્વી-સાધ્વીના નિચે જણાવ્યા મુજબના કાર્યો કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે તેને પ્રાયશ્ચિત્. • (નોંધ-આ સર્વે કાર્યોનું વિવરણ ઉદ્દેશો-૩ ના સૂત્ર ૧૩૩ થી ૧૮૫ માં આવેલ છે. એ જ પ૩ દોષોની વાત અહીં સમજવી) જેમકે જે કોઈ સાધુ-સાધુ કે સાધ્વી-સાધ્વી પરસ્પર- એક બીજાના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જ. સાફ કરે... (ત્યાંથી આરંભીને). જે કોઈ સાધુ-સાધુ કે સાધ્વી- સાધ્વી એકગામથી બીજે. ગામ વિચરતા પરસ્પર એક બીજાના મસ્તક ને આવરણ કરે- ઢાંકે (ત્યાં સુધીના પ૩ સૂત્રો ત્રીજા ઉદ્દેશામાં જણાવ્યા મુજબ જાણવા.) [૩૦૩-૩૦૪] જે સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગ કરવાની ભૂમિ નું અંતિમ પરિસિએ (સંધ્યા સમય પૂર્વે) પડિલેહણ ન કરે... ત્રણ ભૂમિ એટલે ત્રણ મંડલ સુધી કે સંખ્યામાં ત્રણ અલગ-અલગ ભૂમિનું પડિલેહણ ન કરે- ન કરાવે કે ન કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૦૫-૩૦૬] જે સાધુ- સાધ્વી એક હાથથી ઓછા પ્રમાણ વાળી લાંબી-પહોળી અચિત્ત ભૂમિમાં (અને અથવા) અવિધિ એ (પ્રમાર્જન કે પ્રતિલેખન કર્યા સિવાય, જીવાકુલ ભૂમિમાં) મળ-મૂત્રનો ત્યાગ કરે- કરાવે કે કરનારની અનુમોદના કરે. ૩૦૭-૩૦૮] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વાર ને સાફ ન કરે,-- વાંસ કે તેવી લાકડાની ચીર, આંગળી કે ધાતુની સળી વડે મળદ્વાર ને સાફ કરે, કરાવે કે સાફ કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. | [૩૦૯-૩૧૨] જે સાધુ સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ કર્યો પછી મળદ્વારની શુચિ (શુદ્ધિ) ન કરે... ફકત મળ દ્વારની જ શુદ્ધિ કરે (હાથ કે અન્ય સ્થળે લાગેલ મળ-મૂત્ર ની શુદ્ધિ ન કરે),.. ઘણે દૂર જઈને શુદ્ધિ કરે,. નાવના આકાર જેવી એક પસલી જેને બે હાથ ભેગા કરવાથી ગુજરાતીમાં ખોબો કહે છે. એવા ત્રણ ખોબા કે ત્રણ પસલી કરતાં વધારે પાણી થી શુદ્ધિ કરે- આ દોષ સ્વયં કરે, કરાવે, કરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. [૩૧૩ જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિવાર નામનું પ્રાયશ્ચિત્ આવેલ નથી તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિતું કરી રહેલા સાધુ-સાધ્વી ને કહે કે હે આર્ય ! હે આય !) ચાલો. આપણે બંને સાથે અશન-પાન-ખાદિમ- સ્વાદિમ ગ્રહણ કરવા (લેવા) ને માટે જઈએ. ગ્રહણ કરીને પોત-પોતાના સ્થાને આહાર પાન કરીશું જો તે આવું બોલે, બોલાવે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિતુ. એ પ્રમાણે આ ઉદ્દેશા-૪ માં કહયા મુજબનો કોઈપણ એક કે વધુ દોષ સ્વયં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy