SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ દેવિંદથઓ- [૩૦૨] અવ્યાબાધ નિવણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે. બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે. કર્મરૂપી કવચથી ઉન્મુક્ત, અજર, અમર અને અસંગ છે. જેમણે બધા દુઃખોને દૂર કરી દીધા છે જાતિ, જન્મ જરા, મરણ ના બંધન થી મુક્ત, શાશ્વત અને અવ્યાબાધ સુખનો નિરંતર અનુભવ કરે છે. " [૩૦૩-૩૫)સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે તેનું અનંત ગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિ ના અનંતાનંત ભાગ બરાબર પણ ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિ યુક્ત ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરવાવાળા હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિ પાલિત પોત-પોતાની બુદ્ધિ થી જિનેશ્વર પરમાત્માનો મહિમા વર્ણવે છે. [૩૦૬-૩૦૮)વીર અને ઈન્દ્રોની સ્તુતિના કત જેણે પોતે બધાં ઈન્દ્રોની અને જિનેન્દ્ર ની સ્તુતિ કિર્તન કર્યું તે સુરો, અસુરો, ગુરુ અને સિદ્ધો (મન) સિદ્ધિ પ્રદાન કરો. આ રીતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ નિકાય દેવોની સ્તુતિ (કથન) સમગ્ર રૂપે સમાપ્ત થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ “દેવિદત્થઓ” પયનો ગુર્જરછાયા પૂર્ણ નવમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy