SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ e સરપન્નત્તિ-૨૦/-/૧૯૭-૨૦૭ : ભ્રમણ કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યા અર્થાત્ વિમાનમાં રહેલ શ્વેતતાને પૂર્વભાગથી આચ્છાદિત કરીને પાછળના ભાગથી છોડે છે. ત્યારે પૂર્વભાગથી ચંદ્ર કે સૂર્ય આપણને દેખાય છે. અને પશ્ચિમભાગથી રાહુ દેખાય છે. જ્યારે મોક્ષકાળમાં ચંદ્ર કે સૂર્ય પૂર્વીદેશામાં પોતાનું પ્રાગટ્ય પ્રાપ્ત કરે છે ત્યારે નીચેના ભાગમાં પશ્ચિમ દિશામાં રાહુ હોય છે એજ પ્રમાણે અન્ય સ્થિતિને બતાવવા કહે છે.- જ્યારે દેવરૂપ રાહુ કોઈ સ્થાનમાંથી આવીને અગર જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયા કરતાં અગર પરિચરણની બુદ્ધિથી આમતેમ ભ્રમણ કરતાં ચંદ્રના કે સૂર્યના વિમાનની શ્વેતતાને દક્ષિણ દિશાથી આવૃત્ત કરીને એટલેકે ઢાંકી દઇને ઉત્તર દિશાથી વ્યતિકરણ કરે છે. તે સમયે દક્ષિણદિશાથી ચંદ્ર અથવા સૂર્ય પ્રગટ થાય છે. તથા ઉત્તરભાગમાં રાહુ હોય છે. આ પ્રમાણે પૂર્વકથનાનુસારના અભિલાપ પ્રકારથી પશ્ચિમ દિશાથી આવૃત્ત કરીને પૂર્વદિશાથી છોડે છે. અને ઉત્તર દિશાથી આચ્છાદિત કરીને દક્ષિણ દિશાથી છોડે છે. રાહુની ક્રિયાનું નિરૂપણ કરવા માટે કહે છે કે જ્યારે રાહદેવ કોઇ સ્થાનથી આવતી વખતે કે જતી વખતે સ્વેચ્છાથી કોઇપણ વિક્રિયા કરીને પરિચારણ બુદ્ધિથી આમતેમ જતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને દક્ષિણ પૂર્વ તરફના ખૂણાથી ઢાંકી દઇને ફરીને ઉત્તર પશ્ચિમ થી મુક્ત કરે છે. ત્યારે અગ્નિખુણામાંથી ચંદ્ર અથવા સૂર્ય પોતાને પ્રગટ કરે છે. તથા રાહુ વાયવ્ય ખુણામાં સ્થિત રહે છે. અર્થાત્ તેઓ પરસ્પર એકબીજા સન્મુખ થઈ જાય છે. રાહુદેવ જ્યારે દક્ષિણ પશ્ચિમ થી ચંદ્રની અથવા સૂર્યની લેશ્યાને આચ્છા દિત કરે છે, ત્યારે ચંદ્ર કે સૂર્ય નેઋત્ય ખુણામાંથી પોતાને પ્રગટ કરે છે. અને રાહુ ઈશાન ખુણા માંથી ગમન કરે છે. આ પૂર્વકથિત ભાવના પ્રકારથી રાહુ નામનો દેવ જ્યારે ચંદ્રની અથવા સૂર્યની લેશ્યાને વાયવ્ય ખુણામાંથી આચ્છાદિત કરે છે, અને અગ્નિ ખુણામાંથી દોડે છે, તો આ પરિસ્થિતિમાં વાયવ્ય ખુણામાં ચંદ્ર, સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. અને અગ્નિ ખુણામાં લેશ્યાને છોડતો રાહૂ સ્થિત રહે છે. આ પ્રમાણેજ રાહૂ જ્યારે ચંદ્ર સૂર્યની એક તરફની લેશ્યાને ઈશાન ખુણામાં ઢાંકી દે છે, અને નૈઋત્ય ખુણામાંથી છોડે છે, ત્યારે ઈશાન ખૂણામાં ચંદ્ર કે સૂર્ય પ્રગટ થયેલ દેખાય છે. નૈઋત્ય કોણમાં રાહુ સ્થિત રહે છે.જ્યારે રાહુ ચંદ્રની કે સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરીને સ્થિત રહે છે, ત્યારે લોકમાં આ પ્રમાણે કહેવામાં આવે છે, કે રાહુથી ચંદ્ર કે સૂર્ય ગ્રસિત થયેલ છે.- જ્યારે રાહૂ લેશ્યાને આચ્છાદિત કરીને પાર્શ્વભાગથી છોડે છે. ત્યારે મનુષ્યો આ પ્રમાણે કહે છે કે-ચંદ્રે કે સૂર્યે રાહુની કુક્ષિને વિદારિત કરેલ છે. જ્યારે રાહૂ ચંદ્ર અને સૂર્યની લેશ્યાને આચ્છા દીપ કરે છે તો લોકો કહે છે કે રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરીને મુખમાંથી બહાર કાઢે છે.- જ્યારે ચંદ્ર કે સૂર્યની લેશ્યાને મધ્યભાગથી આચ્છાદિત કરીને રાહુગમન કરે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો આ પ્રમાણે કહે છેકે-ચંદ્ર કે સૂર્યને રાહુએ મધ્યભાગથી વિદ્યારિત કરેલ છે. આ કથન કેવળ જલ્પન માત્રજ છે.- જ્યારે રાહુ ચંદ્ર કે સૂર્યના ગમન કરતી વખતે અથવા આવતી વખતે કે વિકુર્વણા કરતી વખતે અથવા પરિચારણા કરતી વખતે ચંદ્રની કે સૂર્યની લેશ્યાને આચ્છાદિત કરીને નીચે બધા પક્ષમાં અને બધી દિશાઓમાં સ્થિત રહે છે, ત્યારે મનુષ્ય લોકમાં મનુષ્યો કહે છે કે-ચંદ્ર કે સૂર્યને રાહુએ બધી રીતે ગ્રસીત કરેલ છે. રાહુએ ચંદ્રને ગ્રસીત કરેલ છે. રાહુ કેટલા પ્રકારના કહ્યા છે ? શ્રીભગવાન્ કહે છે.- ધ્રુવરાહુ અને પર્વરાહુ આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy