SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૨૦ ૯૫ છોડી દે છે. અથવા ડાબા પાર્થથી પકડીને જમણા પાર્શ્વથી છોડે છે. અથવા જમણા ભાગથી ગ્રહણ કરીને ડાબા ભાગથી છોડે છે. અથવા કોઈવાર જમણા ભાગથી ગ્રહણ કરીને જમણા ભાગથીજ છોડી દે છે. એ મતાંતરવાદિયોમાં જે એમ કહે છેકે-રાહુ નામના કોઈ દેવ નથી. કે જે સમયે સમયે ચંદ્રને કે સૂર્યને ગ્રસિત કરે છે. તેનો કહેવાનો ભાવ આ પ્રમાણે છે. આ જગતમાં આ કથ્યમાન પ્રકારના પંદર કાળા વર્ણવાળા ૫૨માણુ સમૂહ કહેલા છે. સિંહનાદ જટિલ ક્ષર ક્ષત અંજન ખંજન શીતલ હિમ શીતલ કૈલાસ અરૂણાભ પરિજય નભસૂર્ય કપિલ પિંગલ રાહુ કૃષ્ણપક્ષની આ પૂર્વ કથિત પંદર ભેદોવાળા કૃષ્ણવર્ણના પરમાણુ સમૂહ હમેશાં ચંદ્રના કે સૂર્યના બિબગત પ્રભાનું આરાધન કરનારા હોય છે. ત્યારે મનુષ્યલોકમાં ચર્મચક્ષુવાળા મનુષ્યો ચર્મચક્ષુથી જોઇને આ પ્રમાણે કહે છે કે-રાહુજ ચંદ્ર સૂર્યને ગ્રસિત કરે છે. જ્યારે આ પંદર કૃષ્ણ વર્ણવાળા પુદ્ગલો સદાકાળ ચંદ્ર કે સૂર્યની લેશ્માનુબંધ અર્થાત્ ચંદ્ર સૂર્યના બિંબની પ્રભાનું અનુચરણ નથી કરતા ત્યારે મનુષ્યલોકના મનુષ્યો આ પ્રમાણે કહેતા નથી કે-રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. અર્થાત્ સમગ્ર બિંબને પુદ્ગલોથી આચ્છાદિત જોઇને રાહુ ગ્રસિત ચંદ્ર સૂર્યને ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ એ રીતે લોકો કહે છે પરંતુ એક દેશમાં વ્યાપ્ત થયેલ લેશ્યાનુબંધના કારણથી કૃષ્ણ થવા છતા ગ્રહણ કહેતા નથી. પૂર્વકથિત નિયમ રાહુ ચંદ્ર કે સૂર્યને ગ્રસિત કરે છે. આ પ્રમાણેના લૌકિક મતની પ્રતિપત્તિમાં વિશ્વાસ કરવો પણ પૂર્વકથિત પરતીર્થિકના અભિપ્રાયમાં વિશ્વાસ કરવો નહીં પૂર્વ કહેલ અભિપ્રાયથી સંબંધિત પોતાના મતનું સમર્થન કરે છે. એ પ્રમાણે પરતીર્થિકોના અભિપ્રાયનું સારી રીતે કથન કરીને હવે શ્રીભગવાન્ કહે છે. રાહુ દેવ નથી. એમ નથી. પરંતુ તે રાહદેવ મહાઋદ્ધિવાળો અત્યંત સમૃદ્ધિશાળી, મહાદ્યુતિવાળો મહાબળવાળો, મહાયશવાળો અને સર્વ પ્રકારથી ઉપભોગ્ય સુખસામગ્રીવાળો હોવાથી મહાસૌખ્યસંપન્ન મહાપ્રભાવશાલી, ઉત્તમ વસ્ત્રોને ધારણ કરવાવાળો અનેક પ્રકારના મહા મુલ્યવાન્ રત્નખચિત આભરણોને ધારણ કરવાવાળો ઉત્તમ પુષ્પમાળાઓને ધારણ કરવાવાળો અનેક સામન્તાદિ પરિવારથી યુક્ત દિવ્યભોગોપ ભોગોને ભોગવવાવાળો દેવ વિશેષ રાહુ પોતાના વિમાનથી નિશ્ચિતપણાથી ભ્રમણ કરવાવાળો વિશેષ પ્રકારનો દેવ છે. તથા બીજું પણ કહે છે.- રાહુ દેવના નવનામો છે. જે આ પ્રમાણે છે. સિંહનાદ જટિલ ખરક ક્ષેત્રક ધદ્ધર મક૨ મત્સ્ય કચ્છપ કૃષ્ણસર્પ રાહુ દેવના પાંચ વિમાન પાંચ વર્ણના કહેલા છે. રાહુ વિમાનના પાંચ વર્ણના પ્રતિપાદનથી વિમાનોની સંખ્યા પણ પાંચજ હોય છે. તેના વર્ણ આ પ્રમાણે છે.- કૃષ્ણ નીલ લોહિત હારિદ્ર તથા શુકલ પૂર્વોક્ત રાહુવિમાનના વર્ણવનના સંબંધમાં પર્યાયાન્તરથી કહે છે. જે કૃષ્ણ વર્ણવાળું પહેલું રાહુવિમાન કહ્યું છે તે કૃષ્ણે એટલેકે ખંજનના જેવા વર્ણવાળું હોય છે. બીજું જે નીલવર્ણવાળું વિમાન કહ્યું છે તે લીલા તુંબડાના વર્ણના જેવા વર્ણનું કહ્યું છે. લાલ વર્ણવાળું ત્રીજું વિમાન કહ્યું છે તે મજીઠના વર્ણના જેવું લાલ વર્ણનું હોય છે. હરિદ્ર વર્ણનું વિમાન કહ્યું છે, તે હલદરના જેવા વર્ણનું હોય છે. સફેદ વર્ણનું વિમાન કહ્યું છે તે તેજના પુંજ જેવું હોય છે. જે કોઈ સમયમાં દેવરૂપરાહુ કોઈ સ્થાનથી આવતાં કે કોઈ સ્થાનમાં જતાં અથવા સ્વેચ્છાથી તે તે પ્રકારની વિક્રિયાઓ કરતી વખતે તથા પરિભ્રમણની દૃષ્ટિથી આમ તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy