SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૨ ૨૮૯ સિદ્ધિપદને પામશે યાવતું સર્વ દુઃખનો અંત કરશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! યાવતું બીજા અધ્યયનનો નિક્ષેપ આ પ્રમાણે કહ્યો છે. અધ્યયન-ર-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયન-૩-શુક્ર) [૫] હે ભગવન્! જે શ્રમણ ભગવન યાવત્ સિદ્ધિપદને પામેલા વિગેરે ઉલ્લેપ કહેવો. રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ નામે ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણીક રાજા હતા.એકદા મહાવીરસ્વામી ત્યાં સમવસર્યા.તેમનેવાંદવામાટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે શુક્ર નામનો મહાગ્રહ શુક્રાવતંસક નામના વિમાનમાં શુક નામ ના સિંહાસન ઉપર ચાર હજાર સામાયિક દેવ વિગેરે સહિત બેઠો હતો. તે પણ ચંદ્રની. જેમ પ્રભુપાસે આવ્યો અને નાટ્યવિધિ દેખાડીને પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી ગૌતમસ્વામીએ હે ભગવાન ! એમ સંબોધીને આપીને ભગવાનને પૂછ્યું ત્યારે ભગ વાને કૂટાકારશાળાનું દ્રષ્ટાંત આપ્યું. ફરીથી ગૌતમસ્વામીએ તેનો પૂર્વભવ પૂછ્યો ત્યારે ભગવાને બોલ્યા કે આ પ્રમાણે નિશ્ચ હે ગૌતમ ! તે કાલે તે સમયે વારાણસી નામની નગરી હતી. તે વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ઋદ્ધિવાળો યાવતુ બીજાથી પરાભવ ન પામે તેવો હતો. તથા ઋગ્વદ વિગેરેમાં યાવતું સુપરિનિષ્ઠિત એટલે વિદ્વાન હતો. એકદા ત્યાં પાશ્વનાથસ્વામી સમવસર્યા. તે વખતે નગરમાંથી પર્ષદા નીકળીને ભગવાન ની સેવા કરવા લાગી. તે વખતે તે સોમિલ બ્રાહ્મણે આ કથાનો અર્થ પ્રાપ્ત કર્યો ત્યારે તેને આ આવા પ્રકારનો આત્માને વિષે વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે પુરુ ષોને વિષે આદાનનામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંત એક ગામથી બીજે ગામ વિહાર કરતા અનુક્રમે યાવતુ અહીં આપ્રશાલ નામના ઉદ્યાનમાં આવીને રહ્યા છે. તો હું પણ ત્યાં જાઉં અને પાર્શ્વનાથ અરિહંતની પાસે પ્રગટ થાઉં. તથા આ આવા પ્રકારના અર્થોને, હેતુને વિગેરેને પૂછું, પછી તે સોમિલ બ્રાહ્મણ વિદ્યાર્થી રહિત એકલો જ નીકળ્યો. યાવતું ભગવાન પાસે જઈ આ પ્રમાણે બોલ્યો. હે ભગવાન! તમારે યાત્રા છે? તમારે યાપનીય છે? વળી પૂછ્યું કે સરિસવયા. માસા, કુલત્થા ભક્ષ્ય છે? તમે એક છો ? વિગેરે પ્રશ્નોના ઉત્તર સાંભળી યાવતું તે બોધ પામ્યો. એટલે શ્રાવકધર્મ અંગી કાર કરી પોતાને ઘેર ગયો. ત્યારપછી તે પાર્શ્વનાથ અરિહંત. એકદા કદાચિતુ વાણારસી નગરીના આમ્રશાલ નામના ચૈત્યથી બહાર નીકળ્યા. નીકળીને બહારના દેશોમાં વિચ રવા લાગ્યા. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા કદાચિત સાધુના દર્શન નહીં થવાથી અને સાધુની પર્ફપાસના નહીં થવાથી મિથ્યાત્વના પર્યાયો વૃદ્ધિ પામવા લાગ્યા અને સમકિતના પર્યાયો હાનિ પામવા લાગ્યા. તેથી તે મિથ્યાત્વને પામ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ એકદા કદાચિત્ રાત્રિના પૂર્વ અને અપર ભાગની વચ્ચે એટલે મધ્ય રાત્રિને સમયે કુટુંબ જાગરીકાએ જાગતો હતો એટલે કુટુંબ સંબંધી ચિંતા-વિચાર કરતો હતો. તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યા ત્મિક એટલે આત્માને વિષે યાવતુ વિચાર ઉત્પન્ન થયો કે આ પ્રમાણે નિત્યે વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ મોટા [19]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy