SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ સુરપત્તિ -૧/પ/ર૭ એંસી યોજન જમ્બુદ્વીપને અવગાહિત કરીને અથતુ ગતિ કરે છે. ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે. આજ પ્રમાણે સર્વબાહ્યમંડળમાં સૂર્યના ભ્રમણ કાળમાં પણ સમજી લેવું. વિશેષતા કેવળ રાત્રી દિવસના પ્રમાણની વિષમતા એટલે કે ફેરકારવાળી ગતિને લઈને હોય છે, અહીયાં વિશેષતા એ છે કે-લવણ સમુદ્રમાં એકસો તેત્રીસ યોજનાનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે, | પાહુડ૧/પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પાહુડપાહુડ-) [૨૮] હે ભગવન્! એક એક રાત્રિ દિવસમાં સૂર્ય પ્રવિષ્ટ થઈને ગતિ કરે છે તેમ કહેવામાં આવેલ છે ? આ વિષયના સંબંધમાં સાત પ્રતિપત્તીયો કહેવામાં આવેલ છે. કોઈ એક તીર્થાન્તરીય કહે છે બે યોજન તથા બેંતાલીસનો અધ ભાગ એવું એક યોજનના એકસો ત્રાશી ભાગ ક્ષેત્રનું એક એક રાત દિવસમાં વિકમ્પન કરતો સૂર્ય પોતાની ગતિ કરે છે, કોઈ બીને પોતાના મતને પ્રગટ કરે છે. અર્ધ તૃતીય યોજને એક એક રાત દિવસમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. ત્રીજે પરમતવાદી કહે છે ત્રણ ભાગ ઓછા ત્રણ યોજન જેટલા ક્ષેત્રનું એક એક રાતદિવસમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. ચોથો મતવાદી કહેવા લાગ્યો, ત્રણ યોજના અને એક યોજનના સુડતાલી સનો અર્ધો ભાગ તથા એક યોજનનો એકસો વ્યાશીમાં ભાગ ક્ષેત્રનું એક એક રાત દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. પાંચમો કહે છે. અધું ચોથું યોજન એક એક રાતદિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. છઠ્ઠો પરમતવાદી ચાર ભાગ ઓછા ચાર યોજના એક એક રાતદિવસમાં વિકંપન કરીને સર્વ ગતિ કરે છે. સાતમો અન્યતીર્થિક કહેવા લાગ્યો ચાર યોજન તથા પાંચમુ યોજન અર્થે તથા એક યોજનનો૧૮૭મો ભાગ એક એક અહોરાત્રીમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. વીતરાગ ભગવાન મહાવીર સ્વામી કહે છે- બે યોજન તથા એક યોજના એકસઠિયા એડતાલીસ ભાગ એક એક મંડળ ક્ષેત્રનું એક એક અહોરાત્રમાં વિકમ્પન કરીને સૂર્ય ગતિ કરે છે. આ જંબૂઢીપ નામનો દ્વીપ યાવતું પરીક્ષેપથી કહેલ છે, તેમાં જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ થાય છે તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે, નિષ્ક્રમણ કરતો સૂર્ય નવા સંવત્સરને પ્રવતવિતા પહેલા અહોરાત્રમાં અત્યંતરની પછીના મંડળમાં પ્રવેશ કરીને એ મંડળમાંથી બહાર જતો સૂર્ય નવા અયનનો પ્રારંભ કરતો નવા સંવત્સરના પહેલા અહોરાત્રમાં સભ્યન્તર મંડળની પછીના બહારના બીજા મંડળમાં એટલે કે કકન્ત અહોરાત્ર મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય અત્યંતરની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે બે યોજન અને એક યોજનાના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને ગતિ કરે છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એક મુહૂર્તના એકસ ઠિયા બે ભાગ ન્યૂન તથા એકસઠિયા બે ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે. તે Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy