SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧,પાહુડ-પાહુડ-૫ ૧૯ કહો. તેમાં આ પાંચ પ્રતિપત્તિયો કહેવામાં આવેલ છે. કોઈ એક પરતીર્થિક પોતાના મતનું સ્વરૂપ બતાવે છે, એક હજાર યોજન તથા એકસો તેત્રીસ યોજન દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક પરતીથિક આ પૂર્વોક્ત મતનું પ્રતિપાદન કરે છે. બીજો કોઈ પરમતવાદી કહે છે, એક ૨૧૩૪ યોજન પરિમિત દ્વીપ અને સમુદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ત્રીજો અન્ય મતવાદી કહે છે- ૧૧૩પ યોજન વાળા દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે. કોઈ એક ચોથો મતાવલબમ્બી કહેવા લાગ્યો અધ દ્વીપ અને સમુદ્રને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, કોઈ એક પાંચમો મતવાદી કહે છે ૧૧૩૩ યોજનના પ્રમાણવાળા દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, તેમાં જેઓ એ પ્રમાણે કહે છે કે એક હજાર એકસો તેત્રીસ યોજન દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે, તેનો તેમ કહેવાનો હેતુ આ પ્રમાણે છે કે જ્યારે સૂર્ય સભ્યન્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે જંબૂદ્વીપને ૧૧૩૩ યોજના સૂર્ય પોતાની ગતિ કરે છે. ત્યારે પરમ પ્રકર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા બાર મુહૂર્ત પ્રમાણવાળી જઘન્ય એટલે કે રાત્રી હોય છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે લવણસમુદ્રને ૧૧૩૩ યોજનનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તનો દિવસ હોય છે. આજ પ્રમાણે એકસો ચોત્રીસ યોજનના પ્રમાણ વિષે અને એકસો પાંત્રીસ યોજનના પ્રમાણ સંબંધમાં પણ સમજી લેવું. એકસો પાંત્રીસ યોજનની અવગાહના ક્ષેત્રના પક્ષમાં પણ સૂર્ય સવભ્યન્તરમંડળમાં આવે ત્યારે દિનમાન અઢાર મુહૂર્ત પ્રમાણવાળો હોય છે. તથા રાત્રિમાન કે બાર મુહૂર્તનું હોય છે. તેઓમાં જેઓ એવું કહે છે કે અપાઈ દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે અર્ધ અધ ભાગથી રહિત સૂર્ય ત્યાં પોતાની ગતિ કરતો દ્રષ્ટિગોચર થાય છે. એ અન્યમતવાદિયો નિમ્નોક્ત પ્રકારથી કહે છે જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અધ જંબૂઢીપનું અવગાહન કરીને ગતિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ટા પ્રાપ્ત અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્યા બાર મુહૂર્તની રાત હોય છે. આ જ પ્રમાણે સર્વબાહ્યમંડલના સંબંધમાં પણ સમજી લેવું વિશેષતા એ છે કે લવણ સમુદ્રના અધ ભાગને છોડીને જ્યારે સૂર્ય અવગાહન કરે છે. ત્યારે પણ દિવસરાત્રીની વ્યવસ્થા એ જ પ્રમાણે કહેવામાં આવેલ છે. તેમાં જેઓ એવું કહે છે કે કોઈ પણ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરતો નથી. તેઓ વક્ષ્યમાણ કથનના પ્રકારથી કહે છે. જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળનું ઉપ સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે તે કોઈ પણ દ્વીપ કે સમુદ્રને અવગાહિત કરીને ગતિ કરતો નથી. તો પણ ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કર્ષથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી હોય છે, એ જ પ્રમાણેનું સઘળું કથન સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ કહેલ સમજવું. વિશેષમાં લવણસમુદ્રને અવગાહિત કરીને પણ સૂર્ય ગતિ કરતો નથી તથા રાત્રિ દિવસની વ્યવસ્થા પણ એજ પૂર્વોક્ત પ્રકારના પ્રમાણે જ છે. કોઈ પરમતવાદી એ પ્રમાણે કહે છે. [૨૭] હે ગૌતમ હું આ સંબંધમાં કહું છું જ્યારે સૂર્ય સ ભ્યત્તરમંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે જ્યારે સંચાર કરે છે ત્યારે તે મંડળના ભ્રમણકાળમાં એકસો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy