SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સૂરપન્નત્તિ- ૧/૨/૨૨ બે મુહૂર્તના એકસઠ ભાગ વધારે બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ થાય છે. ઈત્યાદિ તે પછી એ અહોરાત્ર સમાપ્ત થઇ જાય ત્યારે સૂર્ય અભ્યન્તરમાં પ્રવેશ કરીને બીજા છ માસના બીજા અહોરાત્રમાં દક્ષિણ ભાગથી દક્ષિણદિભાવી સર્વબાહ્યાનન્તર બીજા મંડળગત અડતાલીસ યોજનના એકઠિયા ભાગથી વધારે તે પછીના સમીપવર્તિ બે યોજન પ્રમાણવાળા અપાન્તરાલ રૂપ ભાગથી નીકળીને જે સર્વબાહ્યાભ્યન્તરના ત્રીજા ઉત્ત રાધે મંડળના આદિ પ્રવેશથી ત્રીજા સર્વબાહ્ય અર્ધમંડળ સંસ્થિતિની ત્રીજી પછીની અર્ધમંડળસંસ્થિતિમાં ઉપસં ક્રમણ કરીને ગતિ કરે છે. આ રીતના ઉપાયથી દરેક અહો રાત્રના અભ્યન્તર એક સઠિયા અડતાલીસ ભાગથી બે યોજનના વિકમ્પન રીતે ધીરે ધીરે અભ્યન્તર મંડળમાં પ્રવેશ કરીને સૂર્ય તે પછીના અર્ધમંડળથી તે પછીના એ એ દક્ષિણપૂર્વભાગ રૂપ પ્રદેશમાં અથવા ઉત્તરપશ્ચિમ રૂપ ભાગમાં તે તે અર્ધમંડળ સંસ્થિતિનું સંક્રમણ કરતાં કરતાં બીજા છ માસના ૧૮૨માં અહોરાત્રના અંતભાગમાં જાય ત્યારે ઉત્તર દિશાના અંતરથી સર્વબાહ્ય મંડળની અપેક્ષા કરીને જો ૧૮૨મું મંડળ તેની અંદરના યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ વધારે તદનન્તરના અભ્યન્તર બે યોજન પ્રમાણ અપાન્તરાલ રૂપ ભાગથી સર્વાભ્યન્તર મંડળની અંદરના દક્ષિણાર્ધ આદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વાભ્યન્તર દક્ષિણની અર્ધમંડળની સંસ્થિતિનું ઉપસં ક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વાભ્યન્ત રની દક્ષિણ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ રીતે બીજા છ માસ થાય છે, [૨૩] હે ભગવન્ ! ઉત્તરદિશા સંબંધી અર્ધમંડળસંસ્થિતિ કઈ રીતે કહી છે તે મને કહો. જે પ્રમાણે દક્ષિણાર્ધમંડળની વ્યવસ્થા પહેલાં કહી છે, એજ પ્રમાણે ઉત્તરાર્ધ મંડળની સંસ્થિતિ પણ સમજી લેવી, એ પ્રમાણે આ ઉપાયથી યાવત્ સર્વબાહ્ય દક્ષિણ ર્ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને યાવત્ દક્ષિણદિશા સંબંધી સર્વબાહ્ય મંડળની પછી ઉત્તરાર્ધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરે છે. અને ઉત્તરથી સર્વબાહ્ય ત્રીજી દક્ષિણાર્ધમંડ ળસંસ્થિતિમાં ગમન કરે છે. તે પછી ત્રીજા મંડળથી દક્ષિણના ક્રમથી જ અર્ધમંડળ સંસ્થિતિનું ઉપસંક્રમણ કરતા કરતા યાવત્ સર્વાભ્યન્તરમંડળને પ્રાપ્ત કરે છે ત્યારે બીજા છ માસ થાય છે. આ પ્રમાણે બીજા છ માસનો અંત થાય છે, પાહુડ ૧/૨ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ પાહુડપાહુડ: ૩ [૨૪] કર્યો સૂર્ય બીજા સૂર્યે ચીર્ણ કરેલ-ભોગવેલ ક્ષેત્રનું પ્રતિચરણ કરે છે ? આ મધ્યજંબૂદ્વીપમાં ભારતીય સૂર્ય અને ઐરવતીય સૂર્ય એમ બે સૂર્યો કહ્યા છે, એ બે સૂર્યો દરેક સૂર્ય અલગ અલગ પોતપોતાના સ્વતંત્રપણાથી ત્રીસ ત્રીસ મૂહૂર્ત પ્રમાણથી એક એક અર્જુમંડળમાં સંચરણ કરે છે. એકસો ચોર્યાશી સૂર્યના મંડળ હોય છે. એ મંડળોમાં સંચરણ કરતા બે સૂર્ય પૈકી એક એક સૂર્ય નક્ષત્ર સંબંધી સાઈઠ ઘટિ કાત્મક કાળથી એક એક અધિ મંડળમાં સંચરણ નામ ગતિ કરે છે. સાઠ સાઠ મુહૂર્તો માંથી એટલે કે બે અહો રાત્રથી સંપૂર્ણ એક એક મંડળનો સંઘાત કરે છે, ભરતક્ષેત્રમાંથી નિષ્ક્રમણ કરતો ભાર તીય અને ઐરવતીય એ બેઉ સૂર્ય એક બીજાથી ચીર્ણ ભોગવેલ ક્ષેત્રનું સંચરણ કરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy