SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પાહડ-૧,પાહડપાહુડ-૨ ૧૩ સંબંધી અને બીજી ઉત્તર દિભાવી સૂર્ય સંબંધી આપે દક્ષિણદિભાવી સૂર્ય સંબંધી અર્ધમંડળની વ્યવસ્થા કેવી કહી છે? જ્યારે સૂર્ય સવભ્યિન્તર દક્ષિણાર્ધ્વમંડળ વ્યવસ્થા. માં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, જઘન્ય સૌથી નાની બાર મુહૂર્તની રાત હોય છે. તે નિષ્ક્રમણ કરતો સૂર્ય સંવત્સરનો પ્રાપ્ત કરીને પહેલા અહોરાત્રમાં દક્ષિણની પછીના ભાગથી તેના આદિપ્રદેશની અંદર અર્ધ્વમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એવો તે સૂર્ય સભ્યન્તરગત પ્રથમ ક્ષણ પછી ધીરે ધીરે નિષ્ક્રમણ કરીને અહોરાત્રિ સમાપ્ત થયા પછી નવા સંવત્સરને પ્રાપ્ત કરીને નવા પ્રથમ અહોરાત્રિમાં દક્ષિણ દિભાવી સવભ્યિત્તર મંડળગત ૪૮ યોજનના એકસઠિયા ભાગ અધિક બે યોજન પ્રમાણવાળા અપાત્તરાલમાંથી નીકળીને ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સવભ્યન્તરાનન્તર ઉત્તરાદ્ધ મંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે દિવસ એકસઠિયા બે ભાગ ન્યૂન અઢાર મુહૂર્તનો હોય છે તથા રાત એકસઠિયા બે ભાગ વધારે બાર મુહૂર્તની નાની હોય છે. તે પછી દક્ષિણ દિશાસંબંધી ત્રીજા અધમંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સવ ભ્યન્તર પ્રદેશની અપેક્ષા કરીને દક્ષિણ દિશાની ત્રીજી અર્ધમંડળ વ્યવસ્થામાં ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે. તત્પશ્ચાતું જ્યારે સૂર્ય સવભ્યિન્તર મંડળથી ત્રીજા દક્ષિણ દિશા સંબંધી અર્ધમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે એકસઠિયા ચાર મુહૂર્ત ન્યૂન અઢાર મુહૂર્તનો દિવસ હોય છે તથા એકઠિયા ચાર મુહૂર્ત અધિક બાર મહુર્તની રાત હોય છે. એ કહેલ રીતથી પ્રત્યેક અહોરાત્ર એક યોજનના એકઠિયા અડતાલીસ ભાગ અધિક બે યોજન વિકમ્પ રૂપથી નીકળતો સૂર્ય તદન્તરના અર્ધમંડળ થી તદન્તરના એ એ પ્રદેશોમાં દક્ષિણપૂર્વ ભાગમાં અથવા ઉત્તરપશ્ચિમ ભાગમાં એ એ અદ્ધમંડળસંસ્થિતિને સંક્રમણ કરીને એકસો બાવીસમાં અહોરાત્રીની નજીક જાય ત્યારે દક્ષિણ દિભાગના અંતરથી ૧૮માં મંડળમાં જઈને યોજનના એકસઠિયા અડતા લીસમા ભાગથી કંઈક વધારે તે પછીના બે યોજન પ્રમાણવાળા અપાન્તર રૂપ ભાગથી ઈત્યાદિ એ સર્વબાહ્યમંડળગત ઉત્તર દિશાના અર્ધમંડળાદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વબાહ્ય ઉત્તરાર્ધમંડળની સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરવર્તી અર્ધ્વમંડળ સંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. ત્યાં પરમ ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તની રાત હોય છે. તથા જઘન્ય સૌથી નાનો બાર મુહૂર્તનો દિવસ થાય છે. તે સૂર્ય સર્વબાહ્ય ઉત્તરાર્ધ મંડળના આદિ પ્રવેશથી ઉપરથી ધીરે ધીરે સર્વબાહ્ય અનંતર બીજા દક્ષિણાઈ મંડલાભિમુખ સંક્રમણ કરીને તે અહોરાત્ર સમાપ્ત થાય ત્યારે અભ્યન્તર મંડળમાં પ્રવેશ કરીને બીજા છ માસના પહેલા અહો રાત્રમાં ઉત્તર દિશા સંબંધી સર્વબાહ્ય મંડળાન્તર્ગત સર્વબાહ્ય મંડળના અનન્તરાદ્ધ મંગળગત યોજનના એકસઠિયા ભાગ તદન્તરના સમીપતિ બે યોજન પ્રમાણવાળા અપાન્તરાલ રૂપ ભાગથી દક્ષિણ દિભાવિ સર્વબાહ્યાભ્યન્તર દક્ષિણાર્ધ મંડળના આદિ પ્રદેશનો આશ્રય કરીને સર્વ બાહ્યમંડળની પછીના આભ્યન્તર દક્ષિણાધ મંડળ ની સંસ્થિતિમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. જેથી અહોરાત્રીના પર્યન્તભાગમાં સર્વબાહ્યમંડળના અભ્યન્તર ત્રીજા અર્ધમંડળની સીમામાં થાય છે, તે પછી જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળની પછી દક્ષિણની અધમંડળસંસ્થિતિને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy