SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૨ ૧૧૭. ગોકર્ણ- એ બધાં પ્રાણીઓ હોય છે? હા, ગૌતમ! એ સર્વ જીવો તે કાળમાં હોય છે. તે સમયના માણસોના ઉપયોગમાં કદ્યપિ આવતા નથી. હે ભદન્ત, તે કાળમાં, આ ભરત ક્ષેત્રમાં સિંહ વ્યાધ્ર, વૃક વરૂ દ્વીપિક વ્યાધ્ર ચિત્તો, રીછ તરક્ષ શ્રગાળ બિડોલ કૂતરું કોક ત્તિક લોંકડી અને મોટા સ્વરો અથવા વન્ય શ્વાનો હોય છે? હા ગૌતમ! એ સર્વ વન્ય પ્રાણીઓ તે કાળમાં આ ભરતક્ષેત્રમાં હોય છે, પણ એ વન્ય પ્રાણીઓ તે માણસોને સહેજ પણ કષ્ટ આપતા નથી, એ શ્વાપદગણો-વન્ય પ્રાણીઓ સ્વભાવતઃ ભદ્ર હોય છે. ભદન્ત ! શું તે કાળમાં ભરત ક્ષેત્રમાં શાલિ-કલમાદિ ધાન્ય વિશેષ વહિ-ધાન્ય, ગોધૂમ ગેહું યવ જવ યવયવ જુઆર અથવા વિશેષ પ્રકારનો યવ કલાય વષણા મસૂર મુદ્દદ્ગ મગ માષ અડદ તિલ કદ્રવ ડુંગળી કંગુ મોટી કાંગની વરક ધાન્ય વિશેષ સરસવ અને મૂળક બીજ મૂળીનાં બી એ સર્વ જાતના બીજો હોય છે? હા, ગૌતમ ! તે કાળમાં ભરતક્ષેત્રમાં એ સર્વ જાતનાં બીજો હોય છે પરંતુ એ સર્વ પ્રકારનાં બીજો તે કાળના મનુષ્યોના ભોગોપભોગના ઉપયોગમાં આવતાં નથી, હે ભદન્ત ! શું તે કાળમાં સુષમસુષમા નામના આરામાં આ ભરત ક્ષેત્રમાં ખાડાઓ હોય છે ? દરીકંદરાઓ હોય છે? અલપાતો ગુપ્ત ખાડાઓ હોય છે? પ્રપાત ભૃગુ હોય છે ? વિષમસ્થાનો હોય છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે તે કાળમાં ભરતક્ષેત્રમાં એવા સ્થાનો હોતા નથી કેમકે તે તે કાળ તો ભરતક્ષેત્ર બેહુ સમરમણીય ભૂમિભાગથી સુશોભિત હોય છે. હે ભદન્ત ! તે કાળમાં આ ભરતક્ષેત્રમાં શું સ્થાણુઓ શાખાં પત્ર રહિત વૃક્ષો હોય છે? કાંટાઓ હોય છે ? તૃણ ઘાસ હોય છે અને કાવર કચરો વગેરે હોય છે ? આ અર્થ સમર્થ નથી એટલે સુષમસુષમા નામે કાળ સ્થાણું કંટક તૃણ કચવર વગેરેથી સર્વથા રહિત હોય છે. ભદન્ત ! તે કાળમાં તે ભરતક્ષેત્રમાં દેશ મશક મચ્છર યૂક જૂ લિક્ષા લીખ ઢિંકુણ માંકડ અને પિશુક ડાંસો હોય છે? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી તે કાળ જ એવો હોય છે કે જેમાં એ ઊપદ્રવકારી જીવો ભરતક્ષેત્રમાં ઊત્પન જ થતાં નથી. હે ભદન્ત ! તે આરામાં ભરતક્ષેત્રમાં શું સર્પ અને અજગરો હોય છે હા, ગૌતમ ! પણ તે જીવો માણ. સોને સહેજ પણ કષ્ટ આપતા નથી કારણ કે એ સર્વ સર્પ વગેરે સ્વભાવતઃ ભદ્ર હોય છે શું તે સુષમસુષમાનામના આરામાં આ ભરતક્ષેત્રમાં ઊપદ્રવો હોયછે ? ડમરો કલહ બોલ ઈષ્યભિાવ વૈર હિંસ્યહિંસક ભાવ મહાયુદ્ધ મહાસંગ્રામ મહાશસ્ત્રોનું પતન મહાપુરુષોનું પતન હોય છે ? મહારક્તપાત થાય છે? પ્રવાહરૂપમાં રક્તપાત થાય છે? આ અર્થ સમર્થ નથી તે કાળના મનુષ્યો વેરભાવથી રહિત હોય છે. હે ભદન્ત ! તે કાળે ભરતક્ષેત્રમાં દુષ્ટભૂતો-ધાન્યાદિને નુકસાન પહોંચાડનારા શલભ વગેરે ઈતિઓ-હોય છે? કુલરોગો ગ્રામરોગ પોટ્ટરોગ સર્વવેદનાઓ હોય છે ? દાહરોગ અર્ણરોગ હરસનો રોગ અજીર્ણ પાંડુરોગ એકાંતરિયો તાવ ઈન્દ્રગ્રહ ધનુગ્રહ સ્કન્દગ્રહ કુમારગ્રહ યશ્રગ્રહ ભૂતગ્રહ એ સર્વ હોય છે? તેમજ તે મસ્તક શૂળ દ્ધયશૂળ ઉદરશૂળ કુક્ષિશૂળ હોય છે ? યોનિશુળ રોગ વિશેષથી ગ્રામમાં ઘણાં જીવોનું મરણ થાય છે ? હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી કેમકે- સોળ પ્રકારના રોગો અને આતંકોથી તે કાળના લોકો વિહીન હોય છે. [૩૮] હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરત ક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની હોય છે ? હે ગૌતમ ! તે સુષમ કાળના સમયમાં ભરત ક્ષેત્રના મનુષ્યોનું આયુ જઘન્ય-કંઈક સ્વલ્પ ત્રણ પલ્યોપમ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક કમ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy