SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: જંબુદ્રીવપન્નત્તિ – ૨/૩૭ હોય છે ? પ્રેષ્ય-પ્રેષણાર્તા-દૂત વગેરે હોય છે ? ભૃતક - ગૃહ સંબંધી સામાન્ય કાર્ય કરનાર હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી તે મનુષ્યો કાર્ય કરવા માટે જેમની ઉપરથી પપ્રેરણા રૂપ અભિયોગ દૂર થઈ ગયો છે, એવા હોય છે. હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળમાં ભરત ક્ષેત્રમાં માતા હોય છે ? પિતા હોય છે ? ભાઈ હોય છે ? બહેન હોય છે, પુત્ર હોય છે દુહિતા-પુત્રી-હોય છે ? પુત્ર વધૂ હોય છે ? હા, ગૌતમ ! આ સર્વ સંબંધો તે કાળમાં હોય છે પણ તે માણસોને તે સંબંધોમાં તીવ્ર પ્રેમ ભાવ હોતો નથી. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં શું કોઈ કોઈ નો શત્રુ હોય છે ? કોઈ ઘાતકર્તા બીજા વડે વધકરાવનાર હોય છે શું પોતે કોઈની હત્યા કરનાર હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે મનુષ્યો વૈરાનુબન્ધથી પર હોય છે. હે ભદન્ત ! તે કાળમાં આ ભરત ક્ષેત્રમાં શું કોઇ સ્નેહી હોય છે ? શું કોઈ વયસ્ય હોય છે ? શું કોઇ સ્વજાતીય હોય છે ? અથવા શું કોઈ સંઘટિક હોય છે ? અથવા શું કોઈ સખા હોય છે ? હા ગૌતમ ! આ બધું ત્યાં હોય છે પરસ્પર કોઇ કોઇની સાથે અતિશય -તીવ્ર-પ્રેબન્ધનમાં આબદ્ધ રહેતું નથી હે ભદન્ત ! તે સુષમ સુષમા કાળના સમયમાં આ ભરત ક્ષેત્રમાં આવાહ-વિવાહ પહેલાનો વાગ્નાન રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? વિવાહ પરિણયન રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? અગ્નિમાં ધૃતાદિકથી હવન કરવા રૂપ ઉત્સવ વિશેષ હોય છે ? મૃત્યુ પછી પંક્તિભોજન આદિ રૂપ ક્રિયા-હોય છે ? પાક-લોકગમ્ય મૃતક ક્રિયા વિશેષ હોય છે ? તે કાળના મનુષ્યો આવાહ, વિવાહ, યજ્ઞ, શ્રાદ્ધ સ્થાલીપાક અને મૃતપિંડ નિવેદન એ સર્વ ક્રિયાઓથી રહિત હોય છે. હે ભદન્ત ! શું તે સુષમસુષમા કાળના સમયમાં આ ભરતક્ષેત્રમાં ઇન્દ્રના નિમિત્ત ઉત્સવો યોજવામાં આવે છે ? કાર્તિકેયને અનુલક્ષી નાગ કુમારને અનુલક્ષીને યક્ષના નિમિત્તે ભૂતોનાં નિમિત્તે કૂપોના નિમિત્તે તડાગ તળાવો-ના નિમિત્તે દ્રહને, નદીને, વૃક્ષને, પર્વતને, સ્તૂપકોને, સ્મૃતિસ્તં ભોને તેમજ ચૈત્યને મૃતક સ્મૃતિચિન્હને અનુલક્ષીને ઉત્સવો યોજવામાં આવે છે હે ગૌતમ આ અર્થ સમર્થ નથી, કેમકે તે કાળમાં મનુષ્યો એવા હોય છે કે દરેક જાતના ઉત્સવો યોજવાની ભાવનાઓથી તેઓ દૂર રહે છે. તે સુષમસુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શું નટોના ખેલ તમાશાઓને જોવા મનુષ્યોના ટોળાઓ એકત્ર થાય છે ? નાટ્ય-નાટકના અભિનય વિગેરેને જોવા માટે મનુષ્યો એકઠા થાય છે ? જલ્લ-વર્ત પર અનેક જાતનાં ખલ તમાશાઓ મલ્લો વડે કરવામાં આવેલ બાહુ યુદ્ધોને મુષ્ઠિઓ વડે યુદ્ધ કરનારા મલ્લો વિદૂષકોના સુલલિત કથાના વાંચનથી શ્રોતાઓના હૃદયોમાં રસ ઉત્પન્ન કરાવનારા કથક પુરુષ વડે કહેવામાં આવેલ કથાને સાંભળવા માટે માણસો એકત્રિત થાય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, કેમકે જેમના ચિત્તમાંથી આ જાતનાં કૌતુકો જોવાનો ભાવ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો છે હે ભદન્ત શું તે સુષમ સુષમા કાળના સમયમાં ભરત ક્ષેત્રમાં શકટ સામાન્ય બળદ ગાડીઓ હોય છે ? રથો હોય છે ? યાનો શકૂટ તેમજ રથાતિરિક્ત સવારી ગાડી ઓ હોય છે ? નાની નાની પાલખીઓ હોય છે ? ગિલ્લિઓ હોય છે ? થિલ્લિયો હોય છે ? શિબિકાઓ હોય છે ? સ્વન્દ્વમાનિકાઓ હોય છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. ત્યાંના માણસો પાદચારી જ હોય છે. હે ભદન્ત ! તે કાળમાં ભરત ક્ષેત્રમાં અશ્વ હસ્તી ઉષ્ટ્ર- ગાય, ગવય. રોઝ, અજા એડક. પસય મૃગ વરાહ શરભ-, ચમર- કુરંગ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy