SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ જંબુટ્ટીવપન્નત્તિ - ૧/૨૧ લંબાઈ એક ગાઉ અને ચોડાઈ અર્ધા ગાઉ છે. તેમજ કંઈક કમ એક ગાઉ જેટલી એની ઉંચાઇ છે. ૠષભકૂટ નામ આનું યથાર્થ જ છે. આ પર્વતનું જે ઋષભકૂટ નામ કહેવાય છે તેનું કારણ આ છે કે તેની ઉપર ઋષભ નામનો દેવ કે જે મહર્દિક મહાદ્યુતિક મહાબલ, મહાયશસ્વી, મહાસુખી તેમજ પલ્યોપમની સ્થિતિવાળો છે. ઋષભદેવની ૠષભા નામક રાજધાની ૠષભકૂટની દક્ષિણદિશામાં છે ઈત્યાદિ. પૂર્વવત્. વાર-૧ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ વારો-૨ [૨૨] હે ભદંત ! જંબુદ્રીપ નામક આ દ્વીપમાં કેટલા પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે ? બે પ્રકારનો કાળ કહેવામાં આવેલ છે. એક અવસર્પિણી કાળ અને બીજો ઉત્સર્પિણી કાળ, અવસર્પિણી કાળ ૬ પ્રકારનો કહેવામાં આવેલ છે. જેમ “સુસ્સમદુસ્સ માકાળ, સુસમાકાળ, સુસમદુસ્લમકાળ, દુસમસુસમાકાળ, દુસ્લમાકાળ, દુસ્સમ દુસ્ટમાકાળ” સુસમસુષમા કાળ ઉત્સર્પિણી કાળ ૬ પ્રકારનો કહેવામાં આવેલ છે, દુષ્પમદુખમાકાળ યાવત્ સુષમસુષમા કાળ હે ભદંત એક એક મુહૂર્તના કેટલા ઉચ્છ વાસ નિઃશ્વાસ પ્રમિત કાળ વિશેષ કહેવાય છે ? હે ગૌતમ ! આગળ પ્રસિદ્ધ સમયનું સ્વરૂપ કે જેમ શાસ્ત્રકારોએ પટશાટિકાની ફાડવાના દૃષ્ટાંતથી કહેલ છે જે કાલ નું સર્વથી જઘન્ય રૂપ પ્રમાણ છે એવા અસંખ્યાત સમયોના સમુદાય રૂપ એક આવલિકા કહેવામાં આવી છે. ૨૫૬ આવલિકાઓનો એક ક્ષુલ્લક ભવ હોય છે. કંઇક વધારે ૧૭ ક્ષુલ્લકભવોનો એક ઉચ્છ્વાસ નિઃશ્વાસ રૂપ કાળ હોય છે. [૨૩-૨૫] એવો પુરુષ હોય કે જેને યુવાવસ્થા પ્રાપ્ત હોય અને સમર્થ હોય ગ્લાનિ વર્જિત હોય, સર્વદા વ્યાધિ વિહીન હોય એવા તે નિરોગી મનુષ્યનો જે એક ઉચ્છ્વાસ યુક્ત નિઃશ્વાસ છે તેનું નામ પ્રાણ કહેવામાં આવેલ છે. એવા સાત પ્રાણોનો એક સ્તોક હોય છે. સાત સ્તોકોનો એક લવ હોય છે. ૭૭ લવોનું એક મુહૂર્ત હોય છે. ૩૭૭૩ ઉચ્છ્વાસ-નિઃશ્વાસોનું એક મુહૂર્ત હોય છે. એવા મુહૂર્ત પ્રમાણથી ૩૦ મુહૂર્તનો એક અહોરાત્ર હોય છે. પંદર અહોરાત્રનો એક પક્ષ હોય છે. બે પક્ષનો એક માસ હોય છે. બે માસની એક ઋતુ હોય છે. ત્રણ ઋતુઓનું એક અયન હોય છે. બે અયનો નો એક વંત્સર હોય છે. પાંચ સંવત્સરનો એક યુગ હોય છે. વીસ યુગોના એક સો વર્ષ હોય છે. ૧૦ સો વર્ષોના એક હજાર વર્ષ હોય છે. ૧૦૦ હજાર વર્ષોના એક લાખ વર્ષો હોય છે. ૮૪ લાખ વર્ષોનું એક પૂર્વાંગ હોય છે, ૮૪ લાખ પૂર્વાંગનો એક પૂર્વ હોય છે, પૂર્વવર્ષનું પ્રમાણ આ પ્રમાણે કહેવામાં આવેલ છે. ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦, ૮૪ લાખ પૂર્વનું એક ત્રુટિતાંગ હોય છે ૮૪ લાખ ત્રુટિતાંગ બરાબર એક એડડાંગ હોય છે. ૮૪ લાખ અડડાંગ બરાબર એક અડડ હોય છે. ૮૪ લાખ અડડનું એક અવવાંગ હોય છે. ૮૪ લાખ અવવાંગ બરાબર એક અવવ હોય છે. ૮૪ લાખ અવવનું એક હુહુકાંગ હોય છે. ૮૪ હુહુકાંગ બરાબર એક હુહુક હોય છે, ૮૪ લાખ હુહુક બરાબર એક ઉત્પન્લાંગ હોય છે. ૮૪ લાખ ઉત્પલાંગ બરાબર એક ઉત્પલ હોય છે. ૮૪ લાખ ઉત્પલનું એક પદ્માંગ હોય છે. ૮૪ લાખ પદ્માંગનુ એક પદ્મ હોય છે. ૮૪ લાખ પદ્મનું એક નલિનાંગ હોય છે. ૮૪ લાખ નિલનાંગ બરાબર એક નલિન હોય છે. ૮૪ લાખ લિનનું એક અનપૂરાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy