SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ જીવાજીવાભિગમ- ૩/હ-સ./૧૬૪ છે, એજ કારણથી તે અચ્છિદ્ર પત્રોવાળા છે. આ વૃક્ષો પર જે પાન જુના થઈ જાય છે અને સફેદ થઈ જાય છે, તે પત્રો પવન દ્વારા જમીન પર પાડી નાખવામાં આવે છે. આ વૃક્ષો અલબ્ધ ભાગવાળા હોવા છતાં પણ દર્શનીય હોય છે, આ વૃક્ષો કાયમ કુસુમતિ રહે છે. નિત્ય મુકુલિત રહે છે, નિત્ય પલ્લવિત રહે છે, નિત્ય ગર્ભિત રહે છે, નિત્ય ગુચ્છિત રહે છે. નિત્ય યમલિત રહે છે. નિત્ય યુગલિત રહે છે. નિત્ય વિનમિત અને પ્રણમિત રહે છે. વૃક્ષોની ઉપર શકના જોડલા, મયૂરોના જોડલા, -મેનાના જોડલા, કોયલના જોડલા, ચક્રવાકના જોડલા, કલહંસના જોડલા સારસના જોડલા વિગેરે અનેક પ્રકારના પક્ષિયોના જોડલાઓ બેઠા બેઠા ઘણે દૂર સુધી સંભાળાતા અને ઉચ્ચ સ્વર યુક્ત એવા મધુર સ્વરવાળા રમણીય શબ્દો કરતા રહે છે. એ વૃક્ષોની આસપાસના ભાગમાં બહારથી આવેલા અનેક ભમરાઓ બેસી રહે છે, અને મધુપાન કરીને મદોન્મત્ત બને છે. તથા -પુષ્પપરાગનું પાન કરવામાં તેનું લંપટ પણું જણાઈ આવે છે. તેઓ મધુર શબ્દોથી ગુમ ગુમાયમાન રહે છે. તેથી એ વૃક્ષોના પ્રદેશ ભાગોએ પક્ષિઓના ગુંજારવથી ખૂબજ સુંદર અને અત્યંત સોહામણા લાગે છે. એ વૃક્ષોના પુષ્પો અને ફળો તે વૃક્ષોની ઘટામાં જ છુપાઈ રહે છે. એ વૃક્ષો પત્રો અને પુષ્પોથી સદા ઉત્તમ રીતે આચ્છાદિત રહે છે. આ વૃક્ષોમાં વનસ્પતિકાયિક સંબંધી કોઈ પણ રોગ હોતો નથી. એ વૃક્ષોમાં બાવળ વિગેરે કાંટાવાળા વૃક્ષો હોતા નથી. તેના ફળો ઘણાજ વધારે મીઠાશવાળા હોય છે. સ્નિગ્ધ સ્પર્શવાળા હોય છે. ચોખ્ખણના આકારવાળી વાવોમાં વૃત્ત આકારવાળી પુષ્ક રણિયોમાં જુ સારિણીવાળી દીર્થિકાઓમાં જેને સંગ્રહ કરવા સારી રીતે સુંદર જાળ ગૃહો લાગેલા છે, એવા એ વૃક્ષો એવા પ્રકારના અન્ય ગધથી પણ વિશેષ પ્રકારથી મનોહર એવા ગંધને કાયમ છોડયા કરે છે, કે જેથી ગંધ વિષયક મનને તૃપ્તિ મળી જાય છે. એ તેના જે આલવાલ કયારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આ વનખંડની અંદરનો જે ભૂમિભાગ છે, તે ઘણો સમ છે, એ તેના જે આલવાલ કયારાઓ છે તે સુંદર છે તથા તેના પર જે ધજાઓ લાગેલી છે તે પણ અનેક પ્રકારના રૂપવાળી છે. આ વનખંડની અંદરનો જે ભૂમિભાગ છે, તે ઘણો સમ છે, કેવા પ્રકારનો એ સમભાગ છે તે આલિંગ પુષ્કર વિગેરેની ઉપમાઓ દ્વારા બતાવે છે. આદર્શ તલના સરખો સમતલ વાળો છે. અને સૂર્ય મંડલ જેમ સમતલ હોય છે તેવા એ ભૂમિભાગ સમતલ વાળો છે એ જ પ્રમાણે એ વનખંડની અંદરનો ભૂમિ ભાગ સમતવાળો હોય છે ભૂમિભાગ અનેક પ્રકારના પંચ વર્ણવાળા તૃણોથી અને મણિયો થી શોભાયમાન રહે છે. આ તૃણ અને મણિયો આવર્ત પ્રત્યવર્ત શ્રેણી પ્રશ્રેણી સ્વસ્તિક સૌવસ્તિક પુષ્યમાણવ વર્તમાનક શરાવસંપુટ મર્ચંડક મકરંડક આ બધી રચના ઓથી અથતુ આવી વિગેરેના લક્ષણો વાળો એ ભૂમિભાગ છે. તથા પુષ્પાવલી, પા પત્ર, સાગરતંગ, વાસંતીલતા અને પદ્ગલતાએ બધાઓની રચનાથી જેમાં ચિત્રો બનેલા છે. એવો એ ભૂમિભાગ છે. તથા આ તૃગુ અને મણિયો સુંદર કાંતિથી યુક્ત છે. બહાર નીકળતી કિરણ જાળોથી યુક્ત છે તથા બહાર રહેલ સમીપની વસ્તુઓના સમૂહ ને પ્રકાશિત કરવાવાળા ઉદ્યોત તેજથી યુક્ત છે. જે પાંચ વર્ષના તણ અને નાના પ્રકારના મણિથી એ ભૂમિભાગ યુક્ત છે, તે મણિયો કૃષ્ણવર્ણ યાવત્ શુકલ વર્ણથી સુશોભિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy