SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ જીવાજીવાભિગમ - યાદેવ/૧૫૯ લઈને ગંધર્વ દેવોના ઈન્દ્રગીત યશ સુધીનું છે તેમ સમજવું. આ સઘળા કથનોમાં પોત પોતાના ઈન્દ્રો બાબતમાંજ જુદાપણું છે. [૧૬૦] હે ભગવનું જ્યોતિષ્ક દેવ ચંદ્ર, સૂર્ય ગ્રહ તારા અને નક્ષત્ર દેવોના વિમાનો કયા સ્થાનપર આવેલા છે ? જ્યોતિષ્ક દેવો કયાં રહે છે? હે ગૌતમ! દ્વીપ અને સમુદ્રોની ઉપર તથા આ રત્નપ્રભા પૃથ્વીના સમભૂમિભાગથી કે જે રૂચક પ્રદેશથી જણાય છે. તેનાથી ૭૯0 યોજન જાય ત્યારે ૧૧૦ યોજન પ્રમાણના ઉંચાઈવાળા ક્ષેત્રમાં તીચ્છ જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત લાખ વિમાન વાસો છે. એ પ્રમાણે મારૂં તથા અન્ય ભૂતકાળના સર્વ તીર્થકરોનું કહેવું છે. તે વિમાનો અધ કરેલ કોઠાના આકારના છે. આ સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાનપદમુજબ વર્ણન અહીયાં કરી લેવું જોઈએ. ત્યાં ચંદ્ર અને સૂર્ય એ બે પોત પોતાના ક્ષેત્રના જ્યોતિષ્કોના ઈંદ્ર જ્યોતિષ્ઠરાજ રહે છે. તેનું વર્ણન અહીંયાં સમજી લેવું. હે ભગવનું જ્યોતિન્દ્ર જ્યતિષરાજ સૂર્યની કેટલી પરિષદાઓ કહેવામાં આવી છે? હે ગૌતમ ! ત્રણ પરિષદાઓ કહેલ છે. તુમ્બા, ત્રુટિતા અને પ્રેત્યા તેમાં તુંબા પરિષદાને આવ્યંતર પરિષદ કહેલ છે. ત્રુટિતા નામની પરિષદા ને મધ્યમિકા પરિષદ કહી છે. અને બાહય પરિષદા તે પ્રત્યા નામક છે. જે પ્રમાણે કાળની સભાના દેવો અને દેવિ યોનું પરિમાણ, સંખ્યા અને તેઓની સ્થિતિનું કથન કરવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીયાં પણ સમજી લેવું. ચમરના પ્રકરણમાં આ સભાઓના નામો હોવાના સંબંધમાં કારણો બતાવેલ છે, એજ પ્રમાણેનું તમામ કથન અહીયાં પણ કહી લેવું સૂર્યના સમ્બન્ધમાં પરિષદા વિગેરેનું જે પ્રમાણેનું કથન ત્યાં કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનું કથન અહીંયાં ચંદ્રના સંબંધમાં પણ કરી લેવું. | પ્રતિપ્રતિઃ ૩-દેવોનીમુનિદીપરત્નસાગરે કરેલપૂર્ણ ગુર્જરછાયા (પ્રિતિપત્તિ ૩-દ્વીપસમુ) [૧૬૧] હે ભગવન્દ્વીપ અને સમુદ્રો કયા સ્થાન પર કહ્યા છે? હે ભગવનું એ દ્વીપ સમુદ્રો કેટલા છે ? હે ભગવનું તે દ્વીપ સમુદ્રો કેટલા મોટા વિશાળ પ્રમાણના છે? હે ભગવનું એ દ્વીપ સમુદ્રોનો આકાર કેવો છે? હે ભગવનું એ દ્વીપ સમુદ્રોનું સ્વરૂપ કેવું છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ જેમાં આદિ છે એવા અનેક દ્વીપો છે. લવણ સમુદ્ર જેની આદિમાં છે એવો સમુદ્રો છે. આ જંબૂદ્વીપ વિગેરે દ્વીપો અને લવણ સમુદ્ર વિગેરે સંસ્થાનની અપેક્ષાથી એક જ પ્રકારના આકારવાળા છે. કેમકે તમનો આકારવૃત્ત ગોળ કહેલ છે. તથા વિસ્તારની અપેક્ષાથી તેમનો વિસ્તાર અનેક પ્રકારનો કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપનો જેટલો વિસ્તાર છે તેની અપેક્ષાએ લવણ સમુદ્રનો બમણો વિસ્તાર છે. લવણ સમુદ્રના વિસ્તારની અપેક્ષાએ ધાતકીખંડનો બમણો વિસ્તાર છે. ઈત્યાદિ આ દ્વીપો અને સમુદ્રો અવભાસમાન વીચિ તરંગોવાળા કહેવામાં આવેલ છે. ખીલેલા અને કેસરથી યુક્ત એવા અનેક ઉત્પલોથી કમળોથી, પત્રો થી સૂર્ય વિકાશી કમળોથી, ચન્દ્ર વિકાશી કુમુદોથી કંઈક કંઈક લાલ વર્ણવાળા નલિનોથી પત્રોથી સુભગોથી પધવિશે ષોથી સૌગન્ધિકોથી વિશેષ પ્રકારના કમળોથી પીંડરીક સફેદ કમળોથી મોટા મોટા પોંડરિકોથી શતપત્ર કમળોથી અને હજાર પાંખડીવાળા કમળોથી એ દ્વીપ અને સમુદ્ર, સદા શોભાયમાન થતા રહે છે. આ દરેક દ્વીપ અને સમુદ્ર પાવર વેદિકાથી ઘેરાયેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy