SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જીવાજીવાભિગમ- ૩ર્નિ-૨/૧૦૫ જોડાઓના સમુહ હોય એવા સરોવરને જુવે અને તે મત્ત એવો હાથી તેમાં પ્રવેશ કરે છે. તેનાથી એ હાથી પોતાની ગર્મીને સારી રીતે શાંત કરી લે છે. તથા કિનારાની પાસેના શલ્લકી એક જાતનું ઘાસ વિગેરેના કિસલયો ખાઈને પોતાની ભૂખ પણ દૂર કરી દે છે. અને પરિદાહ, ભૂખ, તરસના, શાન્ત થઈ જવાથી તે શરીરમાં વ્યાપ્ત થયેલ ગર્મીને પણ દૂર કરી દે છે. આ રીતે જ્યારે તેના શરીરમાં ઠંડકનો અનુભવ થવા માંડે છે, ત્યારે તે ત્યાંજ નિદ્રા લેવા માંડે પોતાની સ્મરણ શક્તિને આનંદને ઘેર્યને ચિત્તની સ્વસ્થતાને પામે છે, આ રીતે પોતે શીતી ભૂત થયેલ તે ગજરાજ ત્યાંથી ચાલવા લાગે છે. અને ચિત્તમાં જાગેલી એક પ્રકારની આહલાદ રૂપ પ્રસન્નતા રૂપ સુખ પરિણતીથી પોતે પોતાને આનંદ રૂપ માનવા લાગે છે. એ જ પ્રમાણે હે ગૌતમ! અસદૂ ભાવ કલ્પનાને લઈને ઉષ્ણ વેદના વાળા નરકોમાંથી નીકળેલો નૈરયિક જે આ મનુષ્ય લોકમાં અત્યંત ઉષ્ણ તાના સ્થાનો છે જેમકે ગોંડિકાલિંછ, ડિકાલિંછ, લિંડિકાલિંછ, લોખંડને ગાળવાની તાંબાને ગાળ વાની ભઠી, સીસાને ઓગાળવાની વાસણને પકાવવાની ભઠીનો, ધાતુને ગાળવાના ભટૂઠાનો અગ્નિ, ઈટોને પકવવાવાળા ભટ્રોનો અગ્નિ, ગોળ બનાવવાની ભઠીનો અગ્નિ, તલની અગ્નિ બધા સ્થાનો મનુષ્યલોકમાં અગ્નિના સંપર્કથી તપેલા રહે છે. તે સ્થાનો સાક્ષાત્ અગ્નિના સ્થાપનાપન્ન હોય છે. તેનો જે વર્ણ ફૂલેલા પલાશના ફૂલો દેખાય છે, જે હજારો ઉલ્કાઓ અગ્નિકણોને બહાર કાઢે છે આ સ્થાનો હજારો જવાલા ઓને જ જાણે વમન કરતા ન હોય તેવા હોય છે. હજારો અંગારાઓને પોતાની અંદરથી બહાર કાઢી રહ્યા હોય, એવા વિકટ અગ્નિના દાહ રૂપ વેદનાને ઉત્પન્ન કરવાવાળા આ સ્થાનોને જો ઉષ્ણ વેદના વાળા નરકોના નારકીઓ જોઈલે અને જોઈને તે તેમાંથી કોઈ એક સ્થાનમાં પ્રવેશ કરી જાય છે. ત્યાં પ્રવેશ કરીને તે નારકી ત્યાં પણ પોતાની નરકજન્ય - ઉષ્ણ વેદનાને દૂર કરી શકે છે. તરસને પણ નાશ કરી દે છે. પોતાની ભૂખને પણ શાંત કરીલે છે. પોતાના શરીરની અંદર રહેલા પરિતાપ રૂપ જવરને પણ દૂર કરીદે અને દાહને પણ શાંત કરી દે છે. એ નારકીને આ સ્થાનોમાં પણ એ માતંગના જેવી શીતળતાનો. અનુભવ થાય છે, ત્યારે તે ક્ષણિક નિદ્રાનો પણ અનુભવ પ્રાપ્ત કરી પોતાની ભૂલેલી સ્મૃતિને થોડી ઘણી શાંતીને ચિત્તની સ્વસ્થતા રૂપ ધૃતિને અને મતિને પણ પામે છે. તેથી શીત રૂપ થયેલ અને શીતભૂત થયેલ પોતે પોતાનામાં શાંતિનો અતિશયપણથી અનુભવ કરતો તે નારક જીવ સાતા અને સુખ બહુલ સ્થિતિવાળો બની જાય છે. શું આવા પ્રકાર ની ઉષ્ણ વેદના છે? ગૌતમ ! આ અર્થ બરોબર નથી. ઉષ્ણવેદનાવાળા નરકોમાં રહેલા નૈરયિકો પૂર્વોક્ત વેદનાથી પણ વધારે અનિષ્ટતર એવી ઉષ્ણવેદનાનો અનુભવ કરે હેભગવનું શીતવેદનાવાળા નરકોમાં નારકો કેવી શીતવેદનાનો અનુભવકરેછે ? હે ગૌતમ ! જેમ કોઈ લુહારનો છોકરો હોય, અને તે પહેલા વર્ણવ્યા પ્રમાણેના વિશેષણો વાળો હોય, તે લુહાર લોખંડની સાણસી પકડીને ગોળાને માનો કે શીત વેદનાવાળા નારકોમાં નાખીદે અને તેને નાખતાંજ પાછો એવો વિચાર કરે કે હું આને આને હમણાં જ આંખનું મટક મારે તેટલામાં જ કાઢી લઉં છું એટલા કાળમાંજ તે શીતવેદનાવાળા નરકોમાં નાખેલ તપેલો લોખંડનો પીંડ ત્યાં ઓગળવા અને ગળવા માંડે છે. તેમ તેને સાક્ષાતુ દેખાય છે. આ પ્રમાણે હે ગૌતમ ! આ પણ અસત્કલ્પના સમજવી જોઈએ શીત વેદના વાળા નરકોમાંથી કોઈ નૈરયિક બહાર નીકળ્યો હોય, અને બહાર નીકળીને તે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy