SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જીવાજીવાભિગમ – ૩૧-૨/૯૮ બાણના અગ્રભાગનો, શૂલના અગ્રભાગનો, લાકડીના અગ્રભાગનો, ભિંડિપાલના અગ્રભાગનો, સોયના જૂડાના અગ્રભાગનો વીંછના ડંખનો, અંગારાના સ્પર્શનો, અગ્નિની જ્વાલાનો, મુર્મર અગ્નિનો, અલાતનામ બળતા લાકડાની અગ્નિનો, શુદ્ધ અગ્નિ, વીજળી વિગેરેનો જેવો સ્પર્શ હોય છે, તે કરતાં પણ અત્યંત અનિષ્ટતર અકાંત તર, અપ્રિયતર, અમનોમતર, એવો તેનો સ્પર્શ કહેલ છે. હે ભગવન્ ! આ રત્ન પ્રભાપૃથ્વીમાં જે નરકાવાસો છે, તે બધા કેટલા વિશાળ છે? જંબુદ્વીપ નામનો જે આ દ્વીપ જે દ્વીપ સઘળા દ્વીપો અને સમુદ્રોની મધ્યમાં સૌથી પહેલા રહેલ તથા બધા દ્વીપ સમુદ્રોકરતાં જે નાનો છે. ગોળાકાર છે. જેનું સંસ્થાન તેલમાં પકાવેલા પુવા જેવું છે. ગોળ છે, રથનું પૈડું જેવું છે, કમળની કળીના જેવા ગોળ પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર જેવો ગોળ આકારવાળો હોય તેવું છે. આ દ્વીપ એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળો છે. યાવતુ ત્રણ ગણાથી કંઈક વધારે પરિ ધિથી વીંટળાએલ છે. એવા આ જંબુદ્રીપને કોઈ વિમાન પરિવાર વિગેરે મોટિ ઋદ્ધિ વાળો, શરીર આભૂષણની મહા ઘુતિવાળો, અતયંત વધારે શારીરિક બળવાળો, અત્યંત મોટિખ્યાતિવાળો, તથા મોટા ઐશ્વર્યવાળો મહાસુખવળો અચિંત્ય શક્તિવાળો એવો દેવ યાવત્ ત્રણ ચપિટ વગાડ વામાં જેટલો સમય લાગે છે. એટલા સમયમાં આ કેવળ કલ્પ અર્થાત્ સંપૂર્ણ જંબુદ્વીપને એકવીસ વાર પરિભ્રમણ કરીને શીઘ્રગતિથી આવી જાય છે એવી ગમન શક્તિવાળો એવો તે દેવ તે દેવજન પ્રસિદ્ઘ ઉત્કૃષ્ટ પ્રશસ્ત વેગવાળી ચપલ ચંડ શીઘ્ર પરમોત્કૃષ્ટ વેગવાળી શત્રુપક્ષની ગતિને પણ પરા જીત કરવાવાળી છેક નિપુણ દિવ્ય દેવલોક સંબંધિની દેવતિથી વારંવાર ઉલ્લંધન કરતાં ઓછામાં ઓછા એક દિવસ, બે દિવસ, અને ત્રણ દિવસ સુધી વધારેમાં વધારે છ મહીના સુધી તેઓ નિરંતર ઉલ્લંઘન કરતા રહે તો બની શકે કે તે કેટલાક નકવાસોને પાર કરી શકે. કેટલાક નકવાસોને પાર ન પણ કરી એવી ઉપમાવાળા અને એટલામોટા વિસ્તારવાળા નરકાવાસો આ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યા છે. રત્નપ્રભા પૃથ્વીમાં આ નરકવાસો જેમ ઘણા વિશાળ કહ્યા છે, એજ અધઃસપ્તમી પૃથ્વી સુધીમાં જે નરકાવાસો છે, તે બધા પણ એવાજ પ્રકારની મહા વિશાળતાવાળા કહ્યા છે, અધઃસપ્તમી પથ્વીમાં એક લાખ યોજનની લંબાઈ પહોળાઈ વાળું જે પ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે. તેનું ઉલ્લંઘન તો તે કરી શકે છે. પરંતુ અસંખ્યાત કોડા કોડિ યોજનના વિસ્તારવાળા, બીજા જે ચાર નરકાવાસો છે. તેનું ઉલ્લંઘન તે દેવ કરી શકતો નથી. [૯] હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકાવાસ છે, તે કઈ વસ્તુમય છે ? સર્વ પ્રકારથી વજ્રમય છે. નરકોમાં અનેક ખરવિનશ્વર બાદર પૃથ્વીકાયિક જીવ અને પુદ્ગલ આવતા જતા રહે છે.તે નરકાવાસો દ્રવ્યાર્થ દષ્ટિથી શાશ્વત છે.વર્ણ રૂપી પર્યાયોથી આ બધા અશાશ્વત પણ છે, ગંધના પર્યાયો રસના પર્યાયો સ્પર્શના તે બધા એકાન્તતઃ નિત્ય પણ નથી. તેથી તેઓમાં કથંચિત્ નિત્યપણું અને કથંચિત્ અનિત્યપણું છે. આજ પ્રમાણે તમસ્તમાપ્રભા પૃથ્વીના નરકા વાસો સુધી સમજી લેવું [૧૦૦]આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોમાં નૈરયિક જીવો કયા સ્થાનમાંથી અને કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું અસંશીઓ માંથી આવીને ઉત્પન્ન થાય અથવા સરીસૃપો અથવા ચોપગા પ્રાણીયોમાંથી અથવા સિયોમાંથી કે મત્સ્ય અને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy