SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૨ ૨ ૩૬૫ જે શેલેશીને પ્રાપ્ત થયેલા નથી તેઓ ક્રિયાસહિત છે, હે ભગવન્! શું એમ છે કે જીવો. પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે ? હા ગૌતમ ! એમ છે. હે ભગવન્! કોને વિષે જીવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! છ જવનિકાયને વિષે કરે છે. હે ભગવન્! શું એમ છે કે નૈરયિકો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે ? હે ગૌતમ ! એમજ સમજવું. એ પ્રમાણે નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૃષાવાદ વડે ક્રિયા કરે છે? હા ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે મૃષાવાદ વડે ક્રિયા કરે છે? હે ગૌતમ! સર્વ દ્રવ્યોને વિશે કરે છે. એ પ્રમાણે નિરન્તર નૈરયિકોને યાવતુ વૈમાનિકોને યાવતું વૈમાનિકોને જાણવું. ભગવન્! શું એમ છે કે જીવો અદત્તાદાન વડે ક્રિયા વિશે કરે છે. હા ગૌતમ ! એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે અદત્તાદાન વડે ક્રિયા કરે છે? હે ગૌતમ ! ગ્રહણ કરવા યોગ્ય અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકોને યાવતુ નિરન્તર વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો મૈથુન વડે ક્રિયા કરે છે ? હા એમ છે. હે ભગવન્! જીવો મૈથુન વડે કોને વિષે ક્રિયા કરે છે ? હે ગૌતમ ! રૂપને વિષે અથવા રૂપે સહિત દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકોને નિરન્તર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવો પરિગ્રહ વડે ક્રિયા કરે છે ? હા એમ છે. હે ભગવન્! જીવો કોને વિષે પરિગ્રહવડે ક્રિયા કરે છે? હે ગૌતમ ! સર્વ દ્રવ્યને વિષે કરે છે. એ પ્રમાણે નૈરયિકો યાવતુ વૈમાનિકો સુધી જાણવું. એમ ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાનપશુન્ય, પ૨પરિવાદ, અરતિ રતિ, માયામૃષાવાદ અને મિથ્યાદર્શન શલ્ય વડે ક્રિયા કરે છે. એમ સર્વને વિષે જીવ અને નૈરયિકના ભેદ વડે કહેવા. એમ નિરન્તર યાવત્ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે એ અઢાર દંડકો થાય છે. [૨૭] હે ભગવન! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે?હેગૌતમ! સાત પ્રકૃતિઓ બાંધે કે આઠ પ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે નૈરયિકથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. જીવો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ! -પૂર્વવતુ જાણવું. હે ભગવન્! નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે ? હે ગૌતમ! બધાય સાત પ્રકૃતિઓ બાંધ નારા હોય, અને કોઈ એક આઠ પ્રકૃતિઓનો બધ કરનાર હોય. અથવા સાત પ્રકતિઓના બાંધનારા હોય અને આઠ પ્રકૃતિઓના બાંધનારા હોય. એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્વનિતકુમારોને જાણવું. પૃથિવીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાયિકો એ બધા ઔધિક સામાન્ય જીવોની પેઠે જાણવા. અને બાકીના બધા નૈરયિકોની પેઠે જાણવા. એ પ્રમાણે જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભાંગો બાંધે કહેવા. અને તે ભાવતુ મિથ્યાદર્શન શલ્ય સુધી કહેવું. એમ એકવચન અને બહુવચનના છત્રીશ દંડકો થાય છે. [પ૨૮) હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ ક્રિયાવાળો હોય? હે ગૌતમ! કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચિત ચાર ક્રિયાવાળો અને કદાચિત પાંચ ક્રિયાવાળો હોય. એમ નૈરયિક યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં કેટલી ક્રિયાવાળા હોય? હે ગૌતમ ! કદાચ ત્રણ ક્રિયાવાળા, કદાચિત ચાર ક્રિયાવાળા અને કદાચ પાંચ ક્રિયાવાળા હોય. એ પ્રમાણે નૈરયિકોથી માંડી નિરન્તર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય,મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy