SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ હ૫૮ પન્નવણા - ૨૧-૫૧૬ ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય, યાવતુ વૈમાનિકો દેવ પંચેન્દ્રિય વૈક્રિયા શરીર હોય ? હે ગૌતમ ! ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય, યાવતુ વૈમાનિકો દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. જે ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે યાવતુ સ્તનિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય ? હે ગૌતમ! અસુરકુમાર, યાવતુ નિકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈકિય શરીર હોય. જો અસુરકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર છે તો શું પતા અસરકુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર હોય કે અપર્યાપ્તા અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિયશરીર હોય?હે ગૌતમ ! પર્યાપ્તા, અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય અને અપયક્તિા અસુર કુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર પણ હોય. એ પ્રમાણે યાવત તનિકુમાર સુધી બે ભેદ જાણવા. એમ આઠ પ્રકારના વ્યન્તરો અને પાંચ પ્રકારના જ્યોતિષિ કોને જાણવું વૈમાનિકોબે પ્રકારના છે કલ્પોપપત્ર અને કલ્પાતીત, તેમાં કલ્પોપપન્ન બાર પ્રકાર ના છે, અને તેઓના પણ પતિ અને અપર્યાપ્તા એમ બે પ્રકારના જાણવા. કલ્પાતીત બે પ્રકારના છે-નૈવેયકો અને અનુત્તરૌપપાતિક, રૈવેયકો નવ પ્રકારના છે. અનુત્તરૌપપા તિક પાંચ પ્રકારના છે, એઓના પતિ અને અપર્યાપ્ત અભિલાપથી બે ભેદ જાણવા. [પ૧૭] હે ભગવન્! વૈક્રિય શરીર કેવા પ્રકારના સંસ્થાનવાળું છે? હે ગૌતમ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. હે ભગવન્! વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! પતાકાના આકાર જવા સંસ્થાનવાળું છે. હે ભગવનું ! નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાનું છે ? હે ગૌતમ ! નરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. બંને હુંડ સંસ્થાનવાળા છે. રત્નપ્રભાપૃથિવી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાનું છે ? હે ગૌતમ ! બે પ્રકારનું ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. હુંડસંસ્થાનવાળા છે. એ પ્રમાણે યાવતુ નીચેની સાતમી નરક પૃથિવીના નૈરયિકનું વૈક્રિય શરીર જાણવું. હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! અનેક પ્રકારના સંસ્થાનવાળું છે. એ પ્રમાણે યાવતુ જલચરો, સ્થલચરો અને ખેચરોનું પણ જાણવું. સ્થલચરોમાં ચતુષ્પદ અને પરિસર્પોનું, પરિસપમાં ઉરપરિસપ અને ભુજપરિસર્પોનું પણ એમજ જાણવું. એમ મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીર સંબધે પણ જાણવું. હે ભગવન્! અસુરકુમાર ભવનવાસી દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા આકાર વાળું છે? હે ગૌતમ! અસુરકુમાર દેવોનું શરીર બે પ્રકારનું છે. ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. તેમાં જે ભવધારણીય શરીર છે તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું કહ્યું છે. અને જે ઉત્તર વૈક્રિય શરીર છે તે અનેક પ્રકારના આકારવાળું છે. એ પ્રમાણે યાવત્ સ્વનિત કુમાર દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર જાણવું. એમ વ્યત્તર સંબધે પણ સમજવું. પરન્તુ સામાન્ય વ્યન્તર સંબધે પ્રશ્ન કરવો. એમ સામાન્ય જ્યોતિષિક સંબધે પણ જાણવું. એ પ્રમાણે સૌધર્મ યાવતુ અય્યત દેવ વૈક્રિય શરીર સંબધે જાણવું.હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય દેવ પંચેન્દ્રિય વૈક્રિય શરીર કેવા સંસ્થાનવાળું છે? હે ગૌતમ ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીર છે, અને તે સમચતુરસ્ત્ર સંસ્થાનવાળું છે. એ પ્રમાણે અનુત્તરૌપપાતિકને પણ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy