SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ .. . ............ . . . . ૩૦ જીવાજીવાભિગમ- ૨૫૫ ખેચર સ્ત્રિયોનું સ્ત્રીપણાથી રહેવાનો પ્રમાણકાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિપૃથકત્વ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. તે પછી તે સ્ત્રીભવનો ત્યાગ કરી દે છે. મનુષ્યસ્ત્રીનું મનુષ્યત્રી પણાથી રહેવાનો કાળ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્યથી એક અંતર્મુહૂર્તકાળ છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપ મકાળ, ધર્માચરણની અપેક્ષાથી- જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા એક પૂર્વકોટિ છે. એજ પ્રમાણે કર્મભૂમિક મનુષ્ય સ્ત્રીના સંબંધમાં પણ સમજી લેવું. સામાન્ય મનુષ્ય સ્ત્રીનો જે અવસ્થાન કાળ કહેલ છે એજ પ્રમાણેના અવસ્થાનકાળનું પ્રમાણ ભરત અને ઐરવતમાં રહેલ કર્મભૂમિની સ્ત્રીનું પણ સમજવું. વિશેષ એ છે કે ભરતાદિ ક્ષેત્રની અપેક્ષાથી આના અવસ્થાન કાળનું પ્રમાણ ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમનું છે. ચારિત્ર ધર્મને લઈને તેના અવસ્થાનકાળનું પ્રમાણ જઘન્યથી એક સમયનું છે, અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિનું છે. તેનું કારણ કર્મભૂમિજ મનુષ્યસ્ત્રીના કથન પ્રમાણેનું સમજી લેવું. વિદેહ અને અપરવિદેહના સ્ત્રિયોનું અવસ્થાન ક્ષેત્રની અપેક્ષાથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધીનું હોય છે. અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટિપૃથકત્વ સુધીનું હોય છે. ચારિત્ર ધમની અપેક્ષાથી જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ સુધીનું અવસ્થાન રહે છે. કાળની અપેક્ષાથી અકર્મભૂમિજ મનુષ્ય સ્ત્રી, જઘન્યથી દેશોન એક પલ્યોપમ સુધી રહે છે. ઉત્કૃષ્ટથી પલ્યોપમની સુધી રહે છે, સંહરણની અપેક્ષાથી એક અંતર્મુહૂર્તનો છે. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિથી વધારે ત્રણપલ્યોપમ સુધી કહેલ છે. હૈમવત, ઐરણ્યવત ક્ષેત્રની મનુષ્ય સ્ત્રિયોનો અવસ્થાન કાળ જઘન્યથી દેશોન પલ્યો પમના અસંખ્યાતમા ભાગથી હીન એક પલ્યોપમનો છે અને ઉત્કૃષ્ટથી પૂરો એક પલ્યો પમનો છે. સંહરણની અપેક્ષાથી અંતર્મુહૂર્ત પ્રમાણનું આયુષ્ય બાકી રહે ત્યારે તેનું સંહરણ થઈ જવાના કારણથી જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી દેશોને પૂર્વકોટિથી વધારે પલ્યોપમ સુધી રહે છે. જે હરિવર્ષ અને રમ્પકવર્ષ અને અકર્મભૂમિનીમનુષ્યસ્ત્રિયો છે, તેઓનો ત્યાં તે જઘન્ય કાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગરૂપ દેશથી ધૂન બે પલ્યોપમનો છે. ઉત્કૃષ્ટથી પૂરા બે પલ્યોપમનો છે. હરિવર્ષ અને રમ્યક વર્ષની અકર્મ ભૂમિની મનુષ્ય સ્ત્રિયો સંહરણની અપેક્ષાએ જઘન્યકાળ એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટ કાળ દેશોને પૂર્વકોટિથી વધારે બે પલ્યોપમનો છે. દેવકુર અને ઉત્તરકુરૂની પૂર્વકોટિની મનુષ્ય સ્ત્રિયોને જન્મની અપેક્ષાથી જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ થી કમ ત્રણ પલ્યોપમનો કહેલ છે. તથા ઉત્કૃષ્ટથી પૂરા ત્રણ પલ્યોપમનું અવસ્થાન રહે છે. સંહરણ અપેક્ષાથી જઘન્યથી અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમનો છે. અંતરદ્વીપક અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રિયોનો રહેવાનો કાળ જન્મ અપેક્ષાએ જઘન્યથી કીક ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ઓછો અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના ની અસંખ્યાતમાં ભાગપ્રમાણનો છે. સંહરણ ની અપેક્ષાથી જઘન્યથી તેનો અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વ કોટિથી વધારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણનો છે.દેવની સ્ત્રિપણાથી રહેવાનો અવસ્થાનકાળ જઘન્ય દશ હજારવર્ષનો અને ઉત્કૃષ્ટથી પપ પલ્યોપમનો તેમનો સામાન્ય અવસ્થાનકાળ છે. [૫૭] હે ભગવનું સ્ત્રીને ફરીથી સ્ત્રી પણામાં આવવામાં કેટલાકાળનું અંતર હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy